Esperar no Senhor
Esperar no Senhor é ato de fé e confiança. A Bíblia promete que os que esperam em Deus renovam as forças, recebem direção e experimentam a fidelidade divina no tempo certo.
Renovar as forças
Os que esperam no Senhor renovam as forças. Sobem como águias, correm e não se cansam, caminham e não se fatigam.
પણ યહોવાહની રાહ જોનાર નવું સામર્થ્ય પામશે; તેઓ ગરુડની જેમ પાંખો પ્રસારશે;
તેઓ દોડશે અને થાકશે નહિ, તેઓ આગળ ચાલશે અને નિર્બળ થશે નહિ.
તે માટે યહોવાહ તમારા પર દયા કરવાની રાહ જોશે. તેથી તમારા પર કૃપા કરવા માટે તે ઉચ્ચસ્થાને બેસશે.
કેમ કે યહોવાહ ન્યાયના ઈશ્વર છે; જેઓ તેમની વાટ જુએ છે તેઓ સર્વ પરમસુખી છે.
યહોવાહની રાહ જો;
બળવાન થા અને હિંમત રાખ!
હા, યહોવાહની રાહ જો!
આ જીવનમાં હું યહોવાહની દયાનો અનુભવ કરીશ,
એવો જો મેં વિશ્વાસ કર્યો ન હોત તો હું નિર્બળ થઈ જાત!
યહોવાહની રાહ જો;
બળવાન થા અને હિંમત રાખ!
હા, યહોવાહની રાહ જો!
સ્તુતિગાન
યહોવાહ મારા ઉદ્ધારનાર તથા પ્રકાશ છે;
હું કોનાથી બીહું?
યહોવાહ મારા જીવનનું સામર્થ્ય છે;
મને કોનો ભય લાગે?
જ્યારે દુરાચારીઓ અને મારા શત્રુઓ મારો સંહાર કરવા આવશે,
ત્યારે તેઓ ઠોકર ખાઈને નીચે પડશે.
જો કે સૈન્ય મારી સામે છાવણી નાખે,
તોપણ હું મનમાં ડરીશ નહિ;
જો કે મારી વિરુદ્ધ યુદ્ધ ઊઠે,
તોપણ હું ઈશ્વર પર ભરોસો રાખીશ.
યહોવાહ પાસે મેં એક વરદાન માગ્યું છે:
કે યહોવાહનું ઘર મારી જિંદગીના સર્વ દિવસો દરમ્યાન મારું નિવાસસ્થાન થાય,
જેથી હું યહોવાહના સૌંદર્યનું અવલોકન કર્યા કરું
અને તેમના પવિત્રસ્થાનમાં તેમનું ધ્યાન ધરું.
કેમ કે સંકટના સમયે તેઓ મને પોતાના મંડપમાં ગુપ્ત રાખશે;
તે પોતાના મંડપને આશ્રયે મને સંતાડશે.
તે મને ખડક પર ચઢાવશે!
પછી મારી આસપાસના શત્રુઓ પર મારું માથું ઊંચું કરવામાં આવશે
અને હું તેમના મંડપમાં હર્ષનાદનાં અર્પણ ચઢાવીશ!
હું ગાઈશ અને યહોવાહનાં સ્તોત્રો ગાઈશ!
હે યહોવાહ, જ્યારે હું વિનંતી કરું, ત્યારે તે સાંભળો!
મારા પર દયા કરીને મને ઉત્તર આપો!
મારું હૃદય તમારા વિષે કહે છે કે,
"તેમનું મુખ શોધો!" હે યહોવાહ, હું તમારું મુખ શોધીશ!
તમે તમારું મુખ મારાથી ફેરવશો નહિ;
કોપ કરીને તમે તમારા સેવકને તજી દેશો નહિ!
તમે મારા સહાયકારી થયા છો;
હે મારા ઉદ્ધારનાર ઈશ્વર, મને દૂર ન કરો અને મને તજી ન દો!
