Viúvas
A Bíblia revela um cuidado especial de Deus pelas viúvas. Ao longo das Escrituras, encontramos mandamentos claros de proteção, justiça e compaixão, refletindo o caráter amoroso do Senhor.
A proteção divina
Deus se apresenta como defensor das viúvas, garantindo que não fiquem desamparadas. Ele acolhe os que sofrem e sustenta os que perderam seu amparo terreno.
ઈશ્વરની સમક્ષ ગાઓ, તેમના નામનાં સ્તુતિગાન કરો;
એમના માટે રાજમાર્ગ બનાવો જે યર્દન નદીની ખીણના મેદાનોમાં થઈને સવારી કરે છે;
તેમનું નામ યહોવાહ છે; તેમની સમક્ષ આનંદ કરો.
અનાથોના પિતા અને વિધવાઓના રક્ષણહાર,
એવા ઈશ્વર પોતાના પવિત્રસ્થાનમાં છે.
યહોવાહ દેશમાંના વિદેશીઓનું રક્ષણ કરે છે;
તે અનાથો તથા વિધવાઓને ઊંચાં કરે છે,
પણ તે દુષ્ટોનો વિરોધ કરે છે.
કેમ કે રડતાં ગરીબોને
તથા તદ્દન નિરાશ્રિત અનાથો જેને મદદ કરનાર કોઈ ન હોય તેઓને પણ હું દુઃખમાંથી મુક્ત કરતો,
જેઓ નાશ પામવાની અણી પર હતા તેઓ મને આશીર્વાદ આપતા;
વિધવાઓના હ્રદયને હું હર્ષનાં ગીતો ગવડાવતો.
Justiça e compaixão
A Palavra ordena que seu povo pratique a justiça, protegendo os mais frágeis e defendendo a causa dos necessitados.
તારું મુખ ઉઘાડીને અદલ ઇનસાફ કર
અને ગરીબ તથા દરિદ્રીને માન આપ.
સૈન્યોના યહોવાહ એવું કહે છે: "સાચો ન્યાય કરો,
દરેક માણસ પોતાના ભાઈ પર દયા તથા કૃપા રાખો;
વિધવા તથા અનાથ, વિદેશીઓ તથા ગરીબ પર જુલમ ન કરો,
અને તમારામાંનો કોઈ પણ પોતાના મનમાં પોતાના ભાઈનું નુકસાન કરવાનું ષડ્યંત્ર ન રચે.’"
કોઈ વિધવા કે અનાથ બાળકને રંજાડશો નહિ. જો તમે કોઈ પણ પ્રકારે તેઓને ત્રાસ આપશો અથવા દુઃખી કરશો તો તેઓ મને પોકારશે અને હું તેઓનો પોકાર સાંભળીશ. પછી મારો કોપ ભભૂકી ઊઠશે. અને હું તમને તલવારથી મારી નાખીશ; તો તમારી પત્ની વિધવા થશે અને તમારાં પોતાનાં બાળકો અનાથ થશે.
સારું કરતા શીખો;
ન્યાય શોધો, જુલમથી દુ:ખી થયેલાંને મદદ કરો,
અનાથને ઇનસાફ આપો, વિધવાની હિમાયત કરો."
O chamado da Igreja
No Novo Testamento, o cuidado com as viúvas é expressão genuína da fé cristã. Tiago declara que a religião pura inclui visitar os necessitados.
વિધવાઓ અને અનાથોના દુઃખના સમયે મુલાકાત લેવી અને જગતથી પોતાને નિષ્કલંક રાખવો એ જ ઈશ્વરની એટલે પિતાની, આગળ શુદ્ધ તથા સ્વચ્છ ધાર્મિકતા છે.
જેઓ ખરેખર વિધવાઓ છે તેઓનું સન્માન કર.