1 તારી યુવાવસ્થાના દિવસોમાં તું તારા સર્જનહારનું સ્મરણ કર.
ખરાબ દિવસો આવ્યા પહેલાં,
એટલે જે વર્ષો વિષે તું એમ કહેશે કે
"તેમાં મને કંઈ આનંદ નથી" તે પાસે આવ્યા પહેલાં તેમનું સ્મરણ કર,
2 પછી ચંદ્ર, સૂર્ય અને તારાઓ અંધકારમાં જતા રહેશે,
અને વરસાદ પછી વાદળાં પાછાં ફરશે.
3 તે દિવસે તો ઘરના12:3 ભૌતિક શરીર રખેવાળો12:3 હાથ ધ્રૂજશે,
અને બળવાન માણસો12:3 પગ વાંકા વળી જશે,
દળનારી સ્ત્રીઓ12:3 દાંત થોડી હોવાથી તેમની ખોટ પડશે,
અને બારીઓમાંથી બહાર જોનારની12:3 આંખો દ્રષ્ટિ ઝાંખી થઈ જશે.