Publicidade

1 Pedro 1

1 પોંતસ, ગલાતિયા, કાપાદોકિયા, આસિયા અને બિથુનિયા પ્રાંતોમાં, વિખેરાઈ

ગયેલાં ઇશ્વરના પસંદ કરેલાઓ પરદેશી તરીકે વિખેરાયેલાઓનાં ઈસુ મસીહના પ્રેષિત પિતર. 2 જે ઈશ્વર પિતાનાં પૂવઁજ્ઞાન પ્રમાણે આત્માના પવિત્રીકરણથી, ઈસુ મસીહને આજ્ઞાકીંત થવા માટે અને તેમના રકતથી છંટકાવ કરવા માટે, જેમને પસંદ કરવામાં આવ્યા છે:

તમારાં પર ઈશ્વરની પુષ્કળ કૃપા અને શાંતિ થાઓ.

જીવંત આશા માટે ઈશ્વરની સ્તુતિ થાઓ

3 આપણા પ્રભુ ઈસુ મસીહના પિતા અને ઈશ્વરની સ્તુતિ થાઓ! તેમની અપાર દયાથી ઈસુ મસીહના મૃત્યુમાંથી પુનરુત્થાન દ્રારા આપણને જીવંત આશામાં નવો જન્મ આપ્યો છે, 4 અને એવો વારસો કે જે કયારેય નાશ પામશે નહિ, બગડશે કે ઝાંખો પડશે નહિ, આ વારસો તમારે માટે સ્વગઁમાં રાખવામાં આવ્યો છે, 5 જે છેલ્લા સમયમાં પ્રગટ થવાની તૈયારીમાં છે તે તારણના આગમન સુધી વિશ્વાસ દ્રારા ઇશ્વરના સામથ્યઁથી સંભાળી રાખવામાં આવેલા છે. 6 એમાં તમે આનંદ કરો છો, જો કે થોડા સમય માટે તમને દરેક પ્રકારની કસોટીઓમાં દુઃખ સહન કરવું પડ્યું હોય. 7 આ એટલા માટે આવ્યા છે કે તમારા વિશ્વાસની સાબિતી સત્યતા જે અગ્નિથી પરખાયેલા નાશવંત સોના કરતાં પણ વધું મૂલ્યવાન છે, તે ઈસુ મસીહના પ્રગટ થવાનાં સમયે મહિમા, પ્રસંશા અને સન્માનમાં પરિણમી શકે. 8 તમે તેમને જોયા નથી, છતાં તમે તેમના પર પ્રેમ રાખો છો, હાલ પણ તમે તેમને જોતાં નથી, છતાં તેમના પર વિશ્વાસ રાખો છો અને અવર્ણનીય અને મહિમાવંત આનંદથી ભરપૂર થાઓ છો, 9 કારણ કે તમે તમારા વિશ્વાસનું પરિણામ, એટલે તમારા આત્માનું તારણ પામો છો.

10 આ તારણ વિશે, જે પ્રબોધકોએ તમારા પર આવનાર કૃપા વિશે વાત કરી હતી, તેઓએ તે તારણની ખૂબ જ ધ્યાનથી અને કાળજીથી શોધ કરી હતી. 11 તેઓનામાં રહેલ મસીહના આત્માએ મસીહના દુઃખ અને તે પછીના મહિમા વિશે અગાઉથી ભવિષ્યવાણી કરી હતી, ત્યારે મસીહનો આત્મા જે તેમનામાં હતો તે કયા સમય અને સંજોગો હતા તેની તપાસ તેઓ કરતા હતાં. 12 તે બાબતો પ્રસિધ્ધ કરીને તેઓએ પોતાની જ નહિ પણ તમારી સેવા કરી હતી, એવું તેમને પ્રગટ કરવામાં આવ્યું હતું; તે વાતો સ્વગઁમાંથી મોકલેલ પવિત્ર આત્માથી જેઓએ તમને સુસમાચાર પ્રગટ કયાઁ તેઓના દ્રારા તમને હમણાં કહેવામાં આવ્યું, તે બાબતો પ્રગટ કરવાની ઇચ્છા દૂતો પણ રાખે છે.

પવિત્ર થાઓ

13 તેથી, ઈસુ મસીહના પ્રગટ થવાનાં સમયે તમારા પર જે કૃપા થશે તેના પર જાગૃત રહી સંપૂણઁ સાવધ મનથી આશા રાખો. 14 આજ્ઞાકારી બાળકો તરીકે, અજ્ઞાનકાળમાં તમારી દુષ્ટ ઈચ્છાઓ પ્રમાણે ન ચાલો. 15 પણ જેણે તમને બોલાવ્યાં છે જેવા તે પવિત્ર છે, તેવાં તમે પણ સર્વ રીતે પવિત્ર થાઓ. 16 કારણ કે લખેલું છે કે: "હું પવિત્ર છું, માટે તમે પણ પવિત્ર થાઓ."

17 જો તમે દરેક વ્યક્તિનાં કામનો નિષ્પક્ષ રીતે ન્યાય કરનાર પિતાને પ્રાથઁના કરો છો, તો અહીં પરદેશી તરીકે નો સમય ભયથી વિતાવો. 18 કેમકે તમે જાણો છો કે તમારા પૂવઁજોથી તમને મળેલાં નિરથઁક જીવનથી તમને મુક્તિ આપવામાં આવી છે, જેમ કે ચાંદી કે સોના જેવી નાશવંત વસ્તુઓથી નહિ, 19 પણ મસીહ જે ખોડખાંપણ તથા નિદોઁષ હલવાન જેવા છે તેમના મૂલ્યવાન રકતથી. 20 સૃષ્ટિના આરંભ પહેલાં તેમને પસંદ કરવામાં આવ્યા હતા, પરંતુ આ છેલ્લા દિવસોમાં તમારી ખાતર તેમને પ્રગટ કરવામાં આવ્યા છે. 21 તેમના દ્રારા તમે ઈશ્વર પર વિશ્વાસ કરો છો, જેમણે તેમને મૃત્યુમાંથી ઊઠાડ્યા અને મહિમાવાન કયાઁ, અને તેથી તમારો વિશ્વાસ અને આશા ઇશ્વરમાં છે.

22 હવે તમે સત્યનું પાલન કરીને પોતાને શુધ્ધ કયાઁ છે, જેથી તમને એકબીજા માટે નિષ્ઠાવાન પ્રેમ રહે, એકબીજાને આગ્રહથી નિખાલસ પ્રેમ કરો. 23 કેમકે તમે વિનાશી બીજથી નહિ પણ અવિનાશીથી, ઈશ્વરના જીવંત તથા સાર્વકાલિક રહેનાર વચન વડે, તમને નવો જન્મ આપવામાં આવ્યો છે. 24 કેમકે,

"સઘળાં લોકો ઘાસ જેવા છે.

અને તેઓનું સઘળું ગૌરવ ઘાસના ફૂલ જેવું છે.

ઘાસ સુકાઈ જાય છે અને ફૂલ ખરી પડે છે.

25 પણ પ્રભુના સુસમાચારનું વચન સદાકાળ ટકે છે."

અને જે વચન તમને પ્રગટ કરવામાં આવ્યું તે તે જ છે.

Veja também

Publicidade
1 Pedro
Ver todos os capítulos de 1 Pedro
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-15_21-32-39-