1 હવે જે બાબતો માટે તમે લખી મોકલાવ્યું તેના વિશે: "પુરુષ માટે સ્ત્રી સાથે જાતીય સબંધ ન રાખવો તે સારું છે." 2 પરંતુ વ્યભિચાર ચાલી રહ્યો છે, તેથી દરેક પુરુષે પોતાની પત્ની સાથે, અને દરેક સ્ત્રીએ પોતાના પતિ સાથે જાતીય સબંધ બાંધવો જોઈએ. 3 પતિએ પોતાની પત્ની પ્રત્યેની પોતાની લગ્નની ફરજ બજાવવી જોઈએ તે પ્રમાણે પત્નીએ તેના પતિ પ્રત્યે. 4 પત્નીને પોતાના શરીર પર અધિકાર નથી પણ તેના પતિને સ્વાધીન થાય. એ જ પ્રમાણે પતિને પણ પોતાના શરીર પર સંપૂર્ણ અધિકાર નથી, તે તેની પત્નીને સ્વાધીન થાય. 5 એકબીજાથી અલગ ન થાવ, સિવાય કે પરસ્પર સંમતીથી અને થોડા સમય માટે, જેથી તમે પ્રાથઁનામાં પોતાને સમપિઁત કરી શકો છો. પછી ફરીથી ભેગા થાઓ જેથી શેતાન તમારા પર પોતાના પરના નિયંત્રણના કારણે તમને લલચાવે નહિ. 6 હું આ આજ્ઞા તરીકે નહિ, પણ છૂટ તરીકે કહું છું. 7 હું ઇચ્છું છું કે દરેક જણ મારા જેવો થાય. પણ દરેકને ઈશ્વર તરફથી પોતાનું દાન છે; એકને આ દાન છે, બીજાને બીજું.
8 હવે હું અપરિણીત અને વિધવાઓને કહું છું: તેમના માટે અપરિણીત રહેવું સારું છે જેમ હું છું તેમ. 9 પણ જો તમે સંયમ રાખી શકતા ન હો, તો તેઓ પરણે. બળવા કરતાં પરણવું વધારે સારું છે.
10 હવે પરણેલાઓને હું આજ્ઞા આપું છું (હું તો નહિ પણ પ્રભુ) પતિ પોતાની પત્નીથી અલગ ન થાય. 11 પરંતુ જો થાય તો, તે અપરિણીત રહે અથવા તેના પતિ સાથે સમાધાન કરે. અને પતિ પોતાની પત્નીને છૂટાછેડા ન આપે.
12 બાકીનાને હું આ કહું છું (હું નહિ પણ પ્રભુ): જો કોઇ ભાઈને અવિશ્વાસી પત્ની છે અને તે તેની સાથે રહેવા માગે છે તો તે તેને છૂટાછેડા આપે નહિ. 13 અને જો કોઈ પત્નીને અવિશ્વાસી પતિ હોય અને તે તેની સાથે રહેવા માગતો હોય, તો પત્નીએ તેને ત્યજી દેવો નહિ. 14 કેમકે અવિશ્વાસી પતિ તેની પત્નીથી શુધ્ધ થયો છે, અને અવિશ્વાસી પત્ની તેના વિશ્વાસી પતિથી શુધ્ધ થઇ છે નહિ તો તમારા બાળકો અશુધ્ધ હોત, પણ જેમ છે તેમ તેઓ પવિત્ર છે.
15 પરંતુ જો અવિશ્વાસી હોય તો તેને રહેવા દો. આવી પરિસ્થિતિમાં ભાઈ કે બહેન બંધાયેલો નથી; પ્રભુને આપણને શાંતિમાં રહેવાને તેડયા છે. 16 પત્ની, તું તારા પતિને બચાવીશ કે નહિ એ તું કેવી રીતે જાણી શકે? અથવા, પતિ, તું તારી પત્નીને બચાવીશ કે નહિ એ તું કેવી રીતે જાણી શકે?
17 તેમ છતાં, દરેક વ્યક્તિએ પ્રભુએ જે રાખ્યા છે, અને જે પરિસ્થિતીમાં ઈશ્વરે તેને બોલાવ્યો છે તે જ પરિસ્થિતીમાં વિશ્વાસી તરીકે જીવવું જોઈએ. આ નિયમ હું બધી મંડળીઓને આપું છું. 18 શું કોઇ માણસને બોલાવવામાં આવ્યો ત્યારે તેની સુન્નત થઇ ગઇ હતી? શું કોઇ માણસને બોલાવવામાં આવ્યો ત્યારે તેની સુન્નત ન થવી જોઈએ? 19 સુન્નત કંઈ નથી અને બેસુન્નત કંઈ નથી. ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવું એ જ મહત્વનું છે. 20 ઈશ્વર કોઈ માણસને તેડું આપે ત્યારે તે જે સ્થિતિમાં હોય, તેમાં તે ચાલુ રહે.
