Coração puro
Bem-aventurados os puros de coração, porque verão a Deus. A pureza de coração é alvo, privilégio e busca constante do cristão que deseja contemplar a face do Senhor.
Coração puro
Bem-aventurados os puros de coração. A pureza interior precede toda transformação externa e abre os olhos para ver a Deus.
મનમાં જેઓ શુદ્ધ છે તેઓ આશીર્વાદિત છે;
કેમ કે તેઓ ઈશ્વરને જોશે.
યહોવાહના પર્વત પર કોણ ચઢી શકશે?
તેમના પવિત્રસ્થાનમાં કોણ પ્રવેશ કરશે?
જેના હાથ શુદ્ધ છે અને જેનું હૃદય પવિત્ર છે;
જેણે પોતાનું મન અસત્યમાં લગાડ્યું નથી
અને જે જૂઠા સમ ખાતો નથી તે જ ઊભો રહી શકશે.
તે યહોવાહનો આશીર્વાદ પ્રાપ્ત કરશે
અને પોતાના ઉદ્ધાર કરનાર ઈશ્વરથી ન્યાયીપણું પામશે.
મારાં પાપ તરફ નજર ન કરો
અને મારા સર્વ અન્યાય ક્ષમા કરો.
હે ઈશ્વર, મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કરો
અને મારા આત્માને નવો અને દ્રઢ કરો.
મને તમારી સંમુખથી દૂર ન કરો
અને તમારો પવિત્ર આત્મા મારી પાસેથી લઈ લેશો નહિ.
ઈશ્વરનો અદલ ઇનસાફ
ઇઝરાયલ કે, જેઓનાં હૃદય શુદ્ધ છે,
તેઓના પર, ઈશ્વર ખરેખર પરોપકારી છે.
Purificar-se
Todo o que tem essa esperança em Cristo se purifica. O amor procede de coração puro, boa consciência e fé sincera.
જે દરેકને એવી આશા છે, તે જેમ તેઓ શુદ્ધ છે તેમ પોતાને શુદ્ધ કરે છે.
પ્રિયો, હાલ આપણે ઈશ્વરનાં સંતાનો છીએ અને આપણે કેવાં થઈશું, તે હજી સુધી પ્રગટ થયું નથી. આપણે તો જાણીએ છીએ, કે જયારે ખ્રિસ્ત પ્રગટ થશે, ત્યારે તેમના જેવા આપણે થઈશું, કેમ કે જેવા તે છે, તેવા જ આપણે તેમને જોઈશું. જે દરેકને એવી આશા છે, તે જેમ તેઓ શુદ્ધ છે તેમ પોતાને શુદ્ધ કરે છે.
આ આજ્ઞાનો મુખ્ય હેતુ પ્રેમ છે કે જે શુદ્ધ હૃદય, સારા અંતઃકરણ તથા ઢોંગ વગરના વિશ્વાસથી છે,
વળી જુવાનીના આવેગથી નાસી જા, પણ પ્રભુનું નામ શુદ્ધ હૃદયથી લેનારાઓની સાથે ન્યાયીપણું, વિશ્વાસ, પ્રેમ તથા શાંતિ પ્રાપ્ત કરવાને યત્ન કર.
વળી હું એવી પ્રાર્થના કરું છું કે, જ્ઞાનમાં તથા સર્વ વિવેકબુદ્ધિમાં તમારો પ્રેમ ક્રમે ક્રમે વધતો જાય; જેથી જે શ્રેષ્ઠ છે તે તમે પારખી લો અને એમ તમે ખ્રિસ્તનાં દિવસ સુધી નિષ્કલંક તથા નિર્દોષ થાઓ; વળી ઈશ્વરની સ્તુતિ તથા મહિમા વધે તે માટે ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયીપણાનાં ફળોથી તમે ભરપૂર થાઓ.
બડબડાટ તથા તકરાર વગર બધું કરો કે, જેથી કુટિલ તથા આડી પ્રજા મધ્યે તમે નિર્દોષ તથા સાલસ, ઈશ્વરનાં નિષ્કલંક સંતાન, જીવનનું વચન પ્રગટ કરીને દુનિયામાં જ્યોતિઓ તરીકે પ્રકાશો. જેથી ખ્રિસ્તનાં સમયમાં મને ગર્વ કરવાનું એવું કારણ મળે કે હું નિરર્થક દોડ્યો નથી અને મેં વ્યર્થ શ્રમ કર્યો નથી.
તમે સત્યને આધીન રહીને ભાઈ પરના નિષ્કપટ પ્રેમને માટે તમારાં મનને પવિત્ર કર્યા છે, માટે શુદ્ધ હૃદયથી એકબીજા પર આગ્રહથી પ્રેમ કરો.
માણસના સર્વ માર્ગો તેની પોતાની નજરમાં તો ચોખ્ખા છે,
પણ યહોવાહ તેઓનાં મનની તુલના કરે છે.