Coração
O coração é o centro do ser humano — sede dos pensamentos, emoções e decisões. A Bíblia ensina a guardar, purificar e render o coração a Deus como oferta viva.
Guardar o coração
Sobre tudo o que se deve guardar, guarda o teu coração, porque dele procedem as fontes da vida e de toda decisão.
પૂર્ણ ખંતથી તારા હૃદયની સંભાળ રાખ,
કારણ કે તેમાંથી જ જીવનનો ઉદ્દભવ છે.
પૂર્ણ ખંતથી તારા હૃદયની સંભાળ રાખ,
કારણ કે તેમાંથી જ જીવનનો ઉદ્દભવ છે.
તારા પૂર્ણ હૃદયથી યહોવાહ પર ભરોસો રાખ
અને તારી પોતાની સમજણ પર આધાર રાખીશ નહિ.
તારા પૂર્ણ હૃદયથી યહોવાહ પર ભરોસો રાખ
અને તારી પોતાની સમજણ પર આધાર રાખીશ નહિ.
તારા સર્વ માર્ગોમાં પ્રભુનો અધિકાર સ્વીકાર
અને તે તારા માર્ગો સીધા કરશે.
મારા દીકરા, મારી આજ્ઞાઓ ભૂલી ન જા
અને તારા હૃદયમાં મારા શિક્ષણને સંઘરી રાખજે;
કેમ કે તે તને દીર્ઘાયુષ્ય, આવરદાના વર્ષો
અને શાંતિની વૃદ્ધિ આપશે.
કૃપા તથા સત્યતા તારો ત્યાગ ન કરો,
તેઓને તું તારા ગળે બાંધી રાખજે,
તેઓને તારા હૃદયપટ પર લખી રાખજે.
તેથી તું ઈશ્વર તથા માણસની દૃષ્ટિમાં
કૃપા તથા સુકીર્તિ પામશે.
હૃદયની શાંતિ શરીરનું જીવન છે;
પણ ઈર્ષ્યા હાડકાનો સડો છે.
જ્ઞાની હૃદયવાળો આજ્ઞાઓનો સ્વીકાર કરશે,
પણ લવરી કરનારો મૂર્ખ પાયમાલ થશે.
Coração puro
Cria em mim um coração puro, ó Deus. Ensina-me a contar meus dias para que tenha um coração sábio.
હે ઈશ્વર, મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કરો
અને મારા આત્માને નવો અને દ્રઢ કરો.
હે ઈશ્વર, મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કરો
અને મારા આત્માને નવો અને દ્રઢ કરો.
તમે અમને અમારું જીવન એવી રીતે ગણવાને શીખવો
કે જેથી અમને ડહાપણવાળું હૃદય પ્રાપ્ત થાય.
હે યહોવાહ, મારા ખડક તથા મારા ઉદ્ધારનાર
મારા મુખના શબ્દો તથા મારા હૃદયના વિચારો
તમારી આગળ માન્ય થાઓ.
જે સર્વ યહોવાહ પર મદદને માટે ભરોસો રાખે છે,
તે બળવાન તથા હિંમતવાન થાઓ.
પછી તું યહોવાહમાં આનંદ કરીશ
અને તે તારા હૃદયની ઇચ્છાઓ પૂરી પાડશે.
તે તારા હૃદયની ઇચ્છા પ્રમાણે આપો
અને તારી સર્વ યોજનાઓ પૂરી કરો.
જેઓ તેમનાં સાક્ષ્ય પાળે છે તેઓ આશીર્વાદિત છે,
તેઓ પૂર્ણ હૃદયથી તેમને શોધે છે.
જ્યારે હું તમારા ન્યાયી સાક્ષ્યો શીખીશ
ત્યારે હું મારા શુદ્ધ અંતઃકરણથી તમારો આભાર માનીશ.
મેં મારા ખરા હૃદયથી તમને શોધ્યા છે;
તમારી આજ્ઞાઓથી ચૂકીને મને ભટકવા ન દો.
Buscar a Deus de coração
Amarás ao Senhor teu Deus de todo o coração. A busca sincera leva ao encontro; o coração dividido leva à ruína.
ત્યારે ઈસુએ તેને કહ્યું કે, "પ્રભુ તારા ઈશ્વર પર તું તારા પૂરા હૃદયથી, તારા પૂરા જીવથી તથા તારા પૂરા મનથી પ્રેમ કર.’
ત્યારે ઈસુએ તેને કહ્યું કે, "પ્રભુ તારા ઈશ્વર પર તું તારા પૂરા હૃદયથી, તારા પૂરા જીવથી તથા તારા પૂરા મનથી પ્રેમ કર.’
કેમ કે જ્યાં તમારું દ્રવ્ય છે, ત્યાં જ તમારું ચિત્ત પણ રહેશે.
કેમ કે હું તમને નિશ્ચે કહું છું કે, ‘જે કોઈ આ પર્વતને કહે કે ખસેડાઈ જા અને સમુદ્રમાં પડ. અને પોતાના હૃદયમાં સંદેહ ન રાખતાં વિશ્વાસ રાખશે કે, હું જે કહું છું તે થશે, તો તે તેને માટે થશે.
