Publicidade

1 Pedro 2

1 તેથી સઘળી દુષ્ટતા, કોટ, દંભ, અદેખાઈ અને નિંદા કરવાનું છોડી દો. 2 જેમ નવું જન્મેલું બાળક શુધ્ધ આત્મિક દૂધ માટે ઝંખે છે, જેથી તમે તમારા તારણમાં વૃ્ધ્ધિ પામો. 3 હવે તમે અનુભવ કરીને જાણો છો કે પ્રભુ સારા છે.

જીવંત પથ્થર અને પસંદ કરેલાં લોકો

4 જયારે અમે તેમની પાસે આવો છો, જીવંત પથ્થર માણસોથી નકારાયેલ પરંતુ ઈશ્વરથી પસંદ કરેલાં અને તેમના માટે અતિમૂલ્યવાન, 5 તમે પણ, ઈશ્વરના ઘરનાં બાંધકામમાં જીવંત પથ્થરો તરીકે ચણાયા છો, પવિત્ર યાજકવગઁ, અને જે આત્મિક યજ્ઞો ઈસુ મસીહ દ્રારા ઇશ્વરને પ્રસન્ન છે એ યજ્ઞો કરવાને માટે તમે પવિત્ર યાજકવગઁ થયા છો. 6 કારણ કે શાસ્ત્રમાં જણાવ્યું છે:

"જુઓ, પસંદ કરેલો અને ખૂણાનો મૂલ્યવાન પથ્થર,

હું સિયોનમાં સ્થાપન કરું છું,

અને એ એક કે જેના પર તેણે વિશ્વાસ કયોઁ છે,

તે કદી શરમાશે નહિ."

7 તમ વિશ્વાસ કરનારાઓ માટે, આ અતિમૂલ્યવાન છે, પણ જેઓ વિશ્વાસ કરતા નથી અને તેનો નકાર કરે છે તેમને માટે,

"બાંધનારાઓએ જે પથ્થરને નકામો ગણ્યો,"

તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે,

8 વળી,

"અને લોકોને ઠેસ ખવડાવનાર પથ્થર.

અને ઠોકર ખવડાવનાર ખડક થયો છે."

તેઓ વચન સાંભળતા નથી, તેથી જ તેઓ તે શિક્ષા ભોગવશે.

9 પણ તમે તો પસંદ કરેલાં લોક છો. તમે રાજાનાં યાજકો છો. પવિત્ર પ્રજા, ઈશ્વરના લોક, જેથી જેણે અંધકારમાંથી પોતાના અજાયબ પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપ્યું છે, તેના સદગુણો તમે પ્રગટ કરો. 10 પહેલાં તમે લોક જ નહોતાં, પણ હવે તમે ઈશ્વરના લોક છો; અગાઉ તમે કૃપા પામેલા ન હતા, પણ હવે તમે કૃપા પામેલા છો.

મૂતિઁપૂજક સમાજમાં પ્રભુમય જીવન જીવવું

11 વહાલાં મિત્રો, હું તમને વિનંતી કરું છું કે જે દૈહીક વિષયો જે આત્મા સાથે લડે છે તેઓથી તમે પરદેશી તથા પ્રવાસી જેવા દૂર રહો. 12 અને વિદેશી લોકોમાં તમારા આચરણ સારા રાખો; જેથી તેઓ તમને દુષ્ટ સમજીને તમારી વિરુદ્ધ બોલે ત્યારે તેઓ તમારાં રૂડાં કામ જોઇને ન્યાયકરણને દિવસે ઈશ્વરની સ્તુતિ કરે.

13 માનવીએ સ્થાપેલી દરેક સત્તાને પ્રભુને ખાતર આધીન રહો: રાજાને સવોઁપરી સમજીને તેને આધીન રહો; 14 ખોટું કરનારાઓને શિક્ષા કરવા અને સારું કરનારાઓને માન આપવાં માટે તેમણે નિમેલા અધિકારીઓને તમે આધીન થાઓ. 15 કેમકે ઈશ્વરની ઇચ્છા એવી છે કે સારું કરીને મૂખઁ માણસોની અજ્ઞાનતાની વાતોને તમે બંધ કરો. 16 સ્વતંત્ર હોવા છતાં પણ તમારી સ્વતંત્રતાનો ઉપયોગ ખોટાં કામ કરવા માટે ન કરો; ઈશ્વરના ગુલામ તરીકે જીવો. 17 સૌની સાથે આદરપૂર્વક વર્તો, સર્વ વિશ્વાસીઓનાં કુટુંબો પર પ્રેમ રાખો, ઈશ્વરનો ડર રાખો અને રાજ્યસત્તાને માન આપો.

18 નોકરો, તમે પુરુ ભય રાખીને તમારાં માલિકોને આધીન થાઓ; કેવળ ભલા તથા માયાળુ છે તેઓને જ નહિ, પણ વળી જેઓ કઠોર છે તેમને પણ આધીન થાઓ. 19 કારણ કે જે કોઈ માણસ ઇશ્વરના ભક્તિભાવને લીધે અન્યાય વેઠીને દુઃખ સહે છે, ત્યારે તમે ઈશ્વરની નજરમાં પ્રશંસાપાત્ર ઠરો છો. 20 પણ જો તમને ભૂંડુ કરવાને લીધે તમે માર ખાઓ છો અને સહન કરો છો, તો એમાં પ્રશંસાપાત્ર શું છે? પરંતુ સારું કરવાને લીધે તમે દુઃખ ભોગવો છો, ત્યારે જો તે સહન કરો છો તો તે ઈશ્વર નજરમાં પ્રશંસાપાત્ર છે. 21 કારણ કે તમને તેને માટે બોલાવવામાં આવ્યા છે; કેમકે મસીહે પણ તમારા માટે સહન કયુઁ, અને તમને એક નમૂનો આપ્યો કે તમે તેને પગલે ચાલો.

22 "તેમણે કંઈ પાપ કર્યું નહિ,

અને તેમના મોંમા કદી કંઈ કપટ માલૂમ પડ્યું નહિ."

23 જયારે તેમણે તેમનું અપમાન કયુઁ, ત્યારે તેમણે બદલો વાળ્યો નહિ; જયારે તેમણે દુઃખ સહન કયુઁ ત્યારે તેમણે સામી ધમકી આપી નહિ; તેના બદલે તેમણે ન્યાય કરનારને સોંપી દીધા. 24 "ક્રૂસ પર તેમણે પોતે પોતાના શરીરમાં આપણા પાપ માથે લીધા." જેથી આપણે પાપનાં સંબંધમાં મૃત્યુ પામીને ન્યાયપણાં માટે જીવીએ; તેમના ઘાથી આપણે સાજા થયા છે. 25 કેમકે "તમે ભટકી ગયેલાં ઘેટાંના જેવા હતાં," પણ હવે તમે તમારાં આત્માના પાળક અને રક્ષક પાસે પાછા આવ્યા છો.

Veja também

Publicidade
1 Pedro
Ver todos os capítulos de 1 Pedro
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-15_21-32-39-