Mal
A existência do mal é realidade que a Bíblia confronta diretamente. Deus não é autor do mal, mas nos dá armas para vencê-lo e promete que o bem sempre prevalecerá.
Separar-se do mal
O temor do Senhor é aborrecer o mal. A Bíblia nos exorta a odiar o pecado, guardar os pés do mal e fugir de toda aparência maligna.
યહોવાહનો ભય એટલે પાપને ધિક્કારવું,
અભિમાન, ઉદ્ધતાઈ, દુષ્ટમાર્ગ અને
અવળું બોલાનારાઓને હું ધિક્કારું છું.
હે યહોવાહ પર પ્રેમ કરનારાઓ, તમે દુષ્ટતાને ધિક્કારો!
તે પોતાના ભક્તોના આત્માઓનું રક્ષણ કરે છે
અને તે તેઓને દુષ્ટોના હાથમાંથી છોડાવે છે.
દુષ્ટતાથી દૂર રહે અને ભલું કર;
શાંતિ શોધ અને તેની પાછળ લાગ.
તમારા વચન પ્રમાણે મને ચલાવો;
કોઈ પણ પાપને મારા પર શાસન કરવા ન દો.
સ્નાન કરો અને શુદ્ધ થાઓ;
મારી આંખ આગળથી તમારાં દુષ્ટ કાર્યો દૂર કરો;
ભૂંડું કરવું બંધ કરો;
તું તારી પોતાની નજરમાં જ્ઞાની ન થા;
યહોવાહનો ભય રાખીને દુષ્ટતાથી દૂર થા.
તેથી તારું શરીર તંદુરસ્ત રહેશે
અને તારું શરીર તાજગીમાં રહેશે.
Vencer o mal com o bem
Não te deixes vencer do mal, mas vence o mal com o bem. A luz brilha nas trevas, e as trevas não prevalecem contra ela.
દુષ્ટતાથી તું હારી ન જા, પણ ભલાઈથી દુષ્ટતાનો પરાજય કર.
ખ્રિસ્તી જીવનનાં નિયમ
તમારો પ્રેમ ઢોંગ વગરનો હોય. જે ખરાબ છે તેને ધિક્કારો; જે સારું છે તેને વળગી રહો.
છેલ્લી સૂચનાઓ
હવે, હે ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે, જે બોધ તમને મળ્યો છે તેથી વિરુદ્ધ જેઓ તમારામાં ફૂટ પાડે છે અને ઠોકરરૂપ થાય છે, તેઓને ધ્યાનમાં રાખીને તમે તેઓનાથી દૂર રહો.
તે અજવાળું અંધારામાં પ્રકાશે છે, પણ અંધારાએ તેને બુજાવ્યું નહિ.
સાવધ રહો કે, કોઈ દુષ્ટતાનાં બદલામાં સામી દુષ્ટતા ન આચરે પણ તમે સદા એકબીજાનું તથા સર્વનું હિત સાધવાને યત્ન કરો.
પણ સઘળી બાબતોને પારખો, જે સારું છે તેને પકડી રાખો. દરેક પ્રકારની દુષ્ટતાથી દૂર રહો.
Proteção contra o mal
Deus nos livra do mal e guarda nossos passos. Devemos nos revestir da armadura de Deus para resistir às forças das trevas.
અમને પરીક્ષણમાં પડવા ન દો,
પણ દુષ્ટથી અમારો છુટકારો કરો."
તમે તેઓને દુનિયામાંથી લઈ લો એવી પ્રાર્થના હું કરતો નથી, પણ તમે તેઓને દુષ્ટથી દૂર રાખો.
સર્વ દુઃખથી યહોવાહ તારું રક્ષણ કરશે;
તે તારા આત્માની સંભાળ રાખશે.
હમણાંથી તે સર્વકાળ માટે
તારા સર્વ કાર્યોમાં યહોવાહ તારું રક્ષણ કરશે.
પ્રભુ મને તેઓએ કરેલી સર્વ દુષ્ટ બાબતોથી બચાવશે. તેઓ મને સ્વર્ગમાં જ્યાં તેઓ રાજ કરે છે ત્યાં સુરક્ષિત લાવશે. લોકો હંમેશા તેમની સ્તુતિ કરો. આમેન.
શેતાનની કુયુક્તિઓની સામે તમે અડગ રહી શકો માટે ઈશ્વરનાં સર્વ હથિયારો સજી લો.
કેમ કે આપણું યુદ્ધ, લોહી અને માંસ, અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, જગતમાંનાં આ અંધકારનાં સત્તાધારીઓની સામે, સ્વર્ગીય સ્થાનોમાં દુષ્ટતાનાં આત્મિક લશ્કરો ની સામે છે.
ગુસ્સે થવાય ત્યારે ખુન્નસ રાખવાનું પણ પાપ ન કરો; તમારા ગુસ્સા પર સૂર્યને આથમવા ન દો; અને શેતાનને સ્થાન આપો નહિ.
Deus transforma o mal em bem
O que o mal pretendeu contra nós, Deus transformou em bem. Ele tira pureza da aflição e confessa a restauração dos arrependidos.
તમે તો મારું ખરાબ કરવા ઇચ્છ્યું હતું પણ તમે આજે જેમ જોયું તેમ ઘણાં લોકોના જીવ બચાવવા ઈશ્વરે તેમાં સારું કર્યું.
માટે તમે સર્વ મલિનતા તથા દુષ્ટતાની અધિકતા તજી દો અને તમારા હૃદયમાં વાવેલું જે વચન તમારા આત્માનો ઉદ્ધાર કરવાને શક્તિમાન છે તેને નમ્રતાથી ગ્રહણ કરો.
જો આપણે આપણા પાપ કબૂલ કરીએ, તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે.
વળી તેમણે કહ્યું કે, ‘માણસમાંથી જે નીકળે છે તે જ માણસને ભ્રષ્ટ કરે છે. કેમ કે અંદરથી, એટલે માણસોના હૃદયમાંથી ખરાબ વિચારો નીકળે છે, એટલે અનૈતિકપણા, ચોરીઓ, હત્યાઓ, વ્યભિચારો, લોભ, દુષ્ટતા, કપટ, ભોગવિલાસ, અદેખાઈ, નિંદા, અભિમાન, મૂર્ખાઈ. એ બધી ખરાબ બાબતો અંદરથી નીકળે છે અને તે માણસને ભ્રષ્ટ કરે છે.
દ્વ્રેષથી ઝઘડા ઊભા થાય છે,
પણ પ્રેમ સર્વ અપરાધોને ઢાંકી દે છે.
સૈન્યોના યહોવાહ એવું કહે છે: "સાચો ન્યાય કરો,
દરેક માણસ પોતાના ભાઈ પર દયા તથા કૃપા રાખો;
વિધવા તથા અનાથ, વિદેશીઓ તથા ગરીબ પર જુલમ ન કરો,
અને તમારામાંનો કોઈ પણ પોતાના મનમાં પોતાના ભાઈનું નુકસાન કરવાનું ષડ્યંત્ર ન રચે.’"