Publicidade

João 8

1 પણ ઈસુ જૈતુન પર્વત પર ગયા.

2 વહેલી સવારે તે ફરીથી મંદિરનાં આંગણાંમાં દેખાયા, જયાં લોકોનું ટોળું તેમની આસપાસ ભેગું થઈ ગયું, અને તેમણે બેસીને તેમને શિક્ષણ આપ્યું. 3 નિયમશાસ્ત્રના પંડિતો અને ફરોશીઓ વ્યભિચારમાં પકડાયેલી એક સ્ત્રીને લાવ્યા. તેઓએ તેને લોકો આગળ ઊભી રાખી. 4 અને ઈસુને કહ્યું, "ગુરુજી, આ સ્ત્રી વ્યભિચાર કરતાં જ પકડાઈ છે. 5 મોશેએ નિયમશાસ્ત્રમાં અમને આજ્ઞા આપી છે કે આવી સ્ત્રીને પથ્થરે મારવી; હવે તમે શું કહો છો?" 6 તેઓ તેમને સપડાવવા આ પ્રશ્નનો ઉપયોગ કરતા હતાં, જેથી તેમના પર આરોપ મૂકવાનું કારણ મળી આવે.

પણ ઈસુએ નીચા નમીને જમીન પર તેમની આંગળીથી લખવાં લાગ્યા. 7 તેઓએ તેમને પ્રશ્ન પૂછયા કયાઁ, તેમણે ઊભા થઈને તેમને કહ્યું, "સારું, જેણે કદી પાપ ન કર્યું હોય તે પ્રથમ તેના પર પથ્થર નાખે." 8 ફરીથી નીચાં વળીને તેમણે જમીન પર લખ્યું.

9 એ સમયે જેઓએ એ સાંભળ્યું તેઓ એક પછી એક દૂર જવા લાગ્યા, મોટાથી લઈને, જયાં સુધી એકલા ઈસુ સિવાય તે સ્ત્રી સાથે કોઈ ઊભુ ન હતું. 10 ઈસુ ઊભા થયા અને તેને પૂછયું, "સ્ત્રી, તેઓ કયાં છે? શું તને કોઈએ દોષિત ઠરાવી?"

11 "તેણે કહ્યું!" કોઇએ નહિ, ગુરુજી,

ઈસુએ જાહેર કયુઁ, "હું પણ તને દોષિત ઠરાવતો નથી. જા, હવે જા અને પાપનું જીવન છોડી દે."

ઈસુની સાક્ષી પર વિવાદ

12 જયારે ઈસુએ લોકો સાથે ફરી વાત કરી, ત્યારે તેમણે કહ્યું, "હું જગતનું અજવાળું છું. જે કોઇ મારી પાછળ ચાલે છે, તે કદિ અંધકારમાં ચાલશે નહિ, પણ જીવનનું અજવાળું પામશે."

13 ફરોશીઓએ તેમને પડકાર કયોઁ, "અહીં તમે તમારા પોતાની સાક્ષી તરીકે ઊભા છો, તમારી સાક્ષી યોગ્ય નથી."

14 ઈસુએ તેઓને જવાબ આપ્યો, "જો હું મારા પોતાને વિશે સાક્ષી આપું, તોપણ મારી સાક્ષી યોગ્ય છે, કેમ હું ક્યાંંથી આવ્યો છું અને કયાં જાઉં છું તે હું જાણું છું; પણ તમે તે જાણતા નથી કે હું કયાંથી આવ્યો છું અને કયાં જાઉં છું. 15 તમે માણસોના ધોરણે ન્યાય કરો છો, હું કોઇનો ન્યાય કરતો નથી. 16 પણ જો હું ન્યાય કરું, તો મારા નિણઁયો સાચા છે, કેમકે હું એકલો નથી, હું પિતા સાથે ઉભો છું જેણે મને મોકલ્યો છે. 17 તમારા પોતાના નિયમશાસ્ત્ર લખેલું છે કે, બે સાક્ષીઓની જુબાનિ સાચી છે. 18 હું મારા પોતાના વિશે સાક્ષી આપું છું, મારી બીજી સાક્ષી મારા પિતા છે જેણે મને મોકલ્યો છે."

19 ત્યારે તેઓએ તેમને પૂછયું, "કયાં છે તમારાં પિતા?"

ઈસુએ જવાબ આપ્યો, "તમે મને અથવા મારા પિતાને ઓળખતાં નથી; જો તમે મને ઓળખ્યો હોત તો મારા પિતાને પણ ઓળખી શક્યાં હોત." 20 તેઓ મંદિરનાં આંગણાંમાં ઉપદેશ આપતાં હતા ત્યાં દાન નાખવામાં આવતું હતું જયાં આ વચનો કહ્યાં, પરંતુ કોઈએ તેમને પકડયો નહિ, કેમકે તેમનો સમય હજી આવ્યો ન હતો.

