Bom dia
Cada manhã é presente de Deus. As misericórdias do Senhor se renovam cada dia. A Bíblia convida a começar o dia com louvor, oração e gratidão ao Criador.
Manhã com Deus
De manhã te apresentarei a minha oração. Pela manhã ouvirás a minha voz — eu te busco ao despertar.
હે યહોવાહ, સવારમાં તમે મારી પ્રાર્થના સાંભળશો;
સવારમાં હું તારી પાસે મારી અરજીઓ લાવું છું કરીને ઉત્તરને માટે હું રાહ જોઈ રહીશ.
પણ, હે યહોવાહ, હું પોકાર કરીશ;
સવારે મારી પ્રાર્થના તમારી સમક્ષ આવશે.
હે મારા આત્મા; મારી વીણા અને તંબુરા; તમે જાગો;
હું તો પ્રભાતમાં વહેલો ઊઠીશ.
પણ હું તો તમારા સામર્થ્યનું ગીત ગાઈશ;
અને મારા સંકટના સમયે ભરોસો રાખીશ,
કેમ કે તમે મારે માટે ઊંચો ગઢ છો.
પણ હું તો તમારા સામર્થ્યનું ગીત ગાઈશ;
અને મારા સંકટના સમયે ભરોસો રાખીશ,
કેમ કે તમે મારે માટે ઊંચો ગઢ છો.
હે મારા સામર્થ્ય, હું તમારાં સ્તોત્રો ગાઈશ;
કેમ કે ઈશ્વર મારે માટે ઊંચો ગઢ અને મારા પર કૃપા કરનાર ઈશ્વર છે.
મને સવારે તમારી કૃપા અનુભવવા દો;
કારણ કે હું તમારા પર ભરોસો રાખું છું.
જે માર્ગે મારે ચાલવું જોઈએ તે મને બતાવો,
કારણ કે હું મારું જીવન તમારા હાથોમાં મૂકું છું.
પણ હું તો ન્યાયપણે વર્તીને તમારું મુખ જોઈશ; જ્યારે હું જાગીશ ત્યારે તમને જોઈને સંતોષ પામીશ.
Misericórdias renovadas
As misericórdias do Senhor se renovam cada manhã. Este é o dia que o Senhor fez — alegremo-nos e nos regozijemos nele.
યહોવાહની કૃપાને લીધે આપણે નાશ પામ્યા નથી, કેમ કે તેમની દયાનો કદી અંત નથી!
દરરોજ સવારે તમારી કૃપા નવી થાય છે, તમારું વિશ્વાસુપણું મહાન છે!
મારો જીવ કહે છે, "યહોવાહ મારો હિસ્સો છે;" તેથી હું તેમનામાં મારી આશા મૂકું છું.
યહોવાહની કૃપાને લીધે આપણે નાશ પામ્યા નથી, કેમ કે તેમની દયાનો કદી અંત નથી!
દરરોજ સવારે તમારી કૃપા નવી થાય છે, તમારું વિશ્વાસુપણું મહાન છે!
આ દિવસ યહોવાહે આપણને આપ્યો છે;
તેમાં આપણે આનંદોત્સવ કરીએ.
હે યહોવાહના વિશ્વાસુ ભક્તો, તેમનાં સ્તોત્ર ગાઓ! તેમના પવિત્ર નામની આભારસ્તુતિ કરો.
તેમનો કોપ તો કેવળ ક્ષણિક છે; પણ તેમની કૃપા જીવનભર છે.
રુદન રાત પર્યંત રહે છે, પણ સવારમાં હર્ષાનંદ થાય છે.
તેમનો કોપ તો કેવળ ક્ષણિક છે; પણ તેમની કૃપા જીવનભર છે.
રુદન રાત પર્યંત રહે છે, પણ સવારમાં હર્ષાનંદ થાય છે.
પૃથ્વીની સરહદના રહેનારાઓ પણ તમારાં અદ્દભુત કાર્યોથી બીએ છે;
તમે પૂર્વ તથા પશ્ચિમ દિશાના લોકોને પણ આનંદમય કરો છો.
સવારે અમને તમારી કૃપાથી ભરી દો,
કે જેથી અમે અમારા સર્વ દિવસો હર્ષ તથા આનંદમાં ગુજારીએ.
Louvor matinal
Saciai-nos de manhã com a tua benignidade. Todo dia te louvarei e celebrarei o teu nome para sempre.
સર્વસમર્થ પ્રભુનું યશોગાન
હે મારા ઈશ્વર, મારા રાજા, હું તમને મોટા માનીશ;
હું સદા તમારા નામની સ્તુતિ કરીશ.
