Publicidade

João 10

ઉત્તમ ઘેટાંપાળક અને તેમના ઘેટાં

1 "હું તમને સાચે જ કહું છું ફરોશીઓ, જે કોઇ દરવાજેથી ઘેટાંના વાડામાં જતા નથી, પણ બીજા કોઇ રસ્તે થી ચઢે છે, તે એક ચોર અને એક લૂટારો છે. 2 જે કોઇ દરવાજા થી અંદર આવે છે તે ઘેટાંપાળક છે. 3 દરવાન તેમના માટે દરવાજો ખોલે છે, અને ઘેટું તેનો અવાજ સાંભળે છે. તે તેમના પોતાનાં ઘેટાંને નામ દઈને બોલાવે છે, અને તેમને બહાર દોરી જાય છે. 4 જયારે તે પોતાના બધાંને બહાર લાવે છે, ત્યારે તેઓ તેઓની આગળ ચાલે છે, અને તેમના ઘેટાં તેની પાછળ ચાલે છે, કેમકે તેઓ તેમનો અવાજ ઓળખે છે. 5 પણ તેઓ કદી કોઈ અજાણ્યાની પાછળ નહિ ચાલે; હકીકતમાં, તે તેમનાથી દૂર દોડીને જતા રહેશે કેમકે તેઓ તેમનો અવાજ ઓળખતાં નથી." 6 આ ઉદાહરણ સાંભળનારા ફરોશીઓ સમજી ન શક્યાં કે ઈસુ તે દ્વારા શું કહેવામાં માગે છે.

7 તેથી ઈસુએ ફરીથી કહ્યું, "હું તમને સાચે જ કહું છું, હું ઘેટાં માટેનો દરવાજો છું. 8 જે લોકો મારી પહેલાં આવી ગયા છે તેઓ ચોર અને લુંટારા છે. પણ ઘેટાંએ તેઓનું સાંભળ્યું નહિ. 9 હું દરવાજો છું. જે કોઇ મારા દ્વારા પ્રવેશ કરશે તે બચશે. તેઓ અંદર આવશે અને બહાર જશે, તેઓ ચારો શોધશે. 10 ચોર ખાલી ચોરી અને મારી નાખવા અને નાશ કરવા આવે છે; તેઓને જીવન મળે અને તે ભરપૂર મળે માટે હું આવ્યો છું.

સાચો ઘેટાંપાળક

11 "હું ઉત્તમ ઘેટાંપાળક છું. ઉત્તમ. ઘેટાંપાળક ઘેટાંને માટે પોતાનો જીવ આપે છે. 12 ચાકર ઘેંટાપાળક નથી અને તે તેનાં ઘેટાં નથી. તેથી તે વરુને આવતું જોઈ તે ઘેટાંને મૂકીને નાસી જાય છે, પછી વરુ ટોળા પર ત્રાટકે છે અને તેને વેરવિખેર કરી નાંખે છે. 13 માણસ નાસી જાય છે, કેમકે તે ચાકર છે, અને ઘેટાંને માટે તેને કોઇ ચિંતા નથી.

14 "હું ઉત્તમ ઘેટાંપાળક છું, હું મારા ઘેટાંને ઓળખું છું અને મારાંં ઘેટાં મને ઓળખે છે. 15 જેમ પિતા મને ઓળખે છે અને હું પિતાને ઓળખું છું, અને ઘેટાંને માટે હું મારો જીવ આપું છું. 16 મારે બીજા ઘેટાં છે, તેઓ આ વાડામાંનાં નથી, તેમને પણ મારે લાવવાની જરૂર છે. તેઓ મારો અવાજ સાંભળશે, અને ત્યાં એક ટોળું અને એક ઘેટાંપાળક થશે. 17 પિતા મારા પર પ્રેમ કરે છે કારણ કે હું મારો જીવ આપું છું, ફકત તે ફરીથી પાછો લઉં. 18 કોઇ પણ મારી પાસેથી તે લઈ શક્તું નથી, પણ હું મારી સ્વેચ્છાએ તે આપું છું. તે આપવાનો અધિકાર મને છે અને તે પાછો લેવાનો મને અધિકાર છે. આ આજ્ઞા મારા પિતા તરફથી મને મળી છે."

19 આ વાત સાંભળનાર યહૂદીઓમાં ફરીથી ભાગલા પડયા. 20 તેઓમાંના ઘણાએ કહ્યું, "તેમને અશુધ્ધ આત્મા વળગ્યો છે અને ઘેલો છે. તેમનું કેમ સાંભળવું જોઈએ?"

