Dificuldades
As dificuldades são parte da vida, mas Deus é refúgio certo em todo tempo de angústia. A Bíblia promete que nenhuma adversidade pode separar os filhos de Deus do seu amor.
Deus é refúgio
Deus é nosso refúgio e fortaleza, socorro bem presente nas angústias. Nada poderá nos separar do amor de Cristo.
પ્રભુ આપણી સાથે છે
ઈશ્વર આપણો આશ્રય તથા સામર્થ્ય છે,
સંકટને સમયે તે હાજરહજૂર મદદગાર છે.
માટે જો પૃથ્વી ઊથલપાથલ થાય
જો પર્વતો સમુદ્રમાં ડૂબી જાય, તોપણ આપણે બીહીએ નહિ.
જો તેનું પાણી ગર્જના કરે તથા વલોવાય
જો તેના ઊછળવાથી પર્વતો કાંપી ઊઠે, તોપણ આપણે બીહીએ નહિ. સેલાહ.
હું યહોવાહ વિષે કહીશ કે, "તે મારા આશ્રય અને ગઢ છે,
એ જ મારા ઈશ્વર છે, તેમના પર હું ભરોસો રાખું છું."
હે લોકો, તમે સર્વ સમયે તેમના પર ભરોસો રાખો;
તેમની આગળ તમારું હૃદય ખુલ્લું કરો;
ઈશ્વર આપણો આશ્રય છે. સેલાહ
વળી યહોવાહ હેરાન થયેલા લોકોને કિલ્લારૂપ થશે,
તે સર્વ સંકટસમયે ગઢ થશે.
જેઓ તમારું નામ જાણે છે, તેઓ તમારા પર ભરોસો રાખશે,
કારણ કે, હે યહોવાહ, તમે તમારા શોધનારને તરછોડ્યા નથી.
સમુદ્રના ગર્વ પર તમે અધિકાર ચલાવો છો;
જ્યારે તેનાં મોજાંઓ ઊછળે છે, ત્યારે તેઓને તમે શાંત પાડો છો.
ઘણા પાણીઓના ખળખળાટ કરતાં,
સમુદ્રનાં પરાક્રમી મોજાં કરતાં,
યહોવાહ પરમ ઊંચામાં પરાક્રમી છે.
તેમણે તોફાનને શાંત કર્યાં
અને મોજાં શાંત થયાં.
ખ્રિસ્તનાં પ્રેમથી આપણને કોણ અલગ કરશે? શું વિપત્તિ, કે વેદના, કે સતાવણી, કે દુકાળ, કે નિ:વસ્ત્રતા, કે જોખમ, કે તલવાર? જેમ લખ્યું છે કે, ‘તારે લીધે અમે આખો દિવસ માર્યા જઈએ છીએ, કપાવાનાં ઘેટાંના જેવા અમે ગણાયેલા છીએ.’"
તોપણ જેમણે આપણને પ્રેમ કર્યો, તેના દ્વારા આપણે એ બધાં સંબંધી વિશેષ જય પામીએ છીએ. કેમ કે મને ખાતરી છે, કે ઈશ્વરનો જે પ્રેમ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે, તેનાથી આપણને મરણ, જીવન, સ્વર્ગદૂતો, અધિકારીઓ, વર્તમાનનું, ભવિષ્યનું, પરાક્રમીઓ, ઊંચાણ, ઊંડાણ, કે કોઈ પણ બીજી સૃજેલી વસ્તુ અલગ કરી શકશે નહિ.
Provisão nas dificuldades
O Senhor provê mesmo nos tempos mais difíceis. Ele sustentou Elias, protegeu Israel e cuida dos seus com fidelidade eterna.
યહોવાહ પોતાનું જે વચન એલિયા મારફતે બોલ્યા હતા તે પ્રમાણે માટલીમાંનો લોટ તથા કૂંડીમાંનું તેલ ખૂટી ગયું નહિ.
તેમણે આચ્છાદનને માટે વાદળું પ્રસાર્યું
અને રાત્રે પ્રકાશ આપવા માટે અગ્નિસ્તંભ આપ્યો.
ઇઝરાયલીઓએ ખોરાક માગ્યો, તો તેમણે લાવરીઓ આપી
અને આકાશમાંની રોટલીઓથી તેઓને તૃપ્ત કર્યા.
તેમણે ખડક તોડ્યો એટલે ત્યાં પાણી નીકળ્યું;
તે નદી થઈને સૂકી ભૂમિમાં વહેવા લાગ્યું.
હું જુવાન હતો અને હવે હું વૃદ્ધ થયો છું;
પણ ન્યાયીને તજેલો કે તેનાં સંતાનને ભીખ માગતાં મેં કદી જોયાં નથી.
