As 10 parábolas mais importantes de Jesus
Jesus ensinou lições profundas por meio de parábolas, histórias curtas e simbólicas que comunicam verdades espirituais. Cada parábola tem um significado especial e atemporal, revelando o caráter de Deus e ensinando como viver como cristãos. Aqui estão 10 das parábolas mais marcantes e suas lições:
1. Parábola do Semeador (Mateus 13:3-9)
પછી તેમણે દ્રષ્ટાંતોમા ઘણી વાતો કહી; કે "એક ખેડૂત તેના બી વાવવા બહાર ગયો, જયારે તે બી વાવતો હતો, કેટલાક પગદંડીની બાજુએ પડયાં, અને પક્ષીઓ આવ્યા અને તે ખાઈ ગયાં. કેટલાક ખડકાળ જમીન પર પડયાં, જયાં વધારે માટી ન હતી, તેથી તે જલદી ઊગી નીકળ્યાં. કેમકે જમીન છિછરી હતી. પણ જયારે સૂર્ય ઉપર આવ્યો ને છોડ ચીમળાઈ ને સુકાઈ ગયા, કેમકે તેમને મૂળ ન હતા. કેટલાક બી કાંટા ઝાંખરામાં પડયાં, જે વધ્યાં અને છોડને દબાવી દીધા. હજુ બીજા બી સારી જમીન પર પડયાં, જયાં તેને ફળ આવ્યા, તેમાંથી સો ગણાં, સાઠગણાં, અને ત્રીસ ગણાં ફળ ઉત્પન્ન થયાં. જેને કાન હોય તે સાંભળે."
A parábola do semeador fala sobre a receptividade das pessoas à Palavra de Deus. Cada tipo de solo representa diferentes maneiras de receber e aplicar o Evangelho em nossas vidas. Somente um coração fértil e comprometido pode dar frutos espirituais abundantes.
2. O Bom Samaritano (Lucas 10:25-37)
ભલા સમરૂનીનું દ્રષ્ટાંત
એક પ્રસંગે નિયમશાસ્ત્રના એક પંડિતે ઊભા થઇને ઈસુની પરીક્ષા કરતાં તેણે પૂછયું. "ગુરુજી, અનંતજીવન મેળવવાં માટે મારે શું કરવું જોઈએ?"
તેમણે જવાબ આપ્યો, "નિયમશાસ્ત્રમાં શું લખેલું છે? તું કેવી રીતે વાંચે છે?"
તેમણે જવાબ આપ્યો, " ‘તારે પ્રભુ તારા ઈશ્વર પર તારા પૂરાં હૃદયથી, પૂરાં જીવથી, પૂરી શકિતથી તથા પૂરાં મનથી પ્રેમ રાખવો અને જેવો પોતા પર તેવો તારા પડોશી પર પ્રેમ કર.’ "
ઈસુએ જવાબ આપ્યો, "તેં સાચો જવાબ આપ્યો. તું આ કર અને તું જીવશે."
પણ તે પોતાને ન્યાયી ઠરાવવા ઈચ્છતો હતો, તેથી તેણે ઈસુને પૂછયું, "મારો પાડોશી કોણ?"