જો કે મારા માતાપિતાએ મને તજી દીધો છે,
તોપણ યહોવાહ મને સંભાળશે.
હે યહોવાહ, મને તમારો માર્ગ શીખવો!
મારા શત્રુઓને લીધે
મને સરળ માર્ગે દોરી જાઓ.
મને મારા શત્રુઓના હાથમાં ન સોંપો,
કારણ કે જૂઠા સાક્ષીઓ તથા જુલમના ફૂંફાડા મારનારા
મારી વિરુદ્ધ ઊઠ્યા છે!
આ જીવનમાં હું યહોવાહની દયાનો અનુભવ કરીશ,
એવો જો મેં વિશ્વાસ કર્યો ન હોત તો હું નિર્બળ થઈ જાત!
યહોવાહની રાહ જો;
બળવાન થા અને હિંમત રાખ!
હા, યહોવાહની રાહ જો!
Espera paciente
Esperei com paciência no Senhor e Ele se inclinou para mim. Confie nele e descanse — Ele agirá no tempo certo.
સ્તુતિ ગાન
મેં ધીરજથી યહોવાહની રાહ જોઈ;
તેમણે મારી વિનંતી સાંભળી અને મને ઉત્તર આપ્યો.
તેમણે મને નાશના ખાડામાંથી તથા ચીકણા કાદવમાંથી ખેંચી કાઢ્યો
અને તેમણે મારા પગ ખડક પર ગોઠવ્યા અને મારાં પગલાં સ્થિર કર્યાં.
તેમણે આપણા ઈશ્વરનું સ્તોત્ર, મારા મુખમાં મૂક્યું છે.
ઘણા તે જોશે અને બીશે
અને યહોવાહ પર ભરોસો રાખશે.
જે માણસ યહોવાહ પર ભરોસો રાખે છે
અને અહંકારીને તથા સત્ય માર્ગથી ફરી જનાર જૂઠાને ગણકારતો નથી, તે આશીર્વાદિત છે.
હે યહોવાહ મારા ઈશ્વર, તમે અમારા માટે આશ્ચર્યકારક કાર્યો કર્યાં છે
અને અમારા સંબંધી તમારા જે વિચારો છે
તે એટલા બધા છે કે તેઓને
તમારી આગળ અનુક્રમે ગણી શકાય પણ નહિ;
જો હું તેઓને જાહેર કરીને તેઓ વિષે બોલું,
તો તેઓ ગણતરીમાં અસંખ્ય છે.
તમને યજ્ઞ તથા ખાદ્યાર્પણની અપેક્ષા નથી,
પણ તમે મારા કાન ઉઘાડ્યાં છે;
તમે દહનીયાર્પણ અથવા પાપાર્થાર્પણ માગ્યાં નથી.
પછી મેં કહ્યું, "જુઓ, હું આવ્યો છું;
પુસ્તકના ઓળિયામાં મારા વિષે લખેલું છે.
હે મારા ઈશ્વર, તમારી ઇચ્છાનુસાર કરવાને માટે હું રાજી છું."
ભરી સભામાં મેં તમારા ન્યાયપણાની જાહેરાત કરી છે;
હે યહોવાહ, તે તમે જાણો છો.
મેં મારા હૃદયમાં તમારું ન્યાયીપણું સંતાડી રાખ્યું નથી;
મેં તમારું વિશ્વાસુપણું તથા ઉદ્ધાર પ્રગટ કર્યો છે;
તમારી કૃપા તથા સત્યતા મેં જાહેર સભામાં છુપાવી નથી.
હે યહોવાહ, તમારી કૃપાદ્રષ્ટિ મારાથી પાછી ન રાખશો;
તમારી કૃપા તથા સત્યતા નિરંતર મારું રક્ષણ કરો.
