1 તો આપણે શું કહીએ? કૃપા વધે માટે શું આપણે પાપ કર્યા જ કરીએ? 2 ના! કદી નહિ! પાપ સંબંધી આપણે મરણ પામ્યા છીએ તો પછી આપણે પાપમાં કેવી રીતે જીવીએ? 3 શું તમે નથી જાણતાં કે જેઓ મસીહ ઈસુમાં બાપ્તિસ્મા પામ્યા તેઓ સવઁ તેના મરણમાં બાપ્તિસ્મા પામ્યાં. 4 તે માટે આપણે બાપ્તિસ્મા દ્વારા તેની સાથે મરણમાં દટાયા, કે જેથી મસીહ પિતાનાં દ્ગારા મૃત્યુમાંથી સજીવન થયા. તેમ આપણે પણ નવું જીવન જીવીએ.
5 કારણ કે જો આપણે તેનાં મરણની સમાનતામા તેમની સાથે એકરૂપ થયા. તો તેમના પુનરુત્થાનની સમાનતામા આપણે એકરૂપ થઇશુ. 6 આપણે જાણીએ છીએ કે આપણું જુનું માણસપણું ક્રૂસે જડાયું જેથી આપણું શરીર પાપનાં અંકુશમાં ન રહે અને આપણે પાપની ગુલામીમાં ન રહીએ 7 કારણ કે જે કોઇ મૃત્યુ પામ્યું છે તે પાપથી મુક્ત થયો છે.
8 હવે જો આપણે મસીહ સાથે મૃત્યુ પામ્યા, તો આપણને વિશ્વાસ છે કે તેમની સાથે જીવીશું પણ ખરા. 9 કેમકે આપણે જાણીએ છીએ કે, મસીહ મરણમાંથી સજીવન થયા અને ફરી મરણ પામનાર નથી; મરણનો હવે તેમના પર કોઈ અધિકાર નથી. 10 જે મૃત્યુ તેઓ પામ્યા, તેઓ બધા પાપ માટે એક જ વાર મૃત્યુ પામ્યા; પણ જે જીવન તેઓ જીવે છે તે ઈશ્વર માટે જીવે છે.
11 એ જ રીતે, તમે પણ પાપને લીધે મરેલાં પણ મસીહ ઈસુમાં ઈશ્વરને લિધે જીવતાં ગણો. 12 તમારાં નાશવંત શરીર પર પાપને રાજ ન કરવા દો; જેથી તમે તેની દુર્વાસનાઓને આધીન ન થાઓ. 13 તમારાં શરીરનાં અવયવોને ભૂંડાઈનાં સાધન તરીકે પાપને ન સોંપો, પરંતુ મરણમાંથી સજીવન થયેલા એવા તમે પોતાને ઈશ્વરને સોંપાઈ જાઓ, તથા પોતાના અવયવોને ન્યાયપણાના સાધન તરીકે તેમને સોંપો. 14 હવેથી પાપ તમારાં પર રાજ કરશે નહિ, કેમકે તમે નિયમને આધીન નથી, પરંતુ કૃપાને આધીન છો.
15 તો શું? આપણે પાપ કરીએ કેમકે આપણે નિયમ હેઠળ નહિ પણ કૃપા હેઠળ છે? ના, કદી નહિ! 16 શું તમે નથી જાણતા કે, જયારે તમે પોતાને કોઇને આજ્ઞાકીંત ગુલામ તરીકે સોંપો છો, ત્યારે તમે જેની આજ્ઞા પાળો છો તેના તમે ગુલામ છો, કદાચ તમે પાપનાં ગુલામ છો, જે મૃત્યું તરફ દોરી લઇ જાય છે અથવા આજ્ઞાપાલનના, જે તમને ન્યાયપણા તરફ દોરી લઇ જાય છે. 17 તમે પહેલાં પાપનાં ગુલામ હતા, પરંતુ ઈશ્વરનો આભાર માનો કે હવે તમે તેમના શિક્ષણનો હ્રદયપૂર્વક સ્વીકાર કયોઁ છે. 18 આથી તમે પાપની ગુલામીમાંથી મુક્ત બનીને ન્યાયીપણાનાં ગુલામ બન્યા છો.
19 તમારા દેહની મયાઁદાને કારણે હું રોજિંદા જીવનનો દાખલો આપી રહ્યો છું: જેમ તમે પહેલાં અશુધ્ધતા અને વધતી જતી દુષ્ટતાના ગુલામ તરીકે પોતાને સોંપ્યા હતાં, તેમ હવે પવિત્રતા તરફ દોરી જતા ન્યાયીપણાના દાસ તરીકે પોતાને સોંપો. 20 જયારે તમે પાપનાં ગુલામ હતા ત્યારે તમે ન્યાયપણાના નિંયત્રણથી સ્વતંત્ર હતા 21 તેનું પરિણામ શું હતું, તે માટે તમે હમણાં શરમાઓ છો તે બાબતોનું પરિણામ મરણ છે. 22 પરંતુ હવે તમે પાપથી મુક્ત થઈને ઈશ્વરના ગુલામ બન્યા છો, પરિણામે તમે પવિત્ર થઈને અનંતજીવન પામ્યા છો. 23 કેમકે પાપનું વેતન મરણ છે, પરંતુ આપણા પ્રભુ મસીહ ઈસુની મારફતે ઈશ્વર તરફથી મળતું કૃપાદાન અનંતજીવન છે.