ઈસુએ જવાબ આપતાં કહ્યું. "એક માણસ યરુશાલેમથી યરીખો જતો હતો, જયારે લુંટારાઓએ તેના પર હુમલો કયોઁ, તેઓએ તેનાં વસ્ત્રો ઉતારી લીધા, તેને માર્યો અને તેને અધમૂઓ કરીને નાસી ગયા. સંજોગોવશાત એક યાજક ત્યાં થઈને જતો હતો. જયારે તેણે પેલા માણસને જોઇને બીજી બાજુએ થઇને ચાલ્યો ગયો. એક લેવી પણ તે જગ્યાએ આવ્યો અને તેને જોઇને બીજી બાજુએ ચાલ્યો ગયો. પણ એક સમરૂની ત્યાં થઈને નીકળ્યો, જયાં તે માણસ હતો ત્યાં આવ્યો, જયારે તેને જોઇને તેને તેના પર દયા આવી. તે તેની પાસે ગયો તેના ઘા પર તેલ અને દ્રાક્ષારસ રેડીને પાટા બાંધ્યા. પછી તે તેને પોતાના ગધેડાં પર બેસાડીને ધર્મશાળામાં લઈ ગયો અને તેની સારવાર કરી. બીજે દિવસે ધર્મશાળાનાં વ્યવસ્થાપકને બે દીનાર આપતાં કહ્યું, ‘તેની સારવાર કરજો, અને તેમ કરતાં જો વધારે ખર્ચ થશે તો પાછા ફરતાં હું તે જરૂર ભરપાઈ કરી આપીશ.’
"હવે લૂંટારાનાં હાથમાં પડેલા માણસનો પાડોશી એ ત્રણમાંથી કોણ? તું શું ધારે છે."
નિયમશાસ્ત્રના પંડિતે જવાબ આપ્યો, "જેણે, તેના તરફ દયા દર્શાવી તે જ."
ઈસુએ તેને કહ્યું, "તો તું જઈને એ પ્રમાણે કર."
Essa parábola nos ensina sobre o amor ao próximo, independentemente de raça ou religião. O samaritano ajudou um desconhecido, mostrando que a verdadeira fé se revela no amor ao próximo.
3. A Ovelha Perdida (Lucas 15:4-7)
"ધારોકે તમારામાં કોઇની પાસે સો ઘેટાં હોય અને તેમાંનું એક ખોવાઈ જાય, તો પેલાં નવ્વાણું ઘેટાંને અરણ્યમાં મૂકીને ખોવાઈ ગયેલું ઘેટું ન મળે ત્યાં સુધી તે તેની શોધ નહિ કરે? અને જયારે તે તેને મળશે, તે તેને આનંદથી, પોતાના ખભા પર ઊંચકી લેશે. અને ઘરે જશે. પછી તે તેના મિત્રોને અને પાડોશીઓને બોલાવીને કહેશે, મારી સાથે આનંદ કરો; ‘મારું ખોવાયેલું ઘેટું મને પાછું મળ્યું છે!’ હું કહું છું કે એ જ પ્રમાણે નવ્વાણું ન્યાયી વ્યકિતને પસ્તાવાની અગત્યતા નથી તેઓના કરતાં એક પાપી પસ્તાવો કરે તો તેને લીધે સ્વર્ગમાં ઘણો આનંદ થશે.
Deus é como o pastor que busca incessantemente uma ovelha perdida. Essa parábola revela o amor incansável de Deus pelos pecadores, celebrando a alegria no céu quando alguém se arrepende.
4. O Filho Pródigo (Lucas 15:11-32)
ખોવાયેલો પુત્રનું દ્રષ્ટાંત
ઈસુએ આગળ બીજું કહ્યું, "એક માણસ હતો જેને બે પુત્રો હતા. નાનાં પુત્રએ તેના પિતાને કહ્યું, ‘પિતાજી, મિલ્કતમાંથી મારો હિસ્સો મને આપી દો.’ તેથી તેણે પોતાની મિલ્કત તેઓને વહેંચી આપી.
"થોડા જ સમય પછી, નાનો પુત્ર તેની પાસે જે હતું તે ભેગું કરી દૂર દેશમાં જતો રહ્યો, અને ત્યાં તેણે જંગલી જીવનમાં તેની સંપતિ વેડફી મારી. તેણે બધું ખરચી નાખ્યા પછી, તે દેશમાં ભારે દુકાળ પડયો, અને તેને જરુર પડવા લાગી. તેથી તે ગયો ને પોતાને તે દેશના એક નાગરીક પાસે નોકરીએ રહ્યો. તેણે તેને પોતાના ખેતરમાં ભૂંડો ચરાવવા સારું મોકલ્યો. ભૂંડો જે શિંગો ખાતાં હતાં તે ખાવાની તેને ઇચ્છા થઈ. પણ કોઈએ તેને કશું આપ્યું નહિ.
