Esperar em Deus
Esperar em Deus não é passividade — é confiança ativa no Senhor que age no tempo perfeito. Os que esperam nele não serão confundidos nem envergonhados.
Esperança em Deus
Descanse somente em Deus, ó minha alma, pois dele vem a minha esperança. Ele é rocha e salvação — não serei abalado.
હે મારો આત્મા, તું શાંતિથી ઈશ્વરની રાહ જો;
કેમ કે મારી આશા તેમના પર જ છે.
યહોવાહની આગળ શાંત થા અને ધીરજથી તેમની રાહ જો.
જે પોતાના માર્ગે આબાદ થાય છે
અને કુયુક્તિઓથી ફાવી જાય છે, તેને લીધે તું ખીજવાઈશ નહિ.
દુષ્કર્મીઓનો વિનાશ થશે,
પણ જેઓ યહોવાહ પર ભરોસો રાખે છે, તેઓ દેશનું વતન પામશે.
યહોવાહની રાહ જુઓ અને તેના માર્ગને અનુસરો
અને દેશનો વારસો પામવાને તે તને મોટો કરશે.
જ્યારે દુષ્ટ લોકોનો નાશ થતો હશે, ત્યારે તું તે જોશે.
સ્તુતિ ગાન
મેં ધીરજથી યહોવાહની રાહ જોઈ;
તેમણે મારી વિનંતી સાંભળી અને મને ઉત્તર આપ્યો.
હું યહોવાહની રાહ જોઈશ, મારો આત્મા રાહ જોશે
અને તેમના વચનમાં હું આશા રાખું છું.
સવારની રાહ જોનાર ચોકીદાર કરતાં
મારો આત્મા પ્રભુની રાહ વધારે જુએ છે.
જેઓ તમારામાં આશા રાખે છે તેઓમાંનો કોઈ શરમાશે નહિ,
પણ જેઓ વગર કારણે કપટ કરે છે તેઓ બદનામ થશે!
હે યહોવાહ હું નિશ્ચે તમારી રાહ જોઈશ;
હે પ્રભુ, મારા ઈશ્વર, તમે મને ઉત્તર આપશો.
યહોવાહની રાહ જો;
બળવાન થા અને હિંમત રાખ!
હા, યહોવાહની રાહ જો!
Confiança na espera
O Senhor é bom para os que esperam nele. O olho não viu o que Deus preparou para os que o amam e o aguardam.
પણ યહોવાહની રાહ જોનાર નવું સામર્થ્ય પામશે; તેઓ ગરુડની જેમ પાંખો પ્રસારશે;
તેઓ દોડશે અને થાકશે નહિ, તેઓ આગળ ચાલશે અને નિર્બળ થશે નહિ.
હે યહોવાહ, અમારા પર કૃપા કરો, અમે તમારી વાટ જોયા કરીએ છીએ;
દર સવારે તમે અમારો ભુજ અને દુઃખના સમયે અમારા ઉદ્ધારનાર થાઓ.
આદિકાળથી કોઈએ સાંભળ્યું નથી કે માનવામાં આવ્યું નથી,
કે કોઈ આંખે તમારા સિવાય બીજા કોઈ ઈશ્વરને જોયો નથી, કે જે તેમની રાહ જોનારને માટે એવું કરે.
"હું દુષ્ટતાનો બદલો લઈશ!" એવું તારે ન કહેવું જોઈએ;
યહોવાહની રાહ જો અને તે તને ઉગારી લેશે.
ધીરજ અને પ્રાર્થના
ભાઈઓ, પ્રભુના આવતાં સુધી તમે ધીરજ રાખો; જુઓ, ખેડૂત ભૂમિના મૂલ્યવાન ફળની રાહ જુએ છે અને પહેલો તથા છેલ્લો વરસાદ થાય ત્યાં સુધી તે ધીરજ રાખે છે. તમે પણ, ધીરજ રાખો અને મન દ્રઢ રાખો, કેમ કે પ્રભુનું આગમન હાથવેંતમાં છે.
અને અનંતજીવનને અર્થે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની દયાની વાટ જોઈને, ઈશ્વરના પ્રેમમાં પોતાને સ્થિર રાખો.
પણ આપણા માટે તો, ‘આપણી નાગરિકતા સ્વર્ગમાં છે, ત્યાંથી પણ આપણે ઉદ્ધારકર્તા એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની રાહ જોઈએ છીએ.