21 જ્યારે તમને બોલાવ્યાં ત્યારે શું તમે ગુલામ હતા? તો કાંઈ વાંધો નહિ, પણ જો તમને મુક્ત થવાની તક મળતી હોય તો તે ઝડપી લો. 22 કારણ કે જે વ્યકિત પ્રભુમાં વિશ્વાસ રાખવા માટે બોલાવવામાં આવ્યો હતો ત્યારે ગુલામ હતો તે પ્રભુનો સ્વતંત્ર વ્યકિત છે; તેવીજ રીતે, જે વ્યકિતને જ્યારે બોલાવવામાં આવ્યો ત્યારે તે સ્વતંત્ર હતો, હવે તે મસીહનો ગુલામ છે. 23 કિંમત ચૂકવીને તમને ખરીદી લીધા છે. તેથી માણસોનાં ગુલામ બનશો નહિ. 24 ભાઈઓ અને બહેનો, દરેક વ્યકિત ઈશ્વરનો જવાબદાર છે, જયારે ઈશ્વરે તેમને બોલાવ્યા ત્યારે તેઓ જે પરિસ્થિતિમાં હોય તેમાં જ રહે.
25 હવે કુંવારીઓ વિશે: પ્રભુ તરફથી મને કોઈ આજ્ઞા મળી નથી, પણ પ્રભુની દયાથી વિશ્વાસપાત્ર વ્યકિત તરીકે હું મારો અભિપ્રાય આપું છું. 26 હાલનાં સંકટને કારણે, મને લાગે છે કે, માણસ જેવો છે તેવો જ રહે તે સારું છે. 27 શું પત્નિ સાથે બંધાયેલો છે? તો તું તેનાથી છુટો થવાની ઇચ્છા ન રાખ. શું તું આવા વચનથી મુકત છે? પત્નિની ઇચ્છા ન રાખ. 28 પણ જો તું પરણે, તો તેં પાપ કયુઁ એમ નથી; અને જો કુંવારી પરણે તો તેણે પાપ નથી કયુઁ. પણ જેવો પરણે છે તેઓને જીવનમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે, પણ હું તમારો બચાવ કરવા ઇચ્છું છું.
29 ભાઈઓ અને બહેનો, હું એ કહું છું કે સમય ઓછો છે, માટે જેઓની પાસે પત્નિ છે તેમને પત્નિ ન હોય તેમ રહેવું જોઈએ. 30 જેઓ શોક કરે છે, તેઓ શોક નહી કરનારાં જેવાં થાય; અને જેઓ આનંદ કરનારા, તેઓ આનંદ નહિ કરનારા જેવાં થાય; જેઓ કંઇ ખરીદે છે, તેઓની પાસે કંઇ નહિ રાખનારાં જેવા થાય; 31 જેઓ જગતની વસ્તુઓનો ઉપયોગ કરે છે, તેઓ જાણે તેમાં તલ્લિન થઇ ગયેલાં ન થાય, કેમકે આ જગત તેનાં વતઁમાન સમયમાં જતો રહે છે.
32 તમે દરેક રીતે ચિંતાથી મુક્ત રહો એવી મારી ઇચ્છા છે. અપરિણીત પુરુષ પ્રભુનાં કાર્યની ચિંતા કરે છે, તે પ્રભુને કેવી રીતે પ્રસન્ન કરવો; 33 પરંતુ, પરણીત પુરુષ દુનિયાદારીની ચિંતા કરે છે, તે પોતાની ને કેવી રીતે પ્રસન્ન કરી શકે. 34 અને તેના હિતો વહેંચાયેલા છે, અપરિણીત સ્ત્રી અને કુંવારી પ્રભુના કાયઁની ચિંતા કરે છે, તેનો ધ્યેય શરીર અને આત્મા બંનેને સમઁપિત રહેવાનો છે, પરંતુ પરણિત સ્ત્રી દુનિયાદારીની ચિંતા કરે છે, પોતાના પતિને કેવી રીતે પ્રસન્ન કરી શકે. 35 હું આ તમારા પોતાના ભલા માટે કહું છું, તમને રોકવા માટે નહિ, પણ તમે પ્રભુની ભકિતમાં યોગ્ય રીતે ચાલો માટે કહું છું.
36 જો કોઇને ચિંતા હોય કે તે પોતાની સગાઈ કરેલી કુંવારી સાથે અયોગ્ય રીતે વતેઁ છે અને જો તેની ઇચ્છાઓ પ્રબળ હોય તો તેણે પરણવું જોઈએ, તે પોતાની ઇચ્છા પ્રમાણે કરે. તે પાપ કરતો નથી, તેમણે પરણવું જોઈએ. 37 પરંતુ કોઈ માણસ અપરિણીત રહેવાનો મક્કમ નિર્ણય કરે, કે જે દબાણમાં નહિ પણ પોતાની ઇચ્છા પર કાબુ ધરાવે છે, અને જે મનમાં કુંવારી સાથે ન પરણવાનો નિણઁય લીધો છે, તો તે માણસ પણ સારું કરે છે. 38 તેથી જે કોઇ કુંવારીને પરણે છે તે સારું કરે છે, પણ જે પરણતો નથી તે વધારે સારું કરે છે.
39 પતિ જીવે ત્યાં સુધી પત્ની તેની સાથે બંધાયેલી છે; પણ જો તેનો પતિ મરણ પામે તો પછી તે ફરીથી પરણી શકે છે, પણ તે કેવળ પ્રભુનો હોવો જોઈએ. 40 પરંતુ મારો અભિપ્રાય એવો છે કે જો તે જેવી છે તેવીજ રહે તો તે વધું ખુશ રહેશે, અને મને પણ ઇશ્વરનો આત્મા છે એમ હું માનું છું.