ઈસુ ચાર હજારને જમાડે છે
32 ઈસુએ પોતાના શિષ્યોને પાસે બોલાવીને કહ્યું કે, "આ લોકો પર મને અનુકંપા આવે છે, કેમ કે ત્રણ દિવસથી તેઓ મારી સાથે રહ્યા છે, તેઓની પાસે કંઈ ખાવા માટે નથી. તેઓને ભૂખ્યા વિદાય કરવાનું હું ઇચ્છતો નથી, એમ ન થાય કે તેઓ રસ્તામાં બેહોશ થઈ જાય." 33 શિષ્યોએ તેમને કહ્યું કે, આટલા બધા લોકો ભોજનથી તૃપ્ત થાય તેટલું ભોજન અમે આ અરણ્યમાં ક્યાંથી લાવીએ? 34 ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, "તમારી પાસે કેટલી રોટલી છે?" તેઓએ કહ્યું કે, "સાત રોટલી અને થોડીએક નાની માછલીઓ છે." 35 તેમણે લોકોને જમીન પર બેસવાની આજ્ઞા કરી.
36 તેમણે તે સાત રોટલી તથા માછલી લઈ સ્તુતિ કરીને ભાંગી અને પોતાના શિષ્યોને આપી, શિષ્યોએ લોકોને આપી. 37 સઘળાં ખાઈને તૃપ્ત થયાં; પછી વધેલા કકડાની તેઓએ સાત ટોપલી ભરી. 38 જેઓ જમ્યાં તેઓ સ્ત્રીઓ તથા બાળકો ઉપરાંત ચાર હજાર પુરુષ હતા.