Publicidade

Romanos 9

ઇઝરાયેલ પ્રત્યે પાઉલની વેદના

1 હું મસીહમાં સત્ય બોલું છું, હું જૂઠું બોલતો નથી, મારું અંતઃકરણ પવિત્ર આત્મા દ્ગારા તેની સાક્ષી આપે છે, 2 મારા હૃદયમાં ખૂબ જ દુઃખ અને સતત વેદના છે. 3 કેમકે હું ઇચ્છું કે મારા લોકો, એટલે કે મારા પોતાના લોકો માટે હું પોતે શાપિત થાઉં અને મસીહથી અલગ થાઉં. 4 ઇઝરાયેલના લોકો. દતકપુત્રપણું, દૈવિય મહિમા, કરારો, નિયમ પ્રાપ્ત કરવાનો અધિકાર, મંદિરમાં ભજનક્રિયા અને વચનો તેમના છે. 5 તેઓના ધમઁપિતૃ તેઓના છે, અને મસીહ દેહ પ્રમાણે તેઓમાંનો છે, તે સવઁકાળ સવોઁપરી સ્તુત્ય ઈશ્વર છે! આમીન.

ઈશ્વરની સનાતન પસંદગી

6 એવુ નથી કે ઇશ્વરનુ વચન નિષ્ફળ ગયું હોય કેમકે જેઓ ઇઝરાયેલનાં વંશજો બધાં ઇઝરાયેલી નથી. 7 અને તેઓ બધા અબ્રાહમનાં વંશજો હોવાથી તેમના સંતાનો નથી. પણ, "ઇસહાકથી તારા વંશજો ગણાશે." 8 બીજા શબ્દોમાં કહીએ તો, જે બાળકો શારીરિક રીતે જન્મ્યા છે તેઓ ઇશ્વરના બાળકો નથી પણ જેઓ વચનનાં બાળકો છે તેઓ અબ્રાહમનાં વંશ ગણાય છે, 9 કેમકે વચન આ રીતે આપ્યું હતું કે: "યોગ્ય સમયે હું આવીશ અને સારાને પુત્ર થશે."

10 એટલું જ નહિ પણ રિબકાનાં બાળકો પણ આપણા પિતા ઇસહાક દ્ઘારા એક જ સમયે ગભઁમાં હતા. 11 છતાં જોડીયા જન્મ્યા પહેલાં તેઓએ હજી કંઇ પણ સારું કે ખરાબ કર્યુ ન હતુ, જેમાં ઈશ્વરની પસંદગીનો હેતુ ટકી રહે. 12 કરણીઓથી નહિ પણ તેડું કરનારની ઇચ્છા પર આધાર રાખે છે, તેને કહેવામાં આવ્યું કે મોટો નાનાની ચાકરી કરશે. 13 જેમ લખેલું છે તેમ: "મેં યાકોબ પર પ્રેમ રાખ્યો, પણ એસાવનો ધિક્કાર કર્યો."

14 તો પછી આપણે શું કહીએ? શું ઈશ્વર અન્યાયી છે? ના! જરા પણ નહિ! 15 કેમકે તે મોશેને કહે છે કે,

"હું જેના પર દયા કરવા ચાહું તેના પર દયા કરીશ,

અને જેનાં પર હું કરૂણા કરવા ચાહું તેના પર કરૂણા કરીશ."

16 તેથી તે મનુષ્ય ઈચ્છા કે પ્રયત્ન પર આધારીત નથી, પણ ઈશ્વરની દયા પર આધારીત છે. 17 કેમકે ફારુનને શાસ્ત્રવચન કહે છે કે: "મેં તને એ જ હેતુ માટે ઉભો કર્યો છે કે તારા દ્વારા હું મારું સામથ્યઁ પ્રગટ કરું અને મારું નામ આખી પૃથ્વી પર પ્રગટ થાય." 18 તેથી ઈશ્વર ચાહે તેના પર દયા કરે છે અને ચાહે તેને કઠણ કરે છે.