21 પણ બીજાઓએ કહ્યું, "ભૂત વળગેલા માણસની આ વાતો નથી. શું અશુધ્ધ આત્મા અંધજનની આંખો ઉઘાડી શકે?"

પ્રભુના દાવાઓ પર વધું તકરાર

22 શિયાળો હતો. ત્યારે યરુશાલેમમાં પ્રતિષ્ઠાપર્વ આવ્યું, 23 અને ઈસુ મંદિરનાં આંગણાંમાં સોલોમોનની પરસાળમાં ચાલતાં હતા. 24 જે યહૂદીઓ તેમની આસપાસ હતા તેઓ તેમને ઘેરી વળ્યા અને પૂછયું, "તમે કયાં સુધી અમને અંધારામાં રાખશો? જો તમે મસીહ હો તો અમને સ્પષ્ટ કહો."

25 ઈસુએ જવાબ આપ્યો, "મેં તમને કહ્યું પણ તમે વિશ્વાસ કરતા નથી. મારા પિતાને નામે હું જે કામો કરું છું, તે મારે વિશે સાક્ષી આપે છે. 26 પણ તમે વિશ્વાસ કરતા નથી કેમકે તમે મારા ઘેટાં નથી. 27 મારાંં ઘેટાં મારો અવાજ સાંભળે છે; હું તેઓને ઓળખું છું, અને તેઓ મારી પાછળ ચાલે છે. 28 હું તેઓને અનંતજીવન આપું છું, અને તેઓ કદી નાશ પામશે નહિ; મારા હાથમાંથી કોઈ તેમને છીનવી લેશે નહિ. 29 મારા પિતા જેમણે મને તેઓને આપ્યા છે, તે બધા કરતા મોટા છે; મારા પિતાનાં હાથમાંથી તેઓને કોઈ છીનવી લઈ શકશે નહિ. 30 હું અને પિતા એક છીએ."

31 ફરીથી યહૂદી વિરોધીઓએ તેમને મારવા પથ્થર લીધા, 32 પણ ઈસુએ તેમને કહ્યું, "પિતા તરફથી મેં તમને ઘણાં સારા કામો બતાવ્યા છે. એમાંના ક્યાં કામ માટે તમે મને પથ્થરે મારો છો?"

33 તેઓએ જવાબ આપ્યો, "કોઈ સારાં કામને લીધે અમે તમને પથ્થર મારતા નથી, પણ ઈશ્વર નિંદાને લીધે, માત્ર માણસ હોવા છતાં, તું પોતાને ઈશ્વર હોવાનો દાવો કરે છે."

34 ઈસુએ તેઓને જવાબ આપ્યો, "શું તમારાં નિયમશાસ્ત્રમાં લખેલું નથી કે, ‘મેં કહ્યું કે તમે "દેવો," છો?’ 35 જેમની પાસે ઇશ્વરનું વચન આવ્યું, જો તેણે તેઓને ‘દેવો’ કહ્યાં, અને શાસ્ત્રનો ભંગ થતો નથી. 36 તો પિતાથી પોતાના જેમને અલગ કરાયા અને જગતમાં મોકલ્યાં એમનું શું? ત્યારે મેં કહ્યું કે ‘હું ઇશ્વરનો દીકરો છું; તો તમે મને દોષિત ઠરાવો છો, તેને તમે ઈશ્વર નિંદા કેવી રીતે કહી શકો!’ 37 જયાં સુધી હું મારા બાપનાં કામ ન કરું ત્યાં સુધી તમે મારા પર વિશ્વાસ ન કરશો. 38 પણ જો હું તેમને કરું, જો કે ભલે તમે મારા પર વિશ્વાસ ના કરો, પણ કામો પર તો વિશ્વાસ કરો, કે તમે જાણો અને સમજો કે હું પિતામાં છું ને પિતા મારામાં છે." 39 ફરી એક વાર તેઓએ તેમને પકડવાનો પ્રયત્ન કર્યો, પણ તે ત્યાંથી ચાલ્યા ગયા.

40 પછી યર્દન નદી પાસે જયાં પહેલાના દિવસોમાં યોહાન બાપ્તિસ્મા આપતાં હતો ત્યાં જઈને તેઓ રહ્યા. 41 અને ઘણાં લોકો તેમની પાસે આવ્યા. તેઓ કહ્યું, "જો કે યોહાને કોઈ ચમત્કાર કર્યા નહોતાં, પણ આ માણસ વિશે તેણે જે કહ્યું હતું તે બધું સાચું હતું." 42 અને ત્યાં ઘણાંએ ઈસુ પર વિશ્વાસ કયોઁ.

Veja também

Publicidade
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-16_06-50-08-