Amor de casal
O amor de casal é celebrado na Bíblia como dom sagrado. O Cântico dos Cânticos exalta a beleza do amor conjugal — íntimo, exclusivo e forte como a morte.
મને તારા હૃદય પર મુદ્રા તરીકે
અને તારા હાથ પરની વીંટી તરીકે બેસાડ.
કેમ કે પ્રેમ મોત સમાન બળવાન છે.
અને ઈર્ષ્યા શેઓલ જેવી ક્રૂર છે;
તેના ચમકારા; અગ્નિની જ્વાળા જેવા પ્રબળ છે.
ઘણાં પાણીનો પ્રવાહ પ્રેમને હોલવી શકે નહિ,
જળપ્રલયનાં પાણી એને ખેંચી જતાં નથી.
જે કોઈ વ્યક્તિ પ્રેમને માટે પોતાની ઘરની બધી સંપત્તિ આપી દે,
તોપણ તેને લોકો ધિક્કારે છે.
હે મારી પ્રાણપ્રિયા, મારી નવવધૂ,
તેં મારું હૃદય મોહી લીધું છે
તારા એક જ નજરથી, તારા ગળાના હારના એક મણકાથી તેં મારું મન મોહી લીધું છે.
તારા મુખના ચુંબનોથી તું મને ચુંબન કર,
કેમ કે તારો પ્રેમ દ્રાક્ષારસથી ઉત્તમ છે.
તારા અત્તરની ખુશ્બો કેવી સરસ છે!
તારું નામ અત્તર જેવું મહાન છે!
તેથી જ બધી કુમારિકાઓ તને પ્રેમ કરે છે!
જો, મારી પ્રિયતમા, તું સુંદર છે,
જો, તું સુંદર છે;
તારી આંખો હોલાના જેવી છે.
જો, તું સુંદર છે મારા પ્રીતમ, તું કેવો મનોહર છે.
આપણો પલંગ કૂણા છોડના જેવો છે.
પછી યહોવાહ ઈશ્વરે કહ્યું કે, "માણસ એકલો રહે તે સારું નથી. હું તેને માટે યોગ્ય એવી સહાયકારી બનાવીશ."
યહોવાહ ઈશ્વરે માણસમાંથી જે પાંસળી લીધી હતી, તેની તેમણે એક સ્ત્રી બનાવી. તેને તે માણસ પાસે લાવ્યા. તે માણસ બોલી ઊઠ્યો કે,
"આ મારા હાડકામાંનું હાડકું
અને મારા માંસમાનું માંસ છે.
તે ‘નારી’ કહેવાશે,
કેમ કે તે નરમાંથી લેવાયેલી છે."
તેથી માણસ તેનાં માતા અને પિતાને છોડીને, તેની પત્ની સાથે જોડાયેલો રહેશે અને તેઓ એક દેહ થશે.
જેને પત્ની મળે તે તેને માટે સારી બાબત છે
અને તેથી તેને યહોવાહની કૃપા પ્રાપ્ત થાય છે.
તારું ઝરણું આશીર્વાદ પામો,
અને તું તારી પોતાની યુવાન પત્ની સાથે આનંદ માન.
જે પ્રેમાળ હરણી જેવી સુંદર અને મનોહર મૃગલી જેવી જાજરમાન નારી છે.
તેનાં સ્તનોથી તું સદા સંતોષી રહેજે;
હંમેશા તું તેના પ્રેમમાં જ ગરકાવ રહેજે.
મારા દીકરા, તારે શા માટે પરસ્ત્રી પર મોહિત થવું જોઈએ?
શા માટે તારે પરસ્ત્રીના શરીરને આલિંગન આપવું જોઈએ?
માટે તેઓ હવેથી બે નથી, પણ એક દેહ છે. એ માટે ઈશ્વરે જેમને જોડ્યાં છે તેમને માણસોએ જુદા ન પાડવાં."
પ્રેમ સહનશીલ તથા પરોપકારી છે; પ્રેમ અદેખાઈ કરતો નથી; પ્રેમ બડાશ મારતો નથી, ફુલાઈ જતો નથી, પ્રેમ અયોગ્ય રીતે વર્તતો નથી, પોતાનું જ હિત શોધતો નથી, ખીજવાતો નથી, કોઈનું ખરાબ ઇચ્છતો નથી; અન્યાયમાં નહિ, પણ સત્યમાં આનંદ મનાવે છે; પ્રેમ બધું ખમે છે, બધું સાચું માને છે, બધાની આશા રાખે છે, બધાનું સહન કરે છે.
એ જ પ્રમાણે પતિઓએ જેમ પોતાનાં શરીરો પર તેમ પોતાની પત્નીઓ પર પ્રેમ કરવો; જે પોતાની પત્ની પર પ્રેમ કરે છે, તે પોતા પર પ્રેમ કરે છે; કેમ કે કોઈ માણસ પોતાના શરીરનો કદી દ્વેષ કરતો નથી; પણ તે તેનું પાલનપોષણ કરે છે. જેમ ખ્રિસ્ત પણ વિશ્વાસી સમુદાયનું પોષણ કરે છે તેમ,
તોપણ તમારામાંના દરેક જેમ પોતાના પર તેમ પોતાની પત્ની પર પ્રેમ કરે; અને પત્ની પોતાના પતિનું માન જાળવે.
પણ એ સઘળાં ઉપરાંત પ્રેમ જે સંપૂર્ણતાનું બંધન છે તે તમે પહેરી લો.
એક કરતાં બે ભલા;
કેમ કે તેઓએ કરેલી મહેનતનું ફળ તેઓને મળે છે.
જો બેમાંથી એક પડે તો બીજો તેને ઉઠાડશે.
પરંતુ માણસ એકલો હોય,
અને તેની પડતી થાય તો તેને મદદ કરનાર કોઈ જ ન હોય તો તેને અફસોસ છે.
જો બે જણા સાથે સૂઈ જાય તો તેઓને એક બીજાથી હૂંફ મળે છે.
પણ એકલો માણસ હૂંફ કેવી રીતે મેળવી શકે?
એકલા માણસને હરકોઈ હરાવે
પણ બે જણ તેને જીતી શકે છે
ત્રેવડી વણેલી દોરી સહેલાઈથી તૂટતી નથી.
શું તેણે પોતાના આત્માનાં અંશ વડે તમને એક બનાવ્યા નથી? અને શા માટે તેમણે તમને એક બનાવ્યા છે? કેમ કે તે ધાર્મિક સંતાનની આશા રાખતા હતા? માટે તમારા આત્મા વિષે સાવધ રહો, કોઈ પણ પોતાની જુવાનીની પત્નીને અવિશ્વાસુ ન રહે.
બીજા કેટલાક નિયમો
જયારે કોઈ પુરુષ નવ પરિણીત હોય ત્યારે તે લશ્કરમાં ન જાય કે તેને કંઈ જ કામ સોંપવામાં ન આવે; તે એક વર્ષ સુધી ઘરે રહે, જે પત્ની સાથે તેણે લગ્ન કર્યું છે, તેને આનંદિત કરે.