O adultério
O adultério é pecado grave que destrói alianças, famílias e vidas. A Bíblia condena firmemente a infidelidade conjugal e chama à pureza, fidelidade e santidade no casamento.
A lei de Deus
Não adulterarás. Quem comete adultério destrói a própria alma. A Palavra de Deus é clara e direta sobre este pecado.
તમારે વ્યભિચાર કરવો નહિ.
જે કોઈ પુરુષ બીજા પુરુષની પત્ની સાથે વ્યભિચાર કરે અથવા પડોશીની પત્ની સાથે વ્યભિચાર કરે તેઓ બન્નેને નિશ્ચે મૃત્યુદંડ આપવો.
તારે તારા પડોશીની પત્ની સાથે શારીરિક સંબંધ ન કરવો અને આ રીતે પોતાને જાતને ભ્રષ્ટ ન કરવી.
જે પરસ્ત્રી સાથે વ્યભિચાર કરે છે તે અક્કલહીન છે,
તે પોતાની જાતે પોતાનું જીવન બરબાદ કરે છે.
જે પરસ્ત્રી સાથે વ્યભિચાર કરે છે તે અક્કલહીન છે,
તે પોતાની જાતે પોતાનું જીવન બરબાદ કરે છે.
તેને ઘા તથા અપમાન જ મળશે,
અને તેનું કલંક કદી ભૂંસાશે નહિ.
કેમ કે વહેમ એ પુરુષનો કાળ છે;
અને તે વૈર વાળતી વખતે જરાય દયા રાખશે નહિ.
તે કોઈ બદલો સ્વીકારશે નહિ,
તું તેને ઘણી ભેટો આપશે, તો પણ તે સંતોષ પામશે નહિ.
જો કોઈ માણસ અગ્નિ પોતાને છાતીએ રાખે તો
તેનું વસ્ત્ર સળગ્યા વિના ન રહે?
જો કોઈ માણસ અંગારા પર ચાલે તો શું
તેના પગ દાઝયા વગર રહે?
એટલે કોઈ તેના પાડોશીની પત્ની પાસે જાય છે અને તેને સ્પર્શ કરે છે;
તેને શિક્ષા થયા વિના રહેતી નથી.
Jesus ensina
Quem olhar para uma mulher com intenção impura já adulterou no coração. Jesus elevou o padrão da pureza.
વ્યભિચાર અંગે શિક્ષણ
‘વ્યભિચાર ન કરો’, એમ કહ્યું હતું, તે તમે સાંભળ્યું છે. પણ હું તમને કહું છું કે, સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે, તેણે એટલામાં જ પોતાના મનમાં તેની સાથે વ્યભિચાર કર્યો છે.
પણ હું તમને કહું છું કે, વ્યભિચારના કારણ વગર જે કોઈ પોતાની સ્ત્રીને છોડી દે, તે તેની પાસે વ્યભિચાર કરાવે છે; અને જે કોઈ તે ત્યજી દીધેલી સ્ત્રી સાથે લગ્ન કરે છે તે પણ વ્યભિચાર કરે છે.
કેમ કે દુષ્ટ કલ્પનાઓ, હત્યાઓ, વ્યભિચારો, જાતીય ભ્રષ્ટતા, ચોરીઓ, જૂઠી સાક્ષીઓ, તથા દુર્ભાષણો હૃદયમાંથી નીકળે છે.
ઈસુ તેઓને કહે છે કે, ‘જે કોઈ પોતાની પત્નીને ત્યાગી દે અને બીજી સાથે લગ્ન કરે, તે તેની વિરુદ્ધ વ્યભિચાર કરે છે અને જો પત્ની પોતાના પતિને ત્યજી દે અને બીજા સાથે લગ્ન કરે, તો તે પણ વ્યભિચાર કરે છે.’"
જે કોઈ પોતાની પત્નીને છૂટાછેડા આપીને બીજી સ્ત્રી સાથે લગ્ન કરે છે, તે વ્યભિચાર કરે છે, અને જે કોઈ છૂટાછેડા પામેલી સ્ત્રી સાથે લગ્ન કરે છે, તે વ્યભિચાર કરે છે.