હૃદય સૌથી કપટી છે, તે અતિશય દુષ્ટ છે; તેને કોણ જાણી શકે?
હૃદય સૌથી કપટી છે, તે અતિશય દુષ્ટ છે; તેને કોણ જાણી શકે?
હું યહોવાહ મનમાં શું છે તે શોધી કાઢું છું, હું અંત:કરણને પારખું છું.
દરેકને હું તેના આચરણ તથા કરણીઓ પ્રમાણે બદલો આપું છું.
તમે મને શોધશો અને ખરા હૃદયથી મને શોધશો તો મને પામશો.
હવે જે આજ્ઞા તથા નિયમ યહોવાહનાં સેવક મૂસાએ તમને આપ્યા હતા તેને, એટલે કે પોતાના યહોવાહ, પ્રભુ પર પ્રેમ કરવો, તેમના સર્વ માર્ગોમાં ચાલવું, તેમની આજ્ઞાઓ પાળવી, તેમને વળગી રહેવું, પોતાના સંપૂર્ણ હૃદયથી અને પોતાના સંપૂર્ણ જીવથી તેમની સેવા કરવી, તે સર્વ તમે કાળજીપૂર્વક ધ્યાનથી પાળો."
હું તેઓને એક હૃદય આપીશ, જયારે તેઓ મારી પાસે આવશે ત્યારે હું તેઓમાં નવો આત્મા મૂકીશ, હું તેઓના દેહમાંથી પથ્થરનું હૃદય લઈને, તેઓને માંસનું હૃદય આપીશ,
હું તમને નવું હૃદય આપીશ, તમારામાં હું નવો આત્મા મૂકીશ. હું તમારામાંથી પથ્થર સમાન હૃદય દૂર કરીશ કેમ કે હું તમને માંસનું હૃદય આપીશ.
Conhecer o coração
O homem olha para a aparência, mas o Senhor olha para o coração. Deus conhece os segredos mais profundos.
પણ ઈશ્વરે શમુએલને કહ્યું કે, "તેના બહારના દેખાવ તરફ તથા તેના શરીરની ઊંચાઈ તરફ ન જો; કેમ કે મેં તેને નાપસંદ કર્યો છે. જેમ માણસ જુએ છે તેમ ઈશ્વર જોતાં નથી; માણસ બહારના દેખાવ તરફ જુએ છે, પણ ઈશ્વર હૃદય તરફ જુએ છે."
પણ ઈશ્વરે શમુએલને કહ્યું કે, "તેના બહારના દેખાવ તરફ તથા તેના શરીરની ઊંચાઈ તરફ ન જો; કેમ કે મેં તેને નાપસંદ કર્યો છે. જેમ માણસ જુએ છે તેમ ઈશ્વર જોતાં નથી; માણસ બહારના દેખાવ તરફ જુએ છે, પણ ઈશ્વર હૃદય તરફ જુએ છે."
જેમ માણસના ચહેરાની પ્રતિમા પાણીમાં પડે છે,
તેવી જ રીતે એક માણસના હૃદયનું પ્રતિબિંબ બીજા માણસ પર પડે છે.
આનંદી હૃદય એ ઉત્તમ ઔષધ છે,
પણ ઘાયલ થયેલું મન હાડકાંને સૂકવી નાખે છે.
તારાં કામો યહોવાહને સોંપી દે
એટલે તારી યોજનાઓ સફળ થશે.
તમારો શણગાર બાહ્ય, એટલે ગૂંથેલા વાળનો, સોનાનાં ઘરેણાંનો અથવા સારાં વસ્ત્ર પહેરવાનો ન હોય; પણ અંતઃકરણમાં રહેલા ગુપ્ત મનુષ્યત્વનો, એટલે નમ્ર તથા શાંત આત્માનો, જે ઈશ્વરની નજરમાં ઘણો મૂલ્યવાન છે, તેના અવિનાશી આભૂષણોનો હોય.
જેમ દરેકે પોતાના હૃદયમાં અગાઉથી નક્કી કર્યું છે, તે પ્રમાણે તેણે આપવું; પરાણે નહિ, ફરજિયાત પણ નહિ; કેમ કે ખુશીથી આપનારને ઈશ્વર ચાહે છે.
પણ ઈશ્વરનો આભાર કે તમે પાપના દાસ હોવા છતાં જે બોધ તમને કરવામાં આવ્યો, તે તમે હૃદયપૂર્વક સ્વીકાર્યો.
એ સારુ કે જયારે આપણા પ્રભુ ઈસુ પોતાના સર્વ સંતોની સાથે આવે, ત્યારે ઈશ્વરપિતા સમક્ષ તેઓ તમારા હૃદયોને પવિત્રતામાં નિર્દોષ ઠરાવીને દ્રઢ કરે.
તો જેમ ક્રોધકાળે એટલે અરણ્યમાંના પરીક્ષણના દિવસોમાં તમે પોતાનાં હૃદય કઠણ કર્યા તેમ ન કરો.