"જયારે તે પોતે ભાનમાં, આવ્યો ત્યારે તે બોલ્યો: ‘મારા પિતાએ રાખેલા કેટલાં બધા નોકરો પાસે ખોરાક છે, અને હું અહીં મરવા પડયો છું! તેથી હું મારા પિતા પાસે પાછો જઈશ અને કહીશ કે: પિતાજી! મેં આકાશ વિરુધ્ધ, અને તમારી વિરુદ્ધ પાપ કર્યું છે. હવે હું તમારો પુત્ર કહેવાને લાયક નથી. તમારાં મજૂરોમાનાં એકના જેવો મને ગણજો.’ તે ઊઢીને તેના પિતા પાસે ગયો.
"હજુ તો તે ઘણો દૂર હતો એટલામાં તેના પિતાએ તેને જોયો. ને તેને તેના પર દયા આવી. ને તે તેના દિકરા તરફ દોડયો, અને તેના હાથ તેની આસપાસ ફેલાવ્યા. અને તેને ચુંબન કર્યુ.
"પુત્ર બોલ્યો, ‘પિતાજી! મેં આકાશની વિરુદ્ધ અને તમારી વિરુધ્ધ પાપ કર્યું છે, હવે હું તમારો પુત્ર ગણાવાને પણ લાયક રહ્યો નથી.’
"પણ પિતાએ તેના નોકરોને કહ્યું, ‘જલ્દીથી, સારામાં સારો ઝભ્ભો લાવીને તેને પહેરાવો, તેની આંગળીએ વીંટી પહેરાવો, ને તેના પગમાં ચંપલ પહેરાવો; પાળેલાં વાછરડાંને લાવીને તેને કાપો, આવો આપણે મિજબાની કરી ઉજવીએ. કારણ, આ મારો પુત્ર મરી ગયો હતો તે ફરીથી સજીવન થયો છે; એ ખોવાઈ ગયો હતો અને પાછો મળી આવ્યો છે.’ અને તેમણે ઉજવણી શરુ કરી.
"તે દરમિયાન મોટો પુત્ર ખેતરમાં હતો. જયારે તે ઘરની નજીક આવ્યો. તેણે નાચગાનનો અવાજ સાંભળ્યો. તેથી તેણે એક નોકરને બોલાવીને પૂછયું, ‘આ બધું શું ચાલી રહ્યું છે?’ તેણે જવાબ આપ્યો, ‘કે તારો ભાઈ પાછો આવ્યો છે, અને તારા પિતાએ પાળેલાં વાછરડાંને કપાવ્યો છે કારણ કે તે સહીસલામત પાછો આવ્યો છે.’
"મોટો ભાઈ ગુસ્સે થઈ ગયો, અને અંદર જવા ઈન્કાર કર્યો. તેથી તેના પિતા બહાર ગયા અને તેને વિનંતી કરી. પણ તેણે તેના પિતાને જવાબ આપ્યો, ‘જુઓ! આટલા બધા વર્ષોથી હું તમારા માટે ચાકરી કરી રહ્યો છું, અને તમારી કોઈ આજ્ઞા મેં કદી ઉથાપી નથી; તેમ છતાં તમે મને મારા મિત્રોની સાથે મિજબાની કરવા લવારું સરખું આપ્યું નથી. પણ જયારે, તમારાં આ દીકરાએ તમારી આપેલી મિલ્કતને વેશ્યાઓ પાછળ વેડફી નાંખીને ઘરે આવે છે, તો તમે તેને માટે પાળેલો વાછરડો કાપી નાખ્યો!’
