Publicidade

Romanos 8

આત્મા દ્ઘારા જીવન

1 એ માટે જેઓ મસીહ ઈસુમાં છે, તેઓને માટે હવે કોઈ શિક્ષા નથી. 2 કેમકે મસીહ ઈસુમાં જીવનના આત્માના જે નિયમ છે તેણે તમને પાપ, અને મરણના નિયમથી મુક્ત કર્યા છે. 3 કારણ કે દેહને લીધે નિયમ નિબઁળ હતો, તેથી કરી શક્યો નહિ. તે ઇશ્વરે પોતાના પુત્રને પાપી દેહના સ્વરૂપમાં પાપનું બલિદાન થવા માટે મોકલીને તેના દેહમાં પાપને દોષિત ઠરાવ્યો. 4 જેથી, આપણામાં એટલે દેહ પ્રમાણે નહિ પણ આત્માને પ્રમાણે જીવીએ છીએ, નિયમની ન્યાયની જરૂરિયાત સંપૂણઁ રીતે પુરી થાય.

5 જે લોકો દૈહિક ઇચ્છાઓ પ્રમાણે જીવે છે તેઓ દૈહિક ઇચ્છાઓ પર મન લગાડે છે; પણ જે લોકો આત્મા પ્રમાણે જીવે છે તેઓ આત્માની ઇચ્છાઓ પર મન લગાડે છે. 6 દેહથી દોરાતું મન તે મરણ છે; પણ આત્માથી દોરાતું મન તે જીવન અને શાંતિ છે. 7 જે મન દૈહિક ઇચ્છાઓ દ્ઘારા નિંયત્રિત છે તે ઈશ્વર વિરોધી છે, તે ઈશ્વરના નિયમોને આધીન નથી. અને થઇ શકતું પણ નથી. 8 જેઓ દૈહિક છે તેઓ ઈશ્વરને પ્રસન્ન કરી શકતા નથી.

9 પરંતુ જો, તમે, તમારાંમાં ઈશ્વરનો આત્મા વસે છે. તો તમે દૈહિક નથી પણ આત્મિક છો. પણ જો કોઇને મસીહનો આત્મા નથી તે મસીહનો નથી. 10 પણ જો કે મસીહ તમારાંમાં છે, છતાં પાપને કારણે તમારું શરીર મરેલું છે, પણ ન્યાયીપણાને લીધે તમારો આત્મા જીવે છે. 11 ઈસુ મસીહને મરણમાંથી ઉઠાડનાર આત્મા તમારાંમાં વસે છે, તો જેણે મસીહને મરણમાંથી ઉઠાડયા, તે તમારામાં વસનાર આત્મા દ્ગારા તમારાંં નાશવંત શરીરને સજીવન કરશે.

12 તેથી, ભાઈઓ અને બહેનો, આપણને ફરજ છે, પણ તે દેહ પ્રમાણે જીવવાની નથી. 13 જો તમે દેહ પ્રમાણે જીવશો, તો તમે મરશો; પણ જો તમે આત્માથી શરીરનાં કામોને મારી નાંખશો, તો તમે જીવશો.

14 કેમકે, જેઓ ઈશ્વરનાં આત્માથી દોરાય છે, તેઓ ઈશ્વરના દીકરા છે. 15 તમને મળેલો આત્મા તમને ગુલામ બનાવતો નથી, કે તમે ફરીથી ભયમાં રહો; પણ જે આત્મા તમે મેળવ્યો છે તે દતકપુત્રપણાંનો મળ્યો છે. અને આપણે તેમને "અબ્બા, પિતા, કહીને બોલાવીએ છીએ!" 16 અને તે વળી આત્મા પોતે આપણા આત્મા સાથે સાક્ષી આપે છે કે આપણે ઇશ્વરના બાળકો છીએ. 17 હવે જો આપણે બાળકો છીએ, તો વારસદાર છીએ, ઈશ્વરના વારસદાર અને મસીહ સાથે સહવારસદાર છીએ, જો આપણે તેમનાં દુઃખોમાં ભાગીદાર બનીએ, તો આપણે પણ તેમના મહિમામાં ભાગીદાર બનીએ.

વતઁમાન દુઃખ અને ભવિષ્યનો મહિમા

18 હું માનું છું કે જે મહિમા આપણામાં પ્રગટ થનાર છે તેની સાથે આપણા હાલનાં દુઃખોને સરખાવવા યોગ્ય નથી. 19 કેમકે સૃષ્ટિ ઈશ્વરનાં બાળકોનાં પ્રગટ થવાની આતુરતાથી રાહ જોઈ રહી છે. 20 કારણ કે, સૃષ્ટિની પોતાની ઈચ્છાથી નહિ, પરંતુ તેને આધીન કરનારની ઇચ્છાથી આધીન થઇ, આશાથી 21 કે સૃષ્ટિ પોતે જ વિનાશનાં બંધનમાંથી મુકત થશે અને ઈશ્વરના બાળકોનાં મહિમાની સાથે મુક્તિ પામે.

