O que é bom
O que é bom vem de Deus. A Bíblia celebra a bondade divina e nos convida a discernir, praticar e desfrutar tudo o que é bom — porque toda boa dádiva vem do Pai das luzes.
ઈશ્વરે જે સર્વ ઉત્પન્ન કર્યું તે તેમણે જોયું. તે સર્વોત્તમ હતું. સાંજ થઈ તથા સવાર થઈ, છઠ્ઠો દિવસ.
યહોવાહ ઉત્તમ અને ન્યાયી છે;
તેથી તે પાપીઓને સાચા માર્ગ વિષે શીખવશે.
પણ ઈશ્વર પાસે આવવું, તેમાં મારું ભલું છે.
મેં પ્રભુ યહોવાહને મારો આશ્રય કર્યો છે.
હું તમારાં સર્વ કૃત્યો પ્રગટ કરીશ.
સ્તુતિગાન
યહોવાહની સ્તુતિ કરવી
અને હે પરાત્પર તમારા નામનાં સ્તોત્ર ગાવાં, તે સારું છે.
સવારે તમારી કૃપા
અને રાત્રે તમારું વિશ્વાસુપણું પ્રગટ કરો.
દશ તારવાળાં વાજાં સાથે
અને સિતાર સાથે વીણાના મધુર સ્વરથી તેમની સ્તુતિ કરો.
કારણ કે યહોવાહ ઉત્તમ છે; તેમની કૃપા સર્વકાળ
અને તેમનું ન્યાયીપણું પેઢી દરપેઢી ટકી રહે છે.
કુટુંબમાં સંપનો મહિમા
ભાઈઓ એકતામાં રહે
તે કેવું સારું તથા શોભાયમાન છે!
હું તમને ઉત્તમ બોધ આપું છું;
મારા શિક્ષણનો ત્યાગ કરશો નહિ.
પોતાના મુખે આપેલા ઉત્તરથી વ્યક્તિ ખુશ થાય છે;
અને યોગ્ય સમયે બોલાયેલો શબ્દ કેટલો સરસ લાગે છે!
મારા દીકરા, મધ ખા કેમ કે તે ગુણકારી છે,
મધનું ચાકું પણ ખા, કેમ કે તેનો સ્વાદ તને મીઠો લાગે છે.
ખરેખર ડહાપણ તારા આત્માને માટે છે,
જો તને તે મળ્યું હોય, તો તને તેનું પ્રતિફળ મળશે
અને તારી આશા વ્યર્થ જશે નહિ.
બુદ્ધિ વારસા જેવી ઉત્તમ છે
અને સૂર્ય જોનારાઓ માટે તે વધુ ઉત્તમ છે.
જેઓ તેમની રાહ જુએ છે અને જે માણસ તેમને શોધે છે તેઓ પ્રત્યે યહોવાહ ભલા છે.
યહોવાહના ઉદ્ધારની આશા રાખવી અને શાંતિથી તેમના આવવાની રાહ જોવી તે સારું છે.
હે મનુષ્ય, તેણે તને જણાવ્યું છે,
કે સારું શું છે;
ન્યાયથી વર્તવું,
દયાભાવ રાખવો,
તથા તારા ઈશ્વર સાથે નમ્રતાથી ચાલવું,
યહોવાહ તારી પાસે બીજું શું માગે છે.
તે માટે નિયમશાસ્ત્ર તો પવિત્ર છે અને આજ્ઞા પવિત્ર, ન્યાયી તથા હિતકારી છે.
આ જગતનું રૂપ તમે ન ધરો; પણ તમારાં મનથી નવીનતાને યોગે તમે પૂર્ણ રીતે પરિવર્તન પામો, જેથી ઈશ્વરની સારી, માન્ય તથા સંપૂર્ણ ઇચ્છા શી છે, તે તમે જાણી શકો.
તેથી તમારું જે સારું છે તે વિષે ખોટું બોલાય એવું થવા ન દો.
મંડળીની સેવાની વ્યવસ્થા
હવે સર્વ પ્રથમ હું એવો બોધ કરું છું કે, વિનંતી, પ્રાર્થના, મધ્યસ્થી તથા આભારસ્તુતિ સઘળાં માણસોને માટે કરવામાં આવે; રાજાઓ અને સર્વ અધિકારીઓને માટે પણ કરવામાં આવે જેથી આપણે શાંત તથા નિરાંતનું જીવન પૂર્ણ ઈશ્વરમય તથા સન્માનપૂર્વક જીવીએ. કેમ કે ઈશ્વર આપણા ઉદ્ધારકર્તાની દ્રષ્ટિએ તે સારું તથા સ્વીકાર્ય છે.
ઈશ્વરનું સર્વ સર્જન સારું છે તેથી આભારસ્તુતિ સાથે સ્વીકારવું, કશું જ નકારવું નહિ કેમ કે ઈશ્વરના વચન તથા પ્રાર્થનાથી તે પવિત્ર કરાયું છે.
દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન ઉપરથી હોય છે અને પ્રકાશોના પિતા જેમનાંમાં પરિવર્તન થતું નથી, તેમ જ જેમનાંમાં ફરવાથી પડતો પડછાયો પણ નથી, તેમની પાસેથી ઊતરે છે.
મીઠું તો સારું છે; પણ જો મીઠું સ્વાદ વગરનું થયું હોય, તો તેને શાથી ખારું કરાશે? પોતાનામાં મીઠું રાખો, અને એકબીજા સાથે સંપ રાખો.