19 તો તમે મને કહેશો: તો પછી ઈશ્વર આપણને શા માટે દોષ આપે છે? "કેમકે તેમની ઇચ્છાને કપટ અટકાવી શકે?" 20 પણ માણસ તું કોણ છે કે ઇશ્વરને પ્રશ્ર પૂછે? શું જે કંઇ બનેલું છે તે તેને બનાવનારને કહેશે કે, "તેં મને આવું કેમ બનાવ્યું?" 21 શું કુંભારને એક જ ગારામાંથી ઉત્તમ ઉપયોગ માટે અને સામાન્ય ઉપયોગ માટે કેટલાક પાત્રો બનાવવાનો હક્ક નથી?

22 જો ઈશ્વર, પોતાનો કોપ બતાવવાનું તથા પોતાના સામથ્યઁને પ્રગટ કરવાનું પસંદ કર્યુ, તોપણ તેમણે નાશને માટે તૈયાર કરેલાં તેમના કોપનાં પાત્રોને ખૂબ ધીરજથી સહન કર્યા હતા, તો શું થશે? 23 જો તેમણે આ રીતે પોતાના મહિમાની સંપતી પોતાના દયાના પાત્રોને પ્રગટ કરવા માટે કરી હોય, જેમને તેમણે અગાઉથી મહિમાને સારું તૈયાર કર્યા હતા, 24 એટલે કે આપણે, જેમને તેમણે ફક્ત યહૂદીઓમાંથી નહિ પણ વિદેશીઓમાંથી પણ બોલાવ્યા હતા? 25 જેમ હોશિયામાં તે કહે છે કે:

"જેઓ મારા લોક નથી, તેઓને હું ‘મારા લોક’ કહીશ;

અને જે મારી પ્રિય ન હતી, તેને હું ‘મારી પ્રિય’ કહીશ,"

26 અને,

"જે જગ્યાએ તેઓને એવું કહેવામાં આવ્યું હતું કે,

‘તમે મારા લોક નથી,’

ત્યાં તેઓ ‘જીવંત ઈશ્વરનાં દીકરા’ કહેવાશે."

27 યશાયા ઇઝરાયેલને પોકારીને કહે છે કે:

"જો ઇઝરાયેલીઓની સંખ્યા સમુદ્રની રેતી જેટલી હોય,

તોપણ ફકત બાકી રહેલા જ તારણ પામશે.

28 કેમકે પ્રભુ પૃથ્વી પર પોતાનો

ન્યાય ઝડપથી અંત લાવશે."

29 યશાયાએ અગાઉ કહ્યું હતું તેમજ:

"જો સવઁશક્તિમાન પ્રભુએ

આપણા માટે સંતાનો છોડી ન દીધા હોત, સદોમ અને ગમોરાના,

તો આપણે સદોમ અને ગમોરાના, જેવા થઇ ગયા હોત."

ઇઝરયેલનો અવિશ્વાસ

30 તો આપણે શું કહીએ? જે વિદેશીઓ ન્યાયપણાની શોધમાં ન હતા, તેઓને વિશ્વાસ દ્ઘારા ન્યાયપણું પ્રાપ્ત થયું. 31 પરંતુ ઇઝરાયેલના લોકો ન્યાયપણાના માગઁ તરીકે નિયમશાસ્ત્રની પાછળ લાગુ રહ્યા, પણ તેઓ પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શક્યા નહિ. 32 કેમ નહિ? કારણ કે તેઓ વિશ્વાસથી નહિ, પરંતુ જાણે કાયોઁથી શોધી રહ્યા હતાં. તેઓએ ઠોકર ખવડાવનાર પથ્થરથી ઠોકર ખાધી. 33 જેમ લખેલું છે તેમ:

"જુઓ, હું સિયોનમાં એક પથ્થર મૂકું છું જે લોકોને ઠોકર ખવડાવશે.

અને એક ખડક જે તેમને પાડી નાંખે છે,

જે કોઇ તેના પર વિશ્વાસ કરશે, તેઓ કદી શરમાશે નહિ."

Veja também

Publicidade
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-15_21-32-39-