"પિતાએ તેને કહ્યું, ‘મારા દિકરા!’ તું હંમેશા મારી સાથે જ છે. ‘અને મારું જે છે, તે સર્વ તારું જ છે. પણ આપણે ઉજવણી કરીને આનંદ કરવો જોઈએ. કારણ, આ તારો ભાઈ જે મરી ગયો હતો, ને તે સજીવન થયો છે; તે ખોવાઈ ગયો હતો ને તે પાછો મળ્યો છે.’ "
A parábola do filho pródigo fala sobre o perdão e o amor incondicional de Deus por Seus filhos, mesmo quando se desviam.
5. A Pérola de Grande Valor (Mateus 13:45-46)
"વળી, સ્વર્ગનું રાજ્ય ઉત્તમ મોતીની શોધનાર વેપારીના જેવું છે. જયારે તેને તે અતિમૂલ્યવાન મળી આવ્યું તે ગયો અને પોતાનું જે કાંઈ હતું તે વેચીને તેણે તે ખરીદી લીધું.
Jesus ensina que o Reino de Deus é o bem mais precioso e devemos estar dispostos a renunciar tudo para possuí-lo.
6. O Fariseu e o Publicano (Lucas 18:9-14)
ફરોશી અને જકાતદારનું દ્રષ્ટાંત
જેઓ પોતાના ન્યાયીપણા વિશે અભિમાન કરતા હતા, અને બીજાને તિરસ્કારતા હતા, તેઓને ઈસુએ આ દ્રષ્ટાંત કહ્યું. "બે માણસો પ્રાર્થના કરવા મંદિરમાં ગયા, એક ફરોશી અને બીજો જકાતદાર. ફરોશીએ ઊભા રહીને મનમાં પ્રાર્થના કરતાં કહ્યું: ‘હે ઈશ્વર! હું તમારો આભાર માનું છું કે બીજાનાં જેવો લુંટારો, દુષ્ટતા કરનાર, કે વ્યભિચાર કરનાર કે આ જકાતદારના જેવો હું નથી. અઠવાડિયે બે વાર હું ઉપવાસ કરું છું અને મને જે મળે છે તેનો દસમો ભાગ આપું છું.’
"પણ જકાતદાર દૂર ઊભો રહ્યો, તેણે આકાશ તરફ ઊંચું પણ ન જોવા ચાહતા, તેણે પોતાની છાતી કુટીને કહ્યું, ‘હે ઈશ્વર! મુજ પાપી પર દયા કરો!’
"હું તમને કહું છું કે પેલા કરતાં એ માણસ ઈશ્વરની આગળ ન્યાયી ઠરી ઘરે ગયો. કારણ કે, જે કોઇ પોતાને ઊંચો કરે છે તેને નમ્ર કરવામાં આવશે અને જે કોઇ પોતાને નમ્ર કરશે તેને ઊંચો કરવામાં આવશે."
Essa parábola nos lembra que Deus valoriza um coração humilde e arrependido, em contraste com a arrogância espiritual. O publicano, ao reconhecer seus pecados, foi justificado diante de Deus.
7. Os Talentos (Mateus 25:14-30)
સોનાની તાલંતોનું દ્રષ્ટાંત
"ફરીથી, તે એક પ્રવાસે જતાં માણસ જેવું છે, જેણે પોતાના નોકરોને બોલાવ્યાં, અને પોતાની સંપતી તેઓને સોંપી. તેણે એકને પાંચ તાલંત, બીજાને બે તાલંત અને ત્રીજાને એક તાલંત, પ્રત્યેકને તેની આવડતના પ્રમાણમાં આપ્યું, પછી તે પરદેશ ગયો. જેને પાંચ તાલંત મળ્યાં હતા તે એક વાર જઈને, પોતાના નાંણાનો વેપાર કરીને બીજા પાંચ વધારે કમાયો. એ જ પ્રમાણે, જેને બે તાલંત મળ્યાં હતાં, તે બીજા બે વધારે કમાયો. પણ જેને એક તાલંત મળ્યો હતો તે બહાર ગયો, જમીનમાં ખાડો ખોદીને પોતાના માલીકનું નાણું દાટી મુકયું.
