Temor dos homens
O temor dos homens é uma armadilha que paralisa a fé. A Bíblia nos convida a trocar o medo humano pela confiança em Deus, que é nosso refúgio e escudo.
Não temas os homens
Deus é a nossa luz e salvação — de quem teremos medo? A Escritura nos encoraja a não temer aqueles que podem destruir o corpo, mas não a alma.
સ્તુતિગાન
યહોવાહ મારા ઉદ્ધારનાર તથા પ્રકાશ છે;
હું કોનાથી બીહું?
યહોવાહ મારા જીવનનું સામર્થ્ય છે;
મને કોનો ભય લાગે?
જ્યારે દુરાચારીઓ અને મારા શત્રુઓ મારો સંહાર કરવા આવશે,
ત્યારે તેઓ ઠોકર ખાઈને નીચે પડશે.
જો કે સૈન્ય મારી સામે છાવણી નાખે,
તોપણ હું મનમાં ડરીશ નહિ;
જો કે મારી વિરુદ્ધ યુદ્ધ ઊઠે,
તોપણ હું ઈશ્વર પર ભરોસો રાખીશ.
શરીરને જેઓ મારી નાખે છે, પણ આત્માને મારી નાખી શકતા નથી, તેઓથી બીહો મા. પણ એના કરતાં આત્મા તથા શરીર એ બન્નેનો નાશ નર્કમાં કરી શકે છે તેનાથી ગભરાઓ.
કોનાથી બીવું?
મારા મિત્રો, હું તમને કહું છું કે, જેઓ શરીરને મારી નાખે, અને ત્યાર પછી બીજું કંઈ ન કરી શકે, તેમનાંથી ડરશો નહિ. પણ તમારે કોનાથી બીવું તે વિષે હું તમને જણાવું છું; કે ‘મારી નાખ્યા પછી નર્કમાં નાખી દેવાનો જેમને અધિકાર છે તે ઈશ્વરથી તમે ડરજો; હા, હું તમને કહું છું કે, તેમની બીક રાખજો.
Confiança em Deus acima do medo
Quando tememos a Deus, o medo dos homens perde o poder. O Senhor está conosco, e se Ele é por nós, quem será contra nós?
જ્યારે મને બીક લાગશે,
ત્યારે હું તમારા પર ભરોસો રાખીશ.
હું ઈશ્વરની મદદથી તેમના વચનની પ્રશંસા કરીશ,
ઈશ્વર પર મેં ભરોસો રાખ્યો છે; હું બીવાનો નથી;
મનુષ્યમાત્ર મને શું કરનાર છે?
યહોવાહ મારા પક્ષમાં છે; હું બીવાનો નથી;
માણસ મને શું કરનાર છે?
તેથી આપણે નિર્ભય થઈને કહીએ કે, ‘પ્રભુ મને સહાય કરનાર છે, હું બીવાનો નથી; માણસ મને શું કરનાર છે?
તમે તેઓથી બીશો નહિ, કેમ કે, ઈશ્વર તમારા યહોવાહ એકલા જ તમારા માટે લડશે."
હે મનુષ્યપુત્ર, તારે તેઓથી કે તેઓનાં વચનોથી બીવું નહિ. ભલે તારે ઝાંખરાં તથા કાંટાઓ વચ્ચે રહેવું પડે, તારે વીંછીઓ સાથે રહેવું પડે, તોપણ તું તેઓનાથી બીશ નહિ. જો કે તેઓ બંડખોર પ્રજા છે તોપણ તેઓના શબ્દોથી તારે ગભરાવું નહિ, કે તેઓના ચહેરાથી ભયભીત થવું નહિ.