Temor do Senhor
O temor do Senhor é o princípio da sabedoria. Não se trata de medo, mas de reverência profunda, respeito e admiração diante da santidade e grandeza de Deus.
O princípio da sabedoria
A Escritura afirma que temer ao Senhor é o primeiro passo para a verdadeira sabedoria. Quem teme a Deus discerne o certo e aprende a viver com prudência.
યહોવાહને માન આપવું એ બુદ્ધિની શરૂઆત છે.
જે લોકો તેમની સૂચનાઓનું પાલન કરે છે, તેઓ સમજદાર છે.
તેમની સ્તુતિ સર્વકાળ થશે.
યહોવાહનો ભય એ ડહાપણનો આરંભ છે,
પવિત્ર ઈશ્વરની ઓળખાણ એ જ બુદ્ધિની શરૂઆત છે.
યહોવાહનો ભય ડહાપણનું શિક્ષણ છે,
પહેલા દીનતા છે અને પછી માન છે.
ઈશ્વરે માણસને કહ્યું,
જુઓ, પ્રભુનો ડર તે જ જ્ઞાન છે;
દુષ્ટતાથી દૂર રહેવું તે જ સમજશકિત છે."
યહોવાહનો ભય શુદ્ધ અને અનાદિ છે;
યહોવાહના ઠરાવો સત્ય તથા તદ્દન ન્યાયી છે.
તે શુદ્ધ સોના કરતાં, પણ વધુ પસંદ કરવા યોગ્ય છે;
વળી મધપૂડાનાં ટીપાં કરતાં તેઓ વધારે મીઠાં છે.
હા, તેનાથી તમારા સેવકને ચેતવણી મળે છે
તેઓને પાળવામાં મોટો લાભ છે.
Bênçãos do temor
Quem teme ao Senhor encontra vida longa, provisão e proteção. O temor de Deus nos guarda do mal e nos conduz à humildade.
વિનમ્રતા તથા ધન, સન્માન તથા જીવન
એ યહોવાહના ભયનાં ફળ છે.
યહોવાહનો ભય આયુષ્ય વધારે છે,
પણ દુષ્ટોનાં વર્ષો ઘટાડવામાં આવશે.
મોતના ફાંદામાંથી છૂટી જવાને માટે,
યહોવાહનો ભય જીવનનો ઝરો છે.
દયા તથા સત્યતાથી પાપનું પ્રાયશ્ચિત થાય છે
અને યહોવાહના ભયથી માણસો દુષ્ટતાથી દૂર રહે છે.
જે હંમેશા સાવધ રહે છે તે સુખી છે,
પણ જે માણસ પોતાનું હૃદય કઠોર કરે છે તે વિપત્તિમાં પડશે.
અનુભવ કરો અને જુઓ કે યહોવાહ કેટલા ઉત્તમ છે;
જે માણસ તેમના પર ભરોસો રાખે છે તે આશીર્વાદિત છે.
યહોવાહના પસંદ કરાયેલા લોકો, તેમનો ભય રાખો;
તેમનો ભય રાખનારાને કંઈ ખોટ પડતી નથી.
Vivendo no temor do Senhor
Temer ao Senhor é obedecer seus mandamentos, andar em seus caminhos e amá-lo de todo coração. Essa reverência se expressa em justiça e integridade.
તમે તમારા ઈશ્વર યહોવાહ પાછળ ચાલો અને તેમનો ડર રાખો અને તેમની આજ્ઞાઓ પાળો, તેમનું કહ્યું કરો તથા તમે તેમની સેવા કરો. અને તેમને વળગી રહો.
તેથી તમારે યહોવાહ તમારા ઈશ્વરના માર્ગોમાં ચાલવું, તેમનો ડર રાખવો અને તેમની આજ્ઞાઓ પાળવી.
ભયથી યહોવાહની સેવા કરો
અને કંપીને હર્ષ પામો.
આવો, મારાં બાળકો, મારું સાંભળો;
હું તમને યહોવાહનો ભય રાખતાં શીખવીશ.
કયો માણસ લાંબી જિંદગી ઇચ્છે છે?
અને શુભ જોવાને માટે દીર્ઘાયુષ્ય ચાહે છે?
તો દુષ્ટ બોલવાથી તારી જીભને
અને જૂઠું બોલવાથી તારા હોઠોને અટકાવ.
દુષ્ટતાથી દૂર રહે અને ભલું કર;
શાંતિ શોધ અને તેની પાછળ લાગ.
માટે હવે ઈશ્વરનો ડર રાખીને ચાલજો. જયારે તમે ન્યાય કરો ત્યારે સાંભળીને કરજો, કેમ કે આપણા પ્રભુ, ઈશ્વરને અન્યાય, પક્ષપાત અને લાંચ રુશવત પસંદ નથી."
બધિર માણસને શાપ ન આપ અને અંધજનના માર્ગમાં ઠોકર ન મૂક. પણ તેને બદલે મારું ભય રાખજો. હું યહોવાહ છું.
તમારે એકબીજાને છેતરવા નહિ કે ખોટું કરવું નહિ; પણ તેને બદલે તમારે તમારા ઈશ્વરનો ભય રાખવો. કેમ કે હું યહોવાહ તમારો ઈશ્વર છું.
તમારા દેશનો કોઈ ભાઈ જો ગરીબ થઈ જાય અને પોતાનું ભરણપોષણ કરી શકે નહિ, તો તેને મદદ કરવી. તે પરદેશી અથવા પ્રવાસી તરીકે તમારી સાથે રહે. તમારે તેની પાસેથી નફો કે વ્યાજ ન લેવું. પણ ઈશ્વરનો ભય રાખવો એ માટે કે તમારો ભાઈ તમારી સાથે રહે.
મારા મિત્રો, હું તમને કહું છું કે, જેઓ શરીરને મારી નાખે, અને ત્યાર પછી બીજું કંઈ ન કરી શકે, તેમનાંથી ડરશો નહિ. પણ તમારે કોનાથી બીવું તે વિષે હું તમને જણાવું છું; કે ‘મારી નાખ્યા પછી નર્કમાં નાખી દેવાનો જેમને અધિકાર છે તે ઈશ્વરથી તમે ડરજો; હા, હું તમને કહું છું કે, તેમની બીક રાખજો.