કારણ કે અગણિત દુષ્ટોએ મને ઘેરી લીધો છે;
મારા અન્યાયોએ મને પકડી પાડ્યો છે, તેથી હું ઊંચું જોઈ શકતો નથી;
તેઓ મારા માથાના વાળ કરતાં પણ વધારે છે
અને મારું હૃદય નિર્બળ થયું છે.
હે યહોવાહ, કૃપા કરીને મને છોડાવો;
હે યહોવાહ, મને સહાય કરવાને ઉતાવળ કરો.
જેઓ મારી પાછળ પડીને મારા આત્માનો નાશ કરવા મથે છે
તેઓ સર્વ ફજેત થાઓ અને ત્રાસ પામો.
જેઓને મારા નુકસાનથી સંતોષ થાય છે,
તેઓ પાછા હઠો અને બદનામ થાઓ.
અમે યહોવાહની રાહ જોઈ;
તે આપણી સહાય તથા આપણી ઢાલ છે.
અમારાં હૃદયો તેમનામાં આનંદ માને છે,
કેમ કે અમે તેમના પવિત્ર નામ પર ભરોસો રાખ્યો છે.
હે યહોવાહ, અમે તમારા પર આશા રાખી છે
તે પ્રમાણે તમારી કૃપા અમારા ઉપર થાઓ.
હું યહોવાહની રાહ જોઈશ, મારો આત્મા રાહ જોશે
અને તેમના વચનમાં હું આશા રાખું છું.
સવારની રાહ જોનાર ચોકીદાર કરતાં
મારો આત્મા પ્રભુની રાહ વધારે જુએ છે.
હે મારો આત્મા, તું શાંતિથી ઈશ્વરની રાહ જો;
કેમ કે મારી આશા તેમના પર જ છે.
યહોવાહની રાહ જુઓ અને તેના માર્ગને અનુસરો
અને દેશનો વારસો પામવાને તે તને મોટો કરશે.
જ્યારે દુષ્ટ લોકોનો નાશ થતો હશે, ત્યારે તું તે જોશે.
Confiança e perseverança
Confie no Senhor de todo o coração. Sede pacientes na tribulação — o Senhor é fiel e cumprirá todas as suas promessas.
તારા પૂર્ણ હૃદયથી યહોવાહ પર ભરોસો રાખ
અને તારી પોતાની સમજણ પર આધાર રાખીશ નહિ.
તારા સર્વ માર્ગોમાં પ્રભુનો અધિકાર સ્વીકાર
અને તે તારા માર્ગો સીધા કરશે.
માત્ર એટલું જ નહિ, પરંતુ આપણે વિપત્તિમાં પણ આનંદ કરીએ છીએ; કેમ કે આપણે જાણીએ છીએ કે વિપત્તિથી ધીરજ, ધીરજથી અનુભવ અને અનુભવથી આશા ઉત્પન્ન થાય છે;
આનંદસહિત દરેક પ્રકારની ધીરજ તથા સહનશીલતાને માટે ઈશ્વરના મહિમાના સામર્થ્ય પ્રમાણે શક્તિમાન થાઓ;
ધીરજ અને પ્રાર્થના
ભાઈઓ, પ્રભુના આવતાં સુધી તમે ધીરજ રાખો; જુઓ, ખેડૂત ભૂમિના મૂલ્યવાન ફળની રાહ જુએ છે અને પહેલો તથા છેલ્લો વરસાદ થાય ત્યાં સુધી તે ધીરજ રાખે છે. તમે પણ, ધીરજ રાખો અને મન દ્રઢ રાખો, કેમ કે પ્રભુનું આગમન હાથવેંતમાં છે.
જુઓ, જેઓએ સહન કર્યું છે તેઓ આશીર્વાદિત છે, એમ આપણે માનીએ છીએ. તમે અયૂબની સહનશીલતા વિષે સાંભળ્યું છે, પ્રભુથી જે પરિણામ આવ્યું તે ઉપરથી તમે જોયું છે એ પ્રમાણે કે, પ્રભુ ઘણાં કરુણાળુ તથા દયાળુ છે.
