Publicidade

Romanos 5

શાંતિ અને આશા

1 તેથી આપણે વિશ્વાસ કર્યાથી આપણને ન્યાયી ઠરાવવામાં આવ્યા છે, તેથી આપણે પ્રભુ ઈસુ મસીહ મારફતે આપણને ઈશ્વર સાથે શાંતિ મળે છે, 2 આ જે કૃપા, જેમાં આપણે હાલમાં ઊભા છીએ તેમના દ્ગારા વિશ્વાસથી આપણે પ્રવેશ પામેલા છીએ અને આપણે ઈશ્વરના મહિમાની આશામાં ગવઁ કરીએ છીએ. 3 એટલું જ નહિ પણ મુશ્કેલીઓમાં પણ આપણે આનંદ કરીએ છીએ. કેમકે આપણે જાણીએ છીએ કે મુશ્કેલીઓ ધીરજ ઉત્પન્ન કરે છે; 4 ધીરજથી, ચારિત્ર્યને, અને ચારિત્ર્યથી આશા ઉત્પન્ન થાય છે. 5 ને આશા આપણને શરમાવતી નથી, કેમકે આપણને આપેલા પવિત્ર આત્માથી આપણા હૃદયમાં ઇશ્વરનો પ્રેમ રેડાયો છે.

6 જુઓ, જયારે આપણે નિબઁળ હતાં ત્યારે યોગ્ય સમયે મસીહ પાપીઓને માટે મરણ પામ્યા. 7 ન્યાયી માણસને સારું ભાગ્યે જ કોઇ મરે; સારાં માણસ માટે કોઈ કદાચ મરવાની હિંમત કરે; 8 પણ આપણે જયારે પાપી હતા ત્યારે આપણે માટે મસીહ મરણ પામ્યા, તેમાં ઈશ્વરે આપણા પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવ્યો.

9 હવે આપણે તેના રકત દ્વારા ન્યાયી ઠરાવવામાં આવ્યા છે તેના દ્વારા આપણે ઈશ્વરના કોપથી બચીશું એ કેટલું ખાતરીપૂર્વક છે. 10 કેમકે જયારે આપણે ઈશ્વરના દુશ્મન હતા, ત્યારે તેમના પુત્રનાં મરણ દ્વારા તેમની સાથે સમાધાન થયું તો સમાધાન પછી આપણે તેમના જીવન દ્વારા બચીશું તે કેટલુ વિશેષ ખાતરી ખાતરીપૂવઁક છે! 11 એટલું જ નહિ, પણ પ્રભુ ઈસુ મસીહ દ્વારા આપણો મિલાપ થયો છે આપણે ઈશ્વરમાં ગવઁ કરીએ છીએ.

આદમથી મરણ, મસિહથી જીવન

12 તેથી, જેમ એક માણસથી જગતમાં પાપ આવ્યું, અને પાપથી મરણ, અને તે જ રીતે સઘળા માણસોમાં મરણ આવ્યું, કેમકે સઘળાંએ પાપ કર્યું.

13 નિયમશાસ્ત્ર આપવામાં આવ્યું તે પહેલાં પાપ જગતમાં હતુ ખરુ, પણ જ્યાં નિયમશાસ્ત્ર ન હોય ત્યાં પાપ ગણાય નહિ! 14 તેમ છતાં આદમથી મોશેનાં સમય સુધી મરણે રાજ કયુઁ. જેઓએ આદમની માફક આજ્ઞાભંગનું પાપ કર્યું ન હતું તેઓ પર પણ રાજ કયુઁ, તે તો આવનારને એંધાણીરૂપ હતો.

15 પણ એ દાન પાપ જેવું નથી કેમકે જો એક માણસના પાપથી ઘણાં લોકો મૃત્યું પામ્યા, તો વિશેષ કરીને એક માણસની એટલે કે ઈસુ મસીહની કૃપાથી ઘણાના પર ઈશ્વરની કૃપા તથા દાન પુષ્કળ થયાં છે. 16 અને એક માણસના પાપનાં પરિણામ સાથે ઇશ્વરના દાનની સરખામણી થઇ શકે નહિ એક પાપથી દંડ થયો અને સજા થઈ, પણ દાન ઘણાં અપરાધો અને ન્યાયકરણ લાવ્યો. 17 કેમકે એક માણસના પાપને કારણે મરણે રાજ કર્યું. પરંતુ જે કોઈ ઈશ્વરની કૃપા અને ન્યાયપણાનું દાન પુષ્કળ મેળવે છે તેઓ એક માણસ એટલે ઈસુ મસીહથી, જીવનમાં રાજ કરશે તે કેટલું વિશેષ ખાતરીપૂવઁક છે.

18 તેથી જેમ, એક માણસના પાપને કારણે સર્વ પર શિક્ષા આવી પડી, તેમ એક ન્યાયી કાયઁ બધા લોકો માટે ન્યાયકરણ અને જીવનનું કારણ બન્યું. 19 કેમકે એક માણસના આજ્ઞાભંગને કારણે ઘણાં પાપી થયાં, તેમજ એકના આજ્ઞાપાલનથી ઘણાં ન્યાયી ઠરશે.

20 નિયમશાસ્ત્ર એટલા માટે લાવવામાં આપવામાં આવ્યું કે અપરાધ અધિક થાય. પણ જયાં પાપ વધ્યું, ત્યાં કૃપા પણ વધી. 21 જેમ પાપે રાજ કયુઁ, તેમ આપણા પ્રભુ ઈસુ મસીહ દ્ગારા ન્યાયકરણ દ્ઘારા અનંતજીવનને અથેઁ કૃપા પણ રાજ કરે.

Veja também

Publicidade
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-15_21-32-39-