12 પરંતુ તમને બુદ્ધિ ક્યાંથી મળે?
અને સમજશકિતનું સ્થળ ક્યાં છે?
13 મનુષ્ય ડહાપણની કિંમત જાણતો નથી;
પૃથ્વી પરના લોકોમાં જ્ઞાન મળતું નથી.
14 ઊંડાણ કહે છે, ‘તે મારી પાસે નથી;’
મહાસાગરો કહે છે, ‘તે મારી પાસે નથી.’
15 તે સોનાથી ખરીદી શકાય નહિ.
તેની કિંમત બદલ ચાંદી પણ પર્યાપ્ત નથી.
16 ઓફીરના સોનાને ધોરણે કે
મૂલ્યવાન ગોમેદ કે નીલમને ધોરણે તેની કિંમત થાય નહિ.
17 સોના કે હીરા સાથે તેની તુલના થઈ શકે તેમ નથી.
કે, ચોખ્ખા સોનાનાં આભૂષણ પણ તેને તોલે આવે નહિ.
18 પરવાળાં કે સ્ફટિકમણિનું તો નામ જ ના લેવું;
જ્ઞાનની કિંમત તો માણેક કરતાં પણ વધુ ઊંચી છે.
19 કૂશ દેશનો પોખરાજ પણ તેની બરોબરી કરી શકે નહિ,
શુદ્ધ સોનાથી પણ તેની બરોબરી થાય નહિ.
20 ત્યારે બુદ્ધિ ક્યાંથી આવે છે?
અને સમજશકિતનું સ્થળ ક્યાં છે?
21 કેમ કે દરેક સજીવ વસ્તુથી તે છુપાયેલું છે.
આકાશના પક્ષીઓથી પણ તે ગુપ્ત રખાયેલું છે.
22 વિનાશ28:22 અબદોન તથા મૃત્યુ કહે છે,
‘અમે અમારા કાનોએ તેની અફવા સાંભળી છે.’