યહોવાહ ન્યાયીઓની જિંદગીના સર્વ પ્રસંગો જાણે છે
અને તેઓનો વારસો સર્વ કાળ ટકી રહેશે
જ્યારે તેઓનો સમય ખરાબ હોય છે, ત્યારે પણ તેઓ શરમાતા નથી.
જ્યારે દુકાળ આવે, ત્યારે પણ તેઓ તૃપ્ત થશે.
કેમ કે હું તરસી ભૂમિ પર પાણી રેડીશ અને સૂકી ભૂમિ પર ધારાઓ વહાવીશ;
હું તારાં સંતાન ઉપર મારો આત્મા તથા તારા વંશજો પર મારો આશીર્વાદ રેડીશ.
જ્યારે દુષ્ટ લોકોનો વિસ્ફોટ કોટ પરના તોફાન જેવો થશે,
ત્યારે તમે ગરીબોના રક્ષક, સંકટ સમયે દીનોના આધાર,
તોફાનની સામે આશ્રય અને તડકાની સામે છાયા થશો.
તે દિવસે તે તાપથી છાયા તરીકે અને તોફાન તથા વરસાદથી રક્ષણ કરનાર તથા આશ્રયસ્થાન થશે.
જ્યારે તું પાણીમાં થઈને જઈશ, ત્યારે હું તારી સાથે હોઈશ; અને તું નદીઓમાં થઈને જઈશ, ત્યારે તેઓ તને ડુબાડશે નહિ.
જ્યારે તું અગ્નિમાં ચાલીશ, ત્યારે તને આંચ લાગશે નહિ અને જ્વાળા તને બાળશે નહિ.
Força nas provas
Em tudo somos atribulados, mas não esmagados. O Senhor é bom e é fortaleza no dia da angústia — Ele conhce os seus.
સર્વ પ્રકારે અમે વિપત્તિ પામેલા હોવા છતાં દબાયેલા નથી; હેરાન થયા છતાં નિરાશ થયેલા નથી; સતાવાયેલા છીએ પણ ત્યજાયેલા નથી; નીચે પટકાયેલા છીએ પણ નાશ પામેલા નથી;
યહોવાહ સારા છે; સંકટના સમયમાં તે ગઢરૂપ છે; તેમના પર ભરોસો રાખનારને તે ઓળખે છે.
તેમણે ગાઢ વાદળામાં પાણી ભર્યું છે
અને છતાં પાણીના ભારથી વાદળ ફાટતાં નથી.
ઈશ્વર ચંદ્રના મુખને ઢાંકી દે છે.
તે તેના પર વાદળાંઓ પાથરી અને સંતાડી દે છે.
તેમણે પાણીની સપાટી પર હદ ઠરાવી છે,
પ્રકાશ તથા અંધકારની સરહદો પણ નક્કી કરી છે.
જીભના તીક્ષ્ણ મારથી તે તારું રક્ષણ કરશે.
અને આફતની સામે પણ તું નિર્ભય રહીશ.
પછી ઈસુ તેઓને કહ્યું કે, "ઓ અલ્પવિશ્વાસીઓ, તમે શા માટે ભયભીત થયા છો?" પછી તેમણે ઊઠીને પવનને તથા સમુદ્રને ધમકાવ્યાં; અને મહાશાંતિ થઈ. ત્યારે તે માણસોએ આશ્ચર્ય પામીને કહ્યું કે, "એ કયા પ્રકારના માણસ છે કે પવન તથા સમુદ્ર પણ તેમનું માને છે?"
એ માટે ખેતરનું ઘાસ જે આજે છે અને કાલે ભઠ્ઠીમાં નંખાય છે, તેને જો ઈશ્વર એવું પહેરાવે છે, તો, ઓ અલ્પવિશ્વાસીઓ, તમને શું તેથી વિશેષ નહિ પહેરાવે? માટે ‘અમે શું ખાઈશું?’, ‘શું પીશું?’ અથવા ‘શું પહેરીશું?’ એમ કહેતાં ચિંતા ન કરો.
સ્ત્રી અરણ્યમાં નાસી ગઈ. ત્યાં ઈશ્વરે તેને માટે બારસો સાંઠ દિવસ સુધી તેનું પોષણ થાય એવું સ્થળ તૈયાર કરી રાખ્યું હતું.
જુઓ, સર્પો તથા વીંછીઓ અને દુશ્મનની બધી શક્તિ પર મેં તમને અધિકાર આપ્યો છે; કશાથી પણ તમને ઈજા થશે નહિ.