1 આ પછી, ઈસુ ગાલીલની આસપાસ ગયા. એ યહૂદિયામાં જવા માગતા નહોતાં, કેમકે ત્યાં યહૂદી આગેવાનો તેમને મારી નાખવાં શોઘતાં હતા. 2 હવે યહૂદીઓનું માંડવાપર્વ નજીક હતું. 3 ઈસુના ભાઈઓએ તેમને કહ્યું, ગાલીલ છોડી ને યહૂદિયા જાઓ. "જેથી તમે જે કામો કરો છો તે તમારાં શિષ્યો જુએ; 4 કોઇ પોતે પ્રસિધ્ધ થવાને ચાહતો હોવાથી ગુપ્ત રીતે કંઇ કરતો નથી. જો તમે એ કામો કરો છો તો જગતને પોતાને દેખાડી આપો." 5 કેમકે તેમના પોતાના ભાઈઓએ પણ તેમના પર વિશ્વાસ કયોઁ ન હતો.
6 એ માટે ઈસુએ તેમને કહ્યું, "મારો સમય હજુ આવ્યો નથી, પણ સઘળા સમય તમને સરખાં છે. 7 જગત તમારો ધિક્કાર કરી શક્તું નથી, પણ મને તો ધિક્કારે છે, કારણ કે હું સાક્ષી આપું છું કે તેમના કામ ભૂંડા છે. 8 તમે પવઁમાં જાઓ, હું આ પવઁમાં જતો નથી, કેમકે મારો સમય પૂરેપૂરો આવ્યો નથી." 9 આ કહયાં પછી તેઓ ગાલીલમાં જ રહ્યા.
10 તેમના ભાઈઓ પર્વમાં ગયા. પછી તેઓ પણ જાહેરમાં નહિ પણ છાની રીતે ગયા. 11 હવે પવઁમા યહૂદી આગેવાનો ઈસુની શોધ કરતાં અને પૂછતાં, કે "તેઓ કયાં છે?"
12 ટોળા મઘ્યે તેમના વિશે ઘણી ચચાઁઓ ચાલી, કેટલાકે કહ્યું, "તેઓ સારા માણસ છે."
જયારે બીજાઓ કહેતાં, "ના, એ તો લોકોને ભરમાવે છે." 13 પરંતુ આગેવાનોની ધાકને લીધે કોઈએ તેમના વિશે જાહેરમાં કાંઈ કહ્યું નહિ.
14 પર્વ અધવાર્યું ત્યારે ઈસુએ મંદિરનાં આંગણાંમાં જઈને શિક્ષણ આપ્યું, 15 યહૂદીઓ આશ્ચર્યચકિત થઈને પૂછવાં લાગ્યા, "આ માણસ કદી પણ શીખ્યો નથી, છતાં તેણે આટલું બધુ જ્ઞાન કેવી રીતે મેળવ્યું?"
16 ઈસુએ જવાબ આપ્યો, "મારું શિક્ષણ માંરુ પોતાનું નથી, પણ જેણે મને મોકલ્યો છે તેમના તરફથી આવે છે. 17 જે કોઇ ઈશ્વરની ઇચ્છા પૂર્ણ કરવા ચાહે છે, તો તે સમજશે કે મારું શિક્ષણ ઈશ્વર તરફથી છે કે હું પોતે બોલું છું. 18 જે કોઇ પોતા વિશે બોલે છે, તે પોતાનો મહિમા શોધે છે, પણ જે તેમના મોકલનારનો મહિમા શોધે છે તે જ ખરો માણસ છે. અને તેનામાં કાંઈ અન્યાય નથી. 19 શું મોશેએ તમને નિયમ નથી આપ્યો, છતાં પણ તમારામાંનો કોઇ નિયમોનું પાલન કરતો નથી, તમે મને મારી નાખવાને કેમ કોશિશ કરો છો?"
20 ટોળાએ જવાબ આપ્યો, "તમને અશુધ્ધ આત્મા વળગ્યો છે. કોણ તમને મારી નાખવાને કોશિશ કરે છે?"
21 ઈસુએ તેઓને કહ્યું, "મેં એક ચમત્કાર કયોઁ અને તમે બધા આશ્ચર્ય પામ્યાં. 22 કેમકે મોશેએ તમને સુન્નતનો નિયમ આપ્યો (જો કે ખરેખર તે મોશેથી આવ્યો નથી પણ પૂવઁજોથી) છતાં પણ, તમે સાબ્બાથદિને છોકરાની સુન્નત કરાવો છો. 23 હવે, જો છોકરાની સાબ્બાથે સુન્નત કરાવે, તો તેમાં મોશેનાં નિયમનું ઉલ્લંઘન થતું નથી. પણ સાબ્બાથદિને એક માણસને સંપૂર્ણ સાજો કર્યો, તે માટે કેમ તમે મારા પર ગુસ્સે થાવ છો? 24 માત્ર દેખાવ પ્રમાણે ન્યાય કરવાનું બંધ કરો, પણ એને બદલે સાચો ન્યાય કરો."
25 ત્યારે યરુશાલેમનાં કેટલાક લોકો એકબીજાને પૂછવાં લાગ્યા, "શું આ એ માણસ નથી કે જેને તેઓ મારી નાંખવાની કોશિશ કરે છે? 26 તેઓ અહીંયા છે, તે જાહેરમાં બોલે છે, અને તેઓ તેને શબ્દ કહેતા નથી! શું અધિકારીઓએ ખરેખર એવું તારણ કાઢયું છે કે તેઓ જ મસીહ છે? 27 પણ આપણે જાણીએ છીએ કે આ માણસ કયાંનો છે, જયારે મસીહ આવશે ત્યારે કોઇને ખબર પડશે નહિ કે તેઓ કયાંનાં છે."