"લાંબા સમય પછી તે નોકરોનો માલિક પાછો આવ્યો, અને તેમની પાસે હિસાબ લેવાં લાગ્યો. જેને પાંચ તાલંત મળ્યાં હતા, તે બીજા પાંચ લાવ્યો, તેણે કહ્યું, ‘માલિક, તમે મને પાંચ તાલંત આપ્યા હતા, જુઓ હું બીજા પાંચ વધારે કમાયો છું.’
"તેના માલિકે જવાબ આપ્યો, ‘શાબાશ, સારાં અને વિશ્વાસુ નોકર! તું થોડામાં વિશ્વાસુ માલૂમ પડયો છે; હું તને ઘણી બાબતોની જવાબદારી સોંપીશ. આવ અને તારા માલીકના આનંદમાં ભાગીદાર થા.’
"બે તાલંત વાળો માણસ પણ આવ્યો, તેણે કહ્યું, ‘સાહેબ, તમે મને બે તાલંત આપ્યા હતાં, જુઓ હું બે વધારે કમાયો છું!’
"તેના માલિકે જવાબ આપ્યો, ‘શાબાશ! સારાં અને વિશ્વાસુ નોકર! તું થોડામાં વિશ્વાસુ માલૂમ પડયો છે, હું તને ઘણી બાબતોની જવાબદારી સોંપીશ.’ આવ અને તારા માલીકના આનંદમાં ભાગીદાર થા.
"પછી જેને એક તાલંત મળ્યો હતો, તે આવ્યો. તેણે કહ્યું, માલીક, હું જાણતો હતો કે તમે કઠણ માણસ છો, જયાં તમે નથી વાવ્યું ત્યાંથી ફસલ લણનાર અને જયાં તમે બી નથી વેયાઁ ત્યાંથી તમે એકઠું કરનાર છો. તેથી મને બીક લાગીને બહાર જઈને તમારો તાલંત જમીનમાં સંતાડી દીધો, જુઓ અહીં જે તમારું છે તે છે.
"તેના માલિકે જવાબ આપ્યો, ‘અરે દુષ્ટ, આળસુ નોકર! જયાં નથી વાવ્યું ત્યાંથી હું લણું છું, અને જયાં મેં બી નથી વેયુઁ ત્યાંથી એકઠું કરું છું, એ તું જાણતો ન હતો? સારું ત્યારે, તો મારું નાણું શાહુકારોની પાસે જમા કરાવવાનાં હતા, જેથી જયારે હું પાછો આવું ત્યારે તે મને વ્યાજ સાથે પાછું મળત.’
" ‘એ માટે એની પાસેથી તાલંત લઈ લો, અને જેની પાસે દસ છે તેને તે આપી દો.’ જેની પાસે છે તેને વધારે આપવામાં આવશે અને તેની પાસે પુષ્કળ થશે; પણ જેની પાસે નથી તેની પાસે જે છે તે પણ તેની પાસેથી લઈ લેવામાં આવશે. ‘અને નકામાં નોકરને બહારનાં અંધકારમાં ફેંકી દો, ત્યાં રડવાનું અને દાંત પીસવાનું થશે.’
Nesta história, Jesus ensina sobre a responsabilidade de usar bem os dons e recursos que Deus nos confiou. A fidelidade nas pequenas coisas abre portas para bênçãos maiores.
8. O Rico e Lázaro (Lucas 16:19-31)
શ્રીમંત માણસ અને લાઝરસ
"એક શ્રીમંત માણસ હતો, તે કિરમજી રંગના કિમતી વસ્ત્રો પહેરતો ને નિત્ય મોજમઝામાં રહેતો હતો. તેના દરવાજા પાસે લાઝરસ નામે એક ભિખારી પડી રહેતો હતો, તેને આખા શરીરે ફોલ્લાં હતા. અને શ્રીમંત માણસનાં ટેબલ પરથી પડેલા ટુકડા ખાવાની ઇચ્છા રાખતો હતો; કૂતરાં પણ આવીને તેના ફોલ્લાં ચાટતાં હતાં.