ઈસુને કહ્યું કે, ‘ગુરુ, આ સ્ત્રી વ્યભિચાર કરતાં જ પકડાઈ છે. હવે મૂસાના નિયમશાસ્ત્રમાં આપણને આજ્ઞા આપી છે કે, તેવી સ્ત્રીઓને પથ્થરે મારવી; તો તમે તેને વિષે શું કહો છો?’" તેમના પર દોષ મૂકવાનું કારણ તેમને મળી આવે એ માટે તેમનું પરીક્ષણ કરતાં તેઓએ આ કહ્યું. પણ ઈસુએ નીચા નમીને જમીન પર આંગળીએ લખ્યું.
તેઓએ તેમને પૂછ્યા કર્યું, ત્યારે તેમણે ઊભા થઈને તેઓને કહ્યું કે, ‘તમારામાં જે કોઈ પાપ વગરનો હોય તે તેના પર પહેલો પથ્થર મારે.’" ફરીથી પણ તેમણે નીચા નમીને આંગળી વડે જમીન પર લખ્યું.
જયારે તેઓએ સાંભળ્યું, ત્યારે વૃદ્ધથી માંડીને એક પછી એક બધા ચાલ્યા ગયા. અને એકલા ઈસુ તથા ઊભેલી સ્ત્રી જ ત્યાં રહ્યાં. ઈસુ ઊભા થયા અને તેને પૂછ્યું કે, ‘સ્ત્રી, તારા પર દોષ મૂકનારાઓ ક્યાં છે? શું કોઈએ તને દોષિત ઠરાવી નથી?’" તેણે કહ્યું, ‘પ્રભુ, કોઈએ નહિ.’ ઈસુએ કહ્યું, ‘હું પણ તને દોષિત નથી ઠરાવતો; તું ચાલી જા; હવેથી પાપ કરીશ નહિ.’"
Armadilhas e consequências
Os lábios da mulher estranha destilam mel, mas o seu fim é amargo. Fuja da imoralidade — o adultério escraviza.
કારણ કે વ્યભિચારી સ્ત્રીના હોઠોમાંથી મધ ટપકે છે.
અને તેનું મુખ તેલ કરતાં સુંવાળુ છે.
પણ તેનો અંત વિષ જેવો કડવો,
બેધારી તલવાર જેવો તીક્ષ્ણ હોય છે.
તેના પગ મૃત્યુ સુધી નીચે પહોંચે છે;
તેના પગલાં શેઓલમાં પહોંચે છે.
તેથી તેને સાચો જીવન માર્ગ મળતો નથી.
તે પોતાના માર્ગેથી ભટકી જાય છે; અને તેને ખબર નથી કે તે ક્યાં જાય છે.
કારણ કે વ્યભિચારી સ્ત્રીના હોઠોમાંથી મધ ટપકે છે.
અને તેનું મુખ તેલ કરતાં સુંવાળુ છે.
પણ તેનો અંત વિષ જેવો કડવો,
બેધારી તલવાર જેવો તીક્ષ્ણ હોય છે.
તેના પગ મૃત્યુ સુધી નીચે પહોંચે છે;
તેના પગલાં શેઓલમાં પહોંચે છે.
તેથી તેને સાચો જીવન માર્ગ મળતો નથી.
તે પોતાના માર્ગેથી ભટકી જાય છે; અને તેને ખબર નથી કે તે ક્યાં જાય છે.
હવે મારા દીકરાઓ, મારી વાત સાંભળો;
અને મારા મુખના શબ્દોથી દૂર જશો નહિ.
તમારા માર્ગો તેનાથી દૂર રાખો
અને તેના ઘરના બારણા પાસે પણ જશો નહિ.
રખેને તું તારી આબરુ બીજાઓને
અને તારા જીવનનાં વર્ષો ઘાતકી માણસોને સ્વાધીન કરે;
તમારા માર્ગો તેનાથી દૂર રાખો
અને તેના ઘરના બારણા પાસે પણ જશો નહિ.
રખેને તું તારી આબરુ બીજાઓને
અને તારા જીવનનાં વર્ષો ઘાતકી માણસોને સ્વાધીન કરે;
રખેને તારા બળથી પારકા તૃપ્ત થાય,
અને તારી મહેનતનું ફળ પારકાના કુટુંબને મળે.
રખેને તારું માંસ અને તારું શરીર ક્ષીણ થાય
અને તું અંત સમયે વિલાપ કરે.
તું કહીશ કે, "મેં કેવી રીતે શિખામણનો ધિક્કાર કર્યો છે
અને મારા હૃદયે ઠપકાને તુચ્છ ગણ્યો છે!
