1 પત્નીઓ, એ જ રીતે તમે તમારાં પતિઓને આધીન રહો, કે જેથી જો કોઈ વચન માનતા ન હોય, તો તે પોતાની પત્નીના આચરણથી વચન વગર પણ જીતી શકાય. 2 જયારે તેઓ તમારાંં જીવનની શુધ્ધતા અને આદર જુએ છે. 3 તમારી સુંદરતા બાહ્ય શણગારની ન હોય, જેમ કે, ગૂંથેલી વેણીનો અને સોનાનાં ઘરેણાં, કે કિમતી વસ્ત્રો પહેરવાનો એવો ન હોય. 4 તેના બદલે, આત્માનું અનંતકાળિક સૌદર્ય હોવું જોઈએ, જે નમ્ર શાંત આત્માનું સૌદયઁ છે, જે ઈશ્વરની દ્રષ્ટિમાં અતિમૂલ્યવાન છે. 5 કેમકે પ્રાચીન સમયમાં જે સ્ત્રીઓ ઈશ્વર પર આશા રાખતી હતી, તેઓ પોતાના પતિને આધીન રહીને તેઓ પોતાને શણગારતી હતી. 6 જેમ સારાં અબ્રાહમને સ્વામી કહીને આધીન રહેતી હતી. જો તમે સારું કરો છો અને ગભરાતી નથી તો તમે તેની દીકરીઓ છો.
7 પતિઓ, એ જ રીતે તમારી પત્નિઓને નબળું પાત્ર સમજીને તેની સાથે સમજણપૂવઁક રહો, અને તેની સાથે જીવનની કૃપાના સહવારસ તરીકે માન આપો, જેથી તમારી પ્રાથઁનાઓમાં અવરોધ ન આવે.
8 છેવટે, તમે સર્વ એક મનના, પરસ્પર સહાનુભૂતિ દશાઁવનાર, એકબીજા પર પ્રેમ રાખનારાં, કરુણાળુ અને નમ્ર બનો. 9 ભૂંડાઈનો બદલો ભૂંડાઈથી ન વાળો અથવા અપમાનને બદલે અપમાન ન કરો. પણ એને બદલે ભૂંડાઈનો બદલે આશીઁવાદ આપો, કારણ કે તમને આશીવાઁદના વારસ થાઓ માટે જ તેડવામાં આવ્યા છે.
10 કેમકે,
"જે કોઈ જીવનને પ્રેમ કરવા માંગે છે
અને સારા દિવસો જોવા માંગે છે
તેણે જીભને દુષ્ટતાથી
અને પોતાના હોઠોને કપટી વાતો બોલવાથી અટકાવવી.
11 તેમણે દુષ્ટતાથી દૂર રહેવું અને ભલું કરવું.
તેણે શાંતિ શોધવી અને તેની પાછળ મંડ્યા રહેવું.
12 કેમકે પ્રભુની નજર ન્યાયીઓ પર છે
અને તેમના કાન તેમની પ્રાર્થના પ્રત્યે છે,
પરંતુ પ્રભુનું મુખ દુષ્ટતા કરનારાઓની વિરુધ્ધ છે."
13 જો તમે ભલું કરવા આતુર હશો, તો કોણ તમને નુકશાન કરશે? 14 પણ જો તમારે ન્યાયીપણાને કારણે દુઃખ સહન કરવું પડે, તો તમને ધન્ય છે, "તેઓની ધમકીથી ડરશો નહિ; ગભરાશો નહિ" 15 પણ મસીહને તમારા હ્રદયોમાં પવિત્ર માનો; અને જે આશા તમારી પાસે છે તેનો ખુલાસો માંગે તો તેને નમ્રતાથી અને આદરસહિત જવાબ આપવાં સદા તત્પર રહો. 16 શુધ્ધ અંતઃકરણ રાખો, જેથી જેઓ મસીહમાં તમારા વતઁનની વિરુધ્ધ બોલે છે તેઓ પોતાની નિંદાથી શરમાઈ. 17 કારણ કે જો ઈશ્વરની ઇચ્છા એવી હોય તો ભૂંડું કરીને સહન કરવું એના કરતાં ભલું કરીને સહન કરવું એ વધારે સારું છે. 18 કેમકે મસીહે એક વાર પાપોને માટે, એટલે ન્યાયીએ અન્યાયીઓને માટે દુઃખ સહ્યું; જેથી તે તમને ઈશ્વરની પાસે લાવી શકે, શરીરમાં મારી નાંખવામાં આવ્યા પણ આત્મામાં સજીવન કરવામાં આવ્યા. 19 સજીવન થયા પછી તેમણે કેદ કરાયેલા આત્માઓને ઉપદેશ આપ્યો, 20 આ આત્માઓ એક સમયે અનઆજ્ઞાંકિત નીવડયાં હતા. નૂહ વહાણ બનાવતો હતો ત્યારે ઈશ્વર ધીરજથી રાહ જોતાં હતાં, અને વહાણમાં થોડાં એટલે આઠ જણ પાણીથી બચી ગયા હતાં. 21 અને આ પાણીનાં બાપ્તિસ્માનું પ્રતિક છે જે તમને પણ હમણાં બચાવે છે, જે શરીર પરથી ગંદકી દૂર કરવાને બદલે, ઈશ્વર પ્રત્યેના શુધ્ધ હ્રદયની પ્રતિજ્ઞાને દશાઁવે છે. તે ઈસુ મસીહના પુનરુત્થાન દ્વારા તમને બચાવે છે. 22 જે સ્વર્ગમાં ગયા છે, અને ઈશ્વરના જમણે હાથે બિરાજમાન છે, તમામ દૂતો, અધિકારીઓ તથા પરાક્રમીઓ તેમને આધીન છે.