"જયારે સમય આવ્યો અને ભિખારી મરણ પામ્યો અને સ્વર્ગના દૂતો તેને અબ્રાહમની ગોદમાં લઈ ગયા. શ્રીમંત માણસ પણ મરણ પામ્યો, ને તેને દફનાવવામાં આવ્યો. હાદેસમાં તે વેદના સહેતાં, તેણે ઉપર જોયું ને ઘણે દૂર અબ્રાહમની ગોદમાં લાઝરસને જોયો. તેથી તેણે બૂમ પાડી, ‘પિતા અબ્રાહમ, મારા પર દયા કરો ને લાઝરસને અહીં મારી પાસે મોકલો કે તે તેની આંગળીનું ટેરવું પાણીમાં બોળીને મારી જીભને ઠંડી કરે કારણ હું અહીં આ આગમાં વેદના ભોગવી રહ્યો છું.’
"પણ અબ્રાહમે જવાબ આપ્યો, ‘દીકરા, તારા જીવન દરમ્યાન તું તારા સારા વાનાં પામ્યો હતો, પણ લાઝરસ ખરાબ વાનાં પામ્યો, હવે તે અહીં દિલાસો પામે છે અને તું વેદનામાં છે. અને તે સવઁ ઉપરાંત અમારી ને તારી વચ્ચે ઊંડી ખાઈ આવેલી છે, તેથી અહીંથી જો કોઈ તમારી પાસે આવવાં ઈચ્છે તો તેઓ આવી શકતા નથી, કે ત્યાંથી અહીં અમારી પાસે આવી શકતાં નથી.’
"ત્યારે તેણે જવાબ આપ્યો કે, ‘હું તમને વિનંતી કરું છું કે લાઝરસને મારા કુટુંબમાં મોકલો; કેમકે મારે પાંચ ભાઈઓ છે તેથી તે તેઓને ચેતવણી આપે કે તેઓ પણ આ વેદનાની જગ્યાંએ આવી ન પડે.’
"અબ્રાહમે જવાબ આપ્યો, ‘મોશે અને પ્રબોધકો તેઓની પાસે છે. તેઓનું તેમને સાંભળવા દો.’
" ‘તેણે કહ્યું, ના,’ અબ્રાહમ પિતા, ‘મૂએલામાંથી જો કોઈ તેઓની પાસે જાય તો તેઓ પસ્તાવો કરશે.’
"તેમણે તેને કહ્યું, ‘જો તેઓ મોશે અને પ્રબોધકોનું સાંભળતા નથી તો મૂએલાંમાંથી ઊઠીને કોઈ તેઓની પાસે જાય તોપણ તેઓ માનવાના નથી.’ "
A parábola alerta sobre as consequências de negligenciar os necessitados e viver para si mesmo. Também destaca a realidade do julgamento e da vida após a morte.
9. O Joio e o Trigo (Mateus 13:24-30)
કડવા દાણાનું દ્રષ્ટાંત
ઈસુએ તેઓને બીજું દ્રષ્ટાંત કહ્યું કે: "સ્વર્ગનું રાજ્ય, પોતાના ખેતરમાં સારું બી વાવનાર એક માણસના જેવું છે. પણ જયારે બધા ઊંઘતા હતા ત્યારે, તેનો દુશ્મન આવ્યો અને તેણે ઘઉંમા કડવા દાણા વાવીને ચાલ્યો ગયો. જયારે ઘઉં ઉગ્યા ને ઉંબીઓ આવી, ત્યારે કડવા દાણા પણ દેખાયા.