તમે સત્યને આધીન રહીને ભાઈ પરના નિષ્કપટ પ્રેમને માટે તમારાં મનને પવિત્ર કર્યા છે, માટે શુદ્ધ હૃદયથી એકબીજા પર આગ્રહથી પ્રેમ કરો. કેમ કે તમને વિનાશી બીજથી નહિ, પણ અવિનાશી બીજથી, ઈશ્વરના જીવંત તથા સદા ટકનાર વચન વડે નવો જન્મ આપવામાં આવ્યો છે.
કેમ કે, ‘સર્વ લોકો ઘાસનાં જેવા છે અને મનુષ્યનો બધો વૈભવ ઘાસનાં ફૂલ જેવો છે. ઘાસ સુકાઈ જાય છે અને તેનું ફૂલ ખરી પડે છે, પણ પ્રભુનું વચન સદા રહે છે.’ જે સુવાર્તાનું વચન તમને પ્રગટ કરાયું તે એ જ છે.
વિલંબનો જેવો અર્થ કેટલાક લોકો કરે છે, તેમ પ્રભુ પોતાના આશાવચન સંબંધી વિલંબ કરતા નથી, પણ કોઈનો નાશ ન થાય પણ બધાં પસ્તાવો કરે, એવું ઇચ્છીને પ્રભુ તમારે વિષે ધીરજ રાખે છે.
દસ કુમારીકાઓનું દ્રષ્ટાંત
તો સ્વર્ગનું રાજ્ય દસ કુમારિકાઓ જેવું છે, જેઓ પોતાની મશાલો લઈને વરરાજાને મળવા સારુ બહાર ગઈ. તેઓમાંની પાંચ મૂર્ખ હતી અને પાંચ બુદ્ધિમાન હતી. મૂર્ખ કુમારિકાઓએ પોતાની મશાલો લીધી ખરી, પણ તેઓએ સાથે તેલ લીધું નહિ; પણ બુદ્ધિવંતીઓએ પોતાની મશાલો સાથે કુપ્પીમાં તેલ લીધું.
વરરાજાને આવતાં વાર લાગી એટલામાં તેઓ સર્વ ઝોકાં ખાઈને નિદ્રાવશ થઈ. મધરાતે જાહેરાત થઈ કે, ‘જુઓ, વરરાજા આવ્યો છે! તેને મળવાને નીકળો.’"
ત્યારે તે સર્વ કુમારિકાઓએ ઊઠીને પોતાની મશાલો તૈયાર કરી. મૂર્ખીઓએ બુદ્ધિવંતીઓને કહ્યું કે, ‘તમારા તેલમાંથી અમને આપો, કેમ કે અમારી મશાલો હોલવાઈ જાય છે.’ પણ બુદ્ધિવંતીઓએ ઉત્તર આપતાં કહ્યું કે, ‘કદાચ અમને તથા તમને પૂરું નહિ પડે, માટે તમે વેચનારાઓની પાસે જઈને પોતાને સારુ તેલ વેચાતું લો.’"
તેઓ તેલ ખરીદવા ગઈ એટલામાં વરરાજા આવી પહોંચ્યા, જેઓ તૈયાર હતી તેઓ તેમની સાથે લગ્નજમણમાં ગઈ અને બારણું બંધ કરવામાં આવ્યું. પછી મૂર્ખ કુમારિકાઓએ આવીને કહ્યું કે, ‘ઓ સ્વામી, સ્વામી, અમારે સારુ ઉઘાડો.’ પણ તેણે ઉત્તર દેતાં કહ્યું, ‘હું તમને નિશ્ચે કહું છું કે હું તમને ઓળખતો નથી.’ માટે તમે જાગતા રહો, કેમ કે તે દિવસ અથવા તે ઘડી તમે જાણતા નથી.