ઈસુ કોણ છે તે પર વિવાદ

21 ફરીથી ઈસુએ તેઓને કહ્યું, "હું જાઉં છું. તમે મને શોધશો, અને તમે તમારાંં પાપમાં મરશો. હું જયાં જાઉં છું ત્યાં તમે આવી શકવાનાં નથી."

22 તેથી યહૂદીઓએ પૂછયું, "શું તે પોતે પોતાને મારી નાંખશે? કેમકે તે કહે છે કે ‘હું જયાં જાઉં છું ત્યાં તમે આવી શકવાનાં નથી’?"

23 પણ તેમણે ચાલુ રાખ્યું, "તમે નીચેથી છો, હું ઉપરનો છું, તમે આ જગતના છો, હું આ જગતનો નથી. 24 તેથી જ મેં કહ્યું કે તમે તમારાંં પાપમાં મરશો; કેમકે હું તે છું, એવો જો તમે વિશ્વાસ નહિ કરો તો તમે ખરેખર તમારાં પાપમાં મરશો."

25 તેઓએ પૂછયું, "તમે કોણ છો?"

ઈસુએ જવાબ આપ્યો, "હું શરૂઆતથી જ કહેતો આવ્યો છું. 26 મારે તમારાં વિશે કહેવાનું તથા ન્યાય ઠરાવવાનું ઘણું છે. પણ જેણે મને મોકલ્યો છે તે વિશ્વાસપાત્ર છે અને મેં તેમની પાસેથી જે વાતો સાંભળી છે તે હું જગતને કહું છું."

27 તે તેઓ સમજ્યાં નહિ કે તેઓ તેમના પિતા વિશે તેઓને કહી રહ્યા છે. 28 માટે ઈસુએ કહ્યું, "જયારે તમે માણસના દીકરાને ઊંચો કરશો, ત્યારે તમે જાણશો કે તે હું છું અને હું મારી મેળે કંઇ કરતો નથી, પણ પિતાએ જે શીખવ્યું તે જ હું બોલું છું. 29 જેમણે મને મોકલ્યો છે તે મારી સાથે છે, તેમણે મને એકલો મૂકયો નથી, કારણ કે તેમને જે ગમે છે તે હું નિત્ય કરું છું." 30 પણ જેમ તે બોલતા, તેમ ઘણાંએ તેમના પર વિશ્વાસ કયોઁ.

કોના બાળકો ઇસુનો વિરોધ કરે છે તેની તકરાર

31 જે યહૂદીઓએ તેમના પર વિશ્વાસ કયો્ઁ હતો, તેમને ઈસુએ કહ્યું, "જો તમે મારા શિક્ષણમાં છો તો તમે મારા ખરાં શિષ્ય છો. 32 ત્યારે તમે સત્યને જાણશો, અને સત્ય તમને મુક્ત કરશે."

33 તેઓએ જવાબ આપ્યો, "અમે અબ્રાહમના વંશજ છીએ, અને અમે કદી કોઈનાં ગુલામ બન્યા નથી. તો તમે કેમ કહો છો કે તમને મુકત કરવામાં આવશે?"

34 ઈસુએ જવાબ આપ્યો, "હું તમને સાચે જ કહું છું કે જે પાપ કરે છે તે પાપનો ગુલામ છે. 35 અને ગુલામને ઘરમાં કોઈ કાયમી જગ્યા હોતી નથી; પણ સદા પુત્રનું બધું છે. 36 તેથી જો પુત્ર તમને મુક્ત કરે તો તમે જરૂર મુક્ત થશો. 37 હા, હું જાણું છું કે તમે અબ્રાહમના વંશજ છો, છતાં તમે મને મારી નાંખવાની કોશિશ કરે છે, કેમકે તમે મારા વચનને સ્થાન આપતાં નથી. 38 મારા પિતાની હાજરીમાં મેં જે જોયું તે હું તમને કહું છું. પરંતુ તમે પણ તમારાં પિતા પાસેથી જે સાંભળ્યું તે કરો છો."

39 તેઓએ જવાબ આપ્યો કે, "અમારો પિતા અબ્રાહમ છે."

ઈસુએ કહ્યું, "જો અબ્રાહમ તમારો પિતા હોત, તો તમે અબ્રાહમે જે કયુઁ તે તમે કરત. 40 પણ મને એટલે ઈશ્વર પાસેથી સાંભળેલ સત્ય તમને કહેનાર માણસને, જેમ તમે મને મારી નાંખવા ચાહો છો, તેમ અબ્રાહમે એવું કર્યું ન હતું. 41 તમે તમારા પિતાનાં કામ કરો છો."