"માલિકનાં નોકરોએ તેની પાસે આવીને કહ્યું, ‘સાહેબ, તમે શું તમારા ખેતરમાં સારું બી વાવ્યું ન હતું? તો કડવા દાણા ક્યાંંથી આવ્યા?’
"તેણે જવાબ આપ્યો, ‘એ કોઈ દુશ્મને કયુઁ છે.’
"નોકરોએ તેમને પૂછયું, ‘શું તમારી ઇચ્છા છે કે અમે જઈને તેઓને ઉખેડી નાખીએ?’
"તેણે જવાબ આપ્યો, ‘ના, કેમકે જયારે કડવા ઉખેડવા જતા, તમે ઘઉંને તેમની સાથે ઉખેડી નાખો. કાપણી સુધી બંનેને સાથે વધવા દો. તે સમયે હું કાપણી કરનારને કહીશ કે, પહેલાં કડવાને એકઠા કરો અને બાળવા સારું તેના ભારા બાંધો, અને ઘઉંને ભેગા કરો અને મારી કોઠારમાં લાવો.’ "
Essa história simboliza o bem e o mal coexistindo no mundo até o julgamento final, quando Deus fará a separação entre os justos e os ímpios.
10. As Dez Virgens (Mateus 25:1-13)
દસ કુમારિકાઓનું દ્રષ્ટાંત
"તે સમયે સ્વર્ગનું રાજ્ય દસ કુમારિકાઓ જેવું હશે, જેઓ પોતાના દીવા લઈને વરને મળવા ગઈ. તેઓમાં પાંચ મૂર્ખ હતી અને પાંચ બુધ્ધિવંતી હતી. મુખીઁઓએ પોતાના દીવા લિધા પણ તેમની સાથે કોઈ તેલ લીધું નહોતું; જો કે બુધ્ધિવંતીઓએ પોતાના દીવાઓ સાથે કુપ્પીમાં તેલ લીધું. વરને આવતાં વાર લાગી, અને તેઓ સર્વ ઝોકાં ખાઈને ઊંઘી ગઈ.
"મધરાતે પોકાર પડયો કે: ‘અહીંયા વરરાજા છે! તેમને મળવા બહાર આવો.’
"પછી સવઁ કુમારિકાઓ ઊઠીને પોતાના દીવાઓ તૈયાર કયાઁ. અને મુખીઁઓએ બુધ્ધિવંતીઓને કહ્યું તમારા તેલ માંથી અમને થોડું આપો અમારા દીવા હોલવાઈ જાય છે.
"ના તેમણે જવાબ આપ્યો, ‘તમને તથા અમને પૂરતું થઈ રહે એટલું નથી, માટે તમે વેચનાઓની પાસે જઈને પોતપોતાને સારું વેચાતું લો.’
"પણ જયારે તેઓ તેલ વેચાતું લેવાં ગઈ એટલામાં વરરાજા આવી પહોંચ્યા. જે કુમારિકાઓ તૈયાર હતી તેઓ તેમની સાથે લગ્નજમણમાં ગઈ, અને બારણું બંધ કરી દેવામાં આવ્યું.
"પછી બીજાઓ પણ આવ્યા ને તેઓએ કહ્યું, ‘પ્રભુ! પ્રભુ! અમારે માટે બારણું ખોલો.’
"પણ તેણે જવાબ આપ્યો, હું તમને સાચે જ કહું છું કે ‘હું તમને ઓળખતો નથી.’
"માટે જાગતાં રહો, કારણ કે તે દિવસ કે તે ઘડી તમે જાણતા નથી.
Jesus enfatiza a necessidade de estarmos sempre preparados espiritualmente para Sua segunda vinda, pois ninguém sabe o momento exato.
As parábolas de Jesus continuam sendo fontes ricas de sabedoria e direção para a vida cristã. Ao aplicarmos esses ensinamentos, nos aproximamos mais de Deus e de Sua vontade.
Se este artigo te ajudou, faça sua parte e compartilhe a Palavra de Deus com aqueles que você ama.