પિતરનો નકાર
54 તેઓ ઈસુની ધરપકડ કરીને લઈ ગયા. પ્રમુખ યાજકના ઘરમાં તેમને લાવ્યા. પણ પિતર દૂર રહીને તેમની પાછળ ચાલતો હતો. 55 ચોકની વચમાં તાપણું સળગાવીને તેઓ તાપવા બેઠા ત્યારે પિતર તેઓની સાથે બેઠો હતો.
56 એક દાસીએ તેને અગ્નિના પ્રકાશમાં બેઠેલો જોઈને તેની તરફ સતત જોઈ રહીને કહ્યું કે, ‘આ માણસ પણ તેમની સાથે હતો.’" 57 પણ પિતરે ઇનકાર કરીને કહ્યું કે, ‘બહેન, હું તેમને ઓળખતો નથી.’" 58 થોડીવાર પછી બીજાએ તેને જોઈને કહ્યું કે, "તું પણ તેઓમાંનો છે." પણ પિતરે કહ્યું, "અરે, ભાઈ, હું એમાંનો નથી."
59 આશરે એક કલાક પછી બીજાએ ખાતરીથી કહ્યું કે, "ખરેખર આ માણસ પણ તેમની સાથે હતો, કેમ કે તે ગાલીલનો છે." 60 પણ પિતરે કહ્યું, "અરે ભાઈ, તું શું કહે છે તે હું જાણતો નથી." અને તરત, તે બોલતો હતો એટલામાં મરઘો બોલ્યો.
61 પ્રભુએ ફરીને પિતરની સામે જોયું. અને પિતરને પ્રભુનું વચન યાદ આવ્યું કે, "ઈસુએ તેને કહ્યું હતું કે, આજ મરઘો બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરશે." 62 તે બહાર જઈને બહુ જ રડ્યો.