તેઓએ વિરોધ કયોઁ, "અમે વ્યભિચારથી થયેલા સંતાન નથી. અમારા એક માત્ર પિતા ઈશ્વર જ છે."

42 ઈસુએ તેઓને કહ્યું, "જો ઈશ્વર તમારાં પિતા હોત તો, તમે મને પ્રેમ કરત, કારણ કે હું ઈશ્વર પાસેથી અહીંયા આવ્યો છું. હું મારી મેળે આવ્યો નથી; પણ ઈશ્વરે મને મોકલ્યો છે. 43 મારું બોલવું તમે કેમ સમજી શકતા નથી, કારણ કે હું જે કહું છું તે તમે સાંભળી શકતા નથી. 44 તમે તમારાં પિતા શેતાનનાં છો, અને તમે તમારા પિતાની ઇચ્છા પુરી કરવા ચાહો છો. આરંભથી જ તે મનુષ્યઘાતક હતો, સત્યને પકડી રાખતો નથી, કેમકે તેનામાં સત્ય નથી. જયારે તે જૂઠું બોલે છે, ત્યારે તે પોતાની જ ભાષા બોલે છે, કેમકે તે જુઠો અને જૂઠાનો પિતા છે. 45 કેમકે હું તમને સત્ય કહું છું, પણ તમે વિશ્વાસ કરતા નથી. 46 તમારાંમાંનો કોણ મારામાં પાપ સાબીત કરી શકે? જો હું સત્ય કહું છું તો તમે મારા પર કેમ વિશ્વાસ કરતા નથી? 47 જે ઈશ્વરનો છે, તે ઈશ્વર કહે છે તે સાંભળે છે, પણ તમે સાંભળતા નથી એનું કારણ એ છે કે તમે ઈશ્વરનાં નથી."

ઈસુ પોતા વિશે દાવો કરે છે

48 યહૂદીઓએ જવાબ આપ્યો, "તમે સમરૂની છો અને ભૂત વળગેલું છે એ અમારું કહેવું સાચું નથી?"

49 ઈસુએ કહ્યું, "મને અશુધ્ધ આત્મા વળગેલો નથી. પણ હું મારા પિતાને માન આપું છું, અને તમે મારું અપમાન કરો છો. 50 હું પોતાનો મહિમા શોધતો નથી; પણ એક છે કે જે શોધે અને તે ન્યાયી છે. 51 હું તમને સાચે જ કહું છું: જે કોઇ મારાંં વચન પાળે છે તે કદી મરશે નહિ."

52 એ પર તેઓ આશ્વયઁ પામ્યા, "હવે અમે જાણીએ છીએ કે તમને અશુધ્ધ આત્મા વળગ્યો છે! અબ્રાહમ અને પ્રબોધકો મરણ પામ્યા, છતાં તમે કહો છો કે જે કોઇ તમારાં વચન પાળે છે તેઓ કદી મરણ જોશે નહિ! 53 શું તમે અમારા પિતા અબ્રાહમ કરતાં પણ મહાન છો? તે મરણ પામ્યો અને પ્રબોધકો પણ મરણ પામ્યા છે. તો તમે કોણ છો તે વિશે તમે શું ધારો છો?"

54 ઈસુએ જવાબ આપ્યો, "જો હું પોતાને મહીમાવાન કરું, તો મારો મહિમા કંઇજ નથી. મારા પિતા, જેમને તમે તમારાં ઈશ્વર તરીકે ઓળખાવો છો, તેઓએ જ છે મહીમાવાન કરે છે. 55 જો કે તમે તેમને ઓળખતાં નથી, હું તેમને ઓળખું છું. જો હું કહું કે હું તેમને ઓળખતો નથી, તો હું તમારાં જેવો જ જૂઠો ઠરું, પરંતુ હું તેમને ઓળખું છું અને તેમનાં વચન પાળું છું. 56 તમારો પિતા અબ્રાહમ મારો દિવસ જોઈને હર્ષ પામ્યો. તે જોઇને ખુશ થયો."

57 તેઓએ તેમને કહ્યું, "તમે હજી પચાસ વરસના થયાં નથી અને તમે અબ્રાહમને જોયા?"

58 ઈસુએ જવાબ આપ્યો, હું સાચે જ તમને કહું છું કે, "અબ્રાહમનો જન્મ થયો તે પહેલાંનો હું છું." 59 ત્યારે તેઓએ તેમને મારવાં માટે પથ્થરા લીધા, પરંતુ ઈસુ સંતાઈને મંદિરમાંથી બહાર નીકળી ગયા.

Veja também

Publicidade
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-15_21-32-39-