Órfãos
Deus tem um cuidado especial pelos órfãos. Ele se apresenta como pai dos que não têm pai e defensor dos desamparados, e ordena a seu povo que faça o mesmo.
Deus, pai dos órfãos
O Senhor é pai dos órfãos e protetor das viúvas. Ele sustenta os que perderam amparo humano e cuida deles com ternura.
ઈશ્વરની સમક્ષ ગાઓ, તેમના નામનાં સ્તુતિગાન કરો;
એમના માટે રાજમાર્ગ બનાવો જે યર્દન નદીની ખીણના મેદાનોમાં થઈને સવારી કરે છે;
તેમનું નામ યહોવાહ છે; તેમની સમક્ષ આનંદ કરો.
અનાથોના પિતા અને વિધવાઓના રક્ષણહાર,
એવા ઈશ્વર પોતાના પવિત્રસ્થાનમાં છે.
યહોવાહ દેશમાંના વિદેશીઓનું રક્ષણ કરે છે;
તે અનાથો તથા વિધવાઓને ઊંચાં કરે છે,
પણ તે દુષ્ટોનો વિરોધ કરે છે.
ગરીબ તથા અનાથનો ન્યાય કરો;
દુ:ખિત અને લાચારને ઇનસાફ આપો.
હું તમને અનાથ મૂકી દઈશ નહિ; હું તમારી પાસે આવીશ.
O chamado da justiça
A religião pura é visitar órfãos e viúvas em suas aflições. Deus ordena a defesa do necessitado e o cuidado com os mais frágeis.
વિધવાઓ અને અનાથોના દુઃખના સમયે મુલાકાત લેવી અને જગતથી પોતાને નિષ્કલંક રાખવો એ જ ઈશ્વરની એટલે પિતાની, આગળ શુદ્ધ તથા સ્વચ્છ ધાર્મિકતા છે.
સારું કરતા શીખો;
ન્યાય શોધો, જુલમથી દુ:ખી થયેલાંને મદદ કરો,
અનાથને ઇનસાફ આપો, વિધવાની હિમાયત કરો."
સૈન્યોના યહોવાહ એવું કહે છે: "સાચો ન્યાય કરો,
દરેક માણસ પોતાના ભાઈ પર દયા તથા કૃપા રાખો;
વિધવા તથા અનાથ, વિદેશીઓ તથા ગરીબ પર જુલમ ન કરો,
અને તમારામાંનો કોઈ પણ પોતાના મનમાં પોતાના ભાઈનું નુકસાન કરવાનું ષડ્યંત્ર ન રચે.’"
કોઈ વિધવા કે અનાથ બાળકને રંજાડશો નહિ. જો તમે કોઈ પણ પ્રકારે તેઓને ત્રાસ આપશો અથવા દુઃખી કરશો તો તેઓ મને પોકારશે અને હું તેઓનો પોકાર સાંભળીશ. પછી મારો કોપ ભભૂકી ઊઠશે. અને હું તમને તલવારથી મારી નાખીશ; તો તમારી પત્ની વિધવા થશે અને તમારાં પોતાનાં બાળકો અનાથ થશે.
કેમ કે રડતાં ગરીબોને
તથા તદ્દન નિરાશ્રિત અનાથો જેને મદદ કરનાર કોઈ ન હોય તેઓને પણ હું દુઃખમાંથી મુક્ત કરતો,
જેઓ નાશ પામવાની અણી પર હતા તેઓ મને આશીર્વાદ આપતા;
વિધવાઓના હ્રદયને હું હર્ષનાં ગીતો ગવડાવતો.