28 ત્યારે ઈસુએ મંદિરનાં આંગણાંમાં હજું પણ ઉપદેશ કરતાં મોટેથી કહ્યું, "હા, તમે મને જાણો છો, અને તમે જાણો છો હું કયાંનો છું, હું અહીં મારા પોતાના અધિકારથી નથી પણ જેણે મને મોકલ્યો છે તેઓ સાચા છે, તેમને તમે જાણતા નથી, 29 પણ હું તેમને જાણું છું, કેમકે હું તેમનાથી છું, અને તેમણે મને મોકલ્યો છે."
30 માટે તેઓએ તેમને પકડવા પ્રયત્ન કર્યો, પરંતુ કોઈએ તેમના પર હાથ નાખ્યો નહિ, કેમકે તેમનો સમય હજુ આવ્યો ન હતો. 31 છતાં, ટોળામાંથી ઘણાંએ તેમનાં પર વિશ્વાસ કયોઁ, તેઓએ કહ્યું, "જયારે મસીહ આવશે ત્યારે તેઓ આ માણસ કરતાં શું વધારે ચિન્હો કરશે?"
32 ટોળામાં તેમના વિશે આવી ચર્ચા થઈ રહી છે એ ફરોશીઓએ સાંભળ્યું. ત્યારે મુખ્ય યાજકોએ અને ફરોશીઓએ તેમને પકડવાને સિપાઈઓ મોકલ્યા.
33 ઈસુએ કહ્યું, "હજી થોડો સમય હું તમારી સાથે છું, પછી જેણે મને મોકલ્યો છે તેમની પાસે હું જાઉં છું. 34 તમે મને શોધશો પણ હું તમને મળીશ નહિ અને હું જયાં જાઉં છું, ત્યાં તમે આવી શકશો નહિ."
35 યહૂદીઓએ એકબીજાને કહ્યું, "આ માણસ કયાં જવાનો ઇરાદો રાખે છે કે આપણે તેમને શોધી ન શકીએ? શું તે ગ્રીકોમાં વસતા આપણા લોકોની મધ્યે જઈને ગ્રીકોને શિક્ષણ આપશે? 36 તમે મને શોધશો પણ હું તમને મળીશ નહિ અને હું જયાં છું ત્યાં તમે આવી શકશો નહિ એમ કહીને તે શું કહેવા માંગે છે?"
37 પર્વના છેલ્લા અને સૌથી મોટા દિવસે ઈસુએ ઊભા રહીને મોટે અવાજે કહ્યું, "જો કોઈ તરસ્યો હોય તો તે મારી પાસે આવે અને પીએ. 38 જેમ શાસ્ત્ર કહે છે તેમ જે કોઈ મારામા વિશ્વાસ કરે છે, તેમની અંદરથી જીવતાં પાણીની નદીઓ વહેશે." 39 જે તેમના પર વિશ્વાસ કરનારાઓને આત્મા મળવાનો હતો તે વિશે કહ્યું. હજું સુધી ઈસુને મહિમાવાન કરવામાં આવ્યા નહોતાં, આત્મા પણ આપવામાં આવ્યો ન હતો.
40 લોકોએ તેમના શબ્દો સાંભળીને કહ્યું, "ખરેખર આ માણસ પ્રબોધક છે."
41 જયારે બીજાઓએ કહ્યું, "તે મસીહ છે."
બીજા કેટલાકે કહ્યું, "મસીહ ગાલીલમાંથી કેવી રીતે આવી શકે? 42 શું શાસ્ત્ર એવુ નથી કહેતુ કે દાવિદના વંશમાંથી અને બેથલેહેમ શહેર, જયાં દાવિદ રહેતો હતો ત્યાંથી મસીહ આવવાના છે." 43 આમ ઈસુને કારણે લોકોમાં ભાગલા પડયાં. 44 કેટલાક ઈસુને પકડવા ચાહતા હતા. પણ કોઈએ તેમના પર હાથ નાખયો નહિ.
45 આખરે મંદિરનાં સૈનિકો મુખ્ય યાજકો અને ફરોશીઓ પાસે પાછા ગયા, તેઓએ તેમને પૂછયું, "તમે તેમને કેમ લાવ્યાં નહિ?"
46 સૈનિકોએ જવાબ આપ્યો, "આ માણસના જેવું કદી કોઇ બોલ્યું નથી."
47 ફરોશીઓએ મશ્કરી કરતાં કહ્યું, "એટલે કે શું તમે પણ ભરમાઈ ગયા? 48 શું કોઇ અધિકારીએ અથવા કોઇ ફરોશીઓએ તેમના પર વિશ્વાસ કયોઁ? 49 ના! પણ આ લોકો નિયમશાસ્ત્ર વિશે કશું જાણતા નથી તેઓ શાપિત છે."
50 નિકોદેમસ, જે પહેલાં ઈસુની પાસે ગયો હતો અને કે જે તેઓમાંનો એક હતો, કહ્યું 51 "કોઈ માણસનું સાંભળ્યાં અગાઉ, અને તે જે કરે છે તે જાણ્યાં વિના, આપણું નિયમશાસ્ત્ર શું તેનો ન્યાય ઠરાવે છે?"
52 તેઓએ જવાબ આપ્યો, "તું પણ ગાલીલનો છે કે શું? તેમાં તપાસી જો, અને તને માલૂમ પડશે કે કોઈ પ્રબોધક ગાલીલમાંથી આવનાર નથી."
53 પછી તેઓ બધા ઘરે ગયા.