હું મારા શિક્ષકોને આધીન થયો નહિ
અને મેં મને શિક્ષણ આપનારાઓને સાંભળ્યા નહિ.
મંડળ અને સંમેલનોમાં
હું સંપૂર્ણપણે પાપમય થઈ ગયો હતો."
જે પ્રેમાળ હરણી જેવી સુંદર અને મનોહર મૃગલી જેવી જાજરમાન નારી છે.
તેનાં સ્તનોથી તું સદા સંતોષી રહેજે;
હંમેશા તું તેના પ્રેમમાં જ ગરકાવ રહેજે.
મારા દીકરા, તારે શા માટે પરસ્ત્રી પર મોહિત થવું જોઈએ?
શા માટે તારે પરસ્ત્રીના શરીરને આલિંગન આપવું જોઈએ?
કેમ કે તેનું ઘર મૃત્યુની ખીણ તરફ
અને તેનો માર્ગ મૃત્યુ તરફ જાય છે.
તેની પાસે જનારાઓમાંથી કોઈ પાછો ફરતો નથી
અને તેઓ જીવનનો માર્ગ સંપાદન કરી શકતા નથી.
પરસ્ત્રીનું મુખ ઊંડી ખાઈ જેવું છે;
જે કોઈ તેમાં પડે છે તેના ઉપર યહોવાહનો કોપ ઊતરે છે.
વ્યભિચારથી નાસો, માણસ જે પાપ કરે તે શરીર બહારના છે; પણ વ્યભિચારી પોતાના શરીરની વિરુદ્ધ પાપ કરે છે.
પવિત્ર આત્મા અને માનવી સ્વભાવ
પણ હું કહું છું કે, આત્માની દોરવણી અનુસાર ચાલો અને તમે દેહની વાસના તૃપ્ત કરશો નહિ. કેમ કે દેહ આત્માની વિરુદ્ધ ઇચ્છા કરે છે અને આત્મા દેહની વિરુદ્ધ; કારણ કે તેઓ પરસ્પર વિરુદ્ધ છે; અને તેથી જે તમે ઇચ્છો તે તમે કરતા નથી.
દેહનાં કામ તો દેખીતાં છે, એટલે જાતીય અનૈતિકતા, અશુદ્ધતા, લંપટપણું, મૂર્તિપૂજા, મેલીવિદ્યા, વૈરભાવ, કજિયાકંકાશ, ઈર્ષા, ક્રોધ, ખટપટ, કુસંપ, પક્ષાપક્ષી, અદેખાઈ, સ્વચ્છંદતા, ભોગવિલાસ તથા તેઓના જેવા કામો; જેમ પહેલાં મેં તમને ચેતવ્યાં હતા તેમ તેઓ વિષે હમણાં પણ ચેતવું છું કે, જેઓ એવાં કામ કરે છે તેઓ ઈશ્વરના રાજ્યનો વારસો પામશે નહિ.
લગ્નને માનપાત્ર ગણો, પથારી પવિત્ર રાખો. કેમ કે ઈશ્વર અસંયમી તથા વ્યભિચારીઓનો ન્યાય કરશે.
કારણ કે ઈશ્વરની ઇચ્છા એવી છે કે, તમારું પવિત્રીકરણ થાય, એટલે કે તમે વ્યભિચારથી દૂર રહો; તમારામાંનો દરેક, ઈશ્વરને ન જાણનારાં વિદેશીઓની જેમ વિષયવાસનામાં નહિ, પણ પવિત્રતામાં તથા માનમાં પોતાની જાતને સંભાળી રાખે.
ઓ બેવફા લોકો, શું તમે જાણતા નથી, કે જગતની મિત્રતા ઈશ્વર પ્રત્યે દુશ્મનાવટ છે? એ માટે જે કોઈ જગતનો મિત્ર થવા ચાહે છે, તે ઈશ્વરનો વૈરી થાય છે.
તે પસ્તાવો કરે, માટે મેં તેને તક આપી; પણ તે પોતાના બદકૃત્યનો પસ્તાવો કરવા ઇચ્છતી નથી.
જુઓ, હું તેને દુઃખના પથારીમાં ફેંકી દઈશ, અને તેની સાથે મળીને જેઓ બેવફાઈ કરે છે તેઓ જો પોતાના કામનો પસ્તાવો ન કરે તો તેઓને હું મોટી વિપત્તિમાં નાખું છું.