22 આપણે જાણીએ છીએ કે આખી સૃષ્ટિ અત્યાર સુધી પ્રસૂતિની વેદનાથી કષ્ટાય છે. 23 એટલું જ નહિ, આપણે પોતે પણ, જેમને આત્માનું પ્રથમફળ મળ્યું, તેઓ આપણા દતકપુત્રપણાંની, એટલે કે આપણા શરીરનાં ઉધ્ધારની રાહ જોતાં, અંદરોઅંદર નિસાસા નાંખીએ છીએ. 24 કેમકે તે જ આશાએ આપણે તારણ પામ્યાં છીએ. પણ જે આશા દેખાય છે તે કંઇ આશા નથી જે પહેલેથીજ છે તેની કોણ આશા રાખે? 25 પણ આપણે એવી આશા રાખીએ છીએ કે જે આપણી પાસે હજી સુધી નથી, ત્યારે ધીરજથી આપણે તેની રાહ જોઈએ છીએ.

26 એ જ પ્રમાણે આત્મા આપણને આપણી નિર્બળતામાં સહાય કરે છે. કેવી રીતે પ્રાર્થના કરવી તે આપણે જાણતા નથી, પરંતુ પવિત્ર આત્મા આપણે માટે અવાચ્ય ઉદગારોમાં મધ્યસ્થી કરે છે. 27 અને આપણા હ્રદયોને પારખાનાર આત્માની ઇચ્છા જાણે છે, કેમકે પવિત્ર આત્મા ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ઇશ્વરના લોકો માટે મધ્યસ્થી કરે છે.

28 અને આપણે જાણીએ છીએ કે જેઓ ઈશ્વર પર પ્રેમ રાખે છે, અને જેઓ તેમના હેતુ પ્રમાણે બોલાવાયેલા છે તેઓના ભલા માટે ઈશ્વર બધી બાબતોમાં કામ કરે છે. 29 કેમકે જેમને ઈશ્વર અગાઉથી જાણતા હતા તેઓને તેમણે પોતાના દીકરાની પ્રતિમા પ્રમાણે થવાનું અગાઉથી નક્કી કયુઁ હતું, જેથી તે ઘણાં ભાઈઓ અને બહેનોમાં પ્રથમજનિત થાય. 30 ઈશ્વરે આપણને પસંદ કર્યા અને તેમની પાસે બોલાવ્યા. જયારે આપણે તેમની પાસે આવ્યા ત્યારે; તેમણે આપણને દોષમુકત જાહેર કર્યા, મસીહની સર્વ ભલાઈથી ભરપૂર કર્યા; પોતાની સાથે સીધા સંબંધમાં સ્થાપિત કર્યા અને આપણને તેમના મહિમાના ભાગીદાર બનાવવાનું વચન આપ્યું.

વિજેતાઓ કરતા વિશેષ

31 અને જેઓને તેમણે અગાઉથી મુકરર કયાઁ, તેઓને તેમણે બોલાવ્યા પણ, જેમને તેમણે બોલાવ્યા તેમને ન્યાયી પણ ઠરાવ્યાં, જેમને ન્યાયી ઠેરવ્યા તેમને મહિમાવાન પણ કર્યા. તો આ વાતો વિષે આપણે શું કહીએ? જો ઈશ્વર આપણા પક્ષના છે તો આપણી સામો કોણ? 32 જેમણે પોતાના પુત્રને પાછો ના રાખ્યો, પણ આપણા બધાં માટે તમને સોંપી દીધા, તો તેમની સાથે કૃપા કરીને આપણને બધું જ કેમ નહિ આપે? 33 ઈશ્વરના પસંદ કરેલાં ઉપર કોણ દોષ મૂકશે? ન્યાયી ઠરાવનાર તે ઈશ્વર જ છે. 34 તો પછી દોષિત ઠરાવનાર કોણ? કોઇ નહિ. મસીહ ઈસુ જે મૃત્યું પામ્યા અને સજીવન થયા, તેમનાથી પણ વધું જે ઇશ્વરને જમણે હાથે છે, અને આપણે માટે મધ્યસ્થતા પણ કરી રહ્યાં છે. 35 તો મસીહના ના પ્રેમથી આપણને કોણ જુદા પાડી શકે? મુશ્કેલી, કે આફત કે, સતાવણી કે દુકાળ કે, નગ્નતા કે, તરવાર કે, ભય? 36 જેમ લખેલું છે તેમ:

"તમારે લીધે અમે આખો દિવસ માયાઁ જઈએ છીએ;

કતલ થનાર ઘેટાંના જેવાં અમે ગણાયેલા છીએ."

37 ના, આ બધી બાબતોમાં જેણે આપણા પર પ્રેમ રાખ્યો, તેના દ્ગારા વિશેષ જય પામીએ છીએ. 38 કેમકે મને ખાતરી છે કે, ન તો મરણ, ન જીવન, ન તો દૂતો કે દુષ્ટ, ન વતઁમાન કે ન ભવિષ્ય, કે ન તો કોઇ પરાક્રમ, 39 ઊંચાણ કે, ઊંડાણ કે બીજું કાંઈ પણ સૃષ્ટ વસ્તુ, ઈશ્વરના પ્રેમ આપણા પ્રભુ મસીહ ઈસુમાં છે તેનાથી આપણને જુદા પાડી શકશે નહિ.

Veja também

Publicidade
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-16_06-50-08-