હું પ્રતિદિન તમારી પ્રશંસા કરીશ;
સદા હું તમારા નામની સ્તુતિ કરીશ.
સ્તુતિગાન
યહોવાહની સ્તુતિ કરવી
અને હે પરાત્પર તમારા નામનાં સ્તોત્ર ગાવાં, તે સારું છે.
સવારે તમારી કૃપા
અને રાત્રે તમારું વિશ્વાસુપણું પ્રગટ કરો.
ઈશ્વર:સર્વોચ્ચ રાજા
યહોવાહની આગળ નવું ગીત ગાઓ;
આખી પૃથ્વી, યહોવાહની આગળ ગાઓ.
યહોવાહની આગળ ગાઓ, તેમના નામની પ્રશંસા કરો;
તેમના દ્વારા મળતો ઉદ્ધાર દિનપ્રતિદિન પ્રગટ કરો.
વિદેશીઓમાં તેમનો મહિમા પ્રગટ કરો,
સર્વ લોકોમાં તેમના ચમત્કાર, જાહેર કરો.
તમારા નિયમો પર હું કેટલો બધો પ્રેમ રાખું છું!
હું આખો દિવસ તેમના વિષે મનન કરું છું.
દિવસે યહોવાહ પોતાના કરારના વિશ્વાસુપણાની વાત કરતા;
અને રાત્રે હું તેમનાં સ્તુતિગીત ગાતો,
એટલે મારા જીવનદાતા ઈશ્વરની પ્રાર્થના કરતો.
હે યહોવાહ, અમારા પર કૃપા કરો, અમે તમારી વાટ જોયા કરીએ છીએ;
દર સવારે તમે અમારો ભુજ અને દુઃખના સમયે અમારા ઉદ્ધારનાર થાઓ.
પ્રભુનો આજ્ઞાધીન સેવક
હું થાકેલાઓને આશ્વાસનના શબ્દો બોલી શકું માટે,
પ્રભુ યહોવાહે મને શીખેલાની જીભ આપી છે.
તે દર સવારે મને જગાડે છે અને મારા કાનને ઉઘાડે છે કે હું શીખેલાની જેમ સાંભળું.
Graça para o novo dia
O Senhor te abençoe e te guarde. Cada novo dia é oportunidade de viver sob a graça do Deus que nos ama.
યહોવાહ તને આશીર્વાદ આપો અને તારું રક્ષણ કરો.
યહોવાહ પોતાના મુખનો પ્રકાશ તારા પર પાડો અને તારા પર કૃપા કરો.
યહોવાહ પોતાનું મુખ તારા પર ઉઠાવો અને તને શાંતિ આપો.’"
સવારમાં બી વાવ;
અને સાંજે તારો હાથ પાછો ખેંચી લઈશ નહિ;
કારણ કે આ સફળ થશે કે, તે સફળ થશે,
અથવા તે બન્ને સરખી રીતે સફળ થશે તે તું જાણતો નથી.
ઘરનાં સર્વને માટે ખાવાનું તૈયાર કરવા તે પરોઢ થતાં પહેલાં ઊઠી જાય છે
અને તેની દાસીઓ માટે દિવસભરના કામનું આયોજન કરે છે.
ઊંઘ સાથે પ્રીત કરીશ નહિ, રખેને તું દરિદ્રાવસ્થામાં આવી પડે;
તારી આંખો ઉઘાડ એટલે તું અન્નથી તૃપ્ત થશે.
ઈશ્વરે અજવાળું જોયું કે તે સારું છે. તેમણે અજવાળું તથા અંધારું અલગ કર્યાં. ઈશ્વરે અજવાળાંને "દિવસ" અને અંધારાને "રાત" કહ્યું. આમ સાંજ થઈ તથા સવાર થઈ, પ્રથમ દિવસ.
અમારી પાસે એથી વધારે ખાતરીપૂર્વક વાત, એટલે પ્રબોધવાણી છે, તેને અંધારી જગ્યામાં પ્રકાશ કરનાર દીવાના જેવી જાણીને તેના પર જ્યાં સુધી પરોઢ થાય અને સવારનો તારો તમારાં અંતઃકરણોમાં ઊગે, ત્યાં સુધી ચિત્ત લગાડવાથી તમે સારું કરશો.
ખ્રિસ્ત આપણે સારુ મરણ પામ્યા, કે જેથી આપણે જાગીએ કે ઊંઘીએ; તેમની સાથે જીવીએ.