Publicidade

1 Coríntios 5

વ્યભિચારના કેસ સાથેનો વ્યવહાર

1 ખરેખર મને કહેવામાં આવ્યું છે કે તમારામાં વ્યભિચાર છે, અને તે વળી એવો વ્યભિચાર કે જે વિધમીઁઓમાં પણ સહન કરતાં નથી: એક માણસ પોતાની સાવકી માને રાખે છે. 2 એમ છતાં એ બાબતમાં તમે શોક કયાઁને બદલે ગર્વ કરો છો જે એ કામ કરી રહ્યાં છે તેને તમારી સગંતમાંથી દૂર કરવો જોઈએ. 3 હું શારીરિક રીતે હાજર નથી, પણ આત્મામાં તમારી સાથે છું. અને જે તમારી સાથે આ રીતે હાજર છે, મેં પ્રભુ ઈસુના નામે કામ કરનારનો ન્યાય કરી દીધો છે. 4 તેથી જયારે તમે ભેગા થાવ છો ત્યારે આત્મામાં હું તમારી સાથે છું, અને પ્રભુ ઈસુનું સામથ્યઁ હાજર હોય છે, 5 એવા માણસના દેહને નાશને સારું શેતાનનાં હાથમાં સોંપી દો, જેથી પ્રભુના દિવસે તેનો આત્મા બચી જાય.

6 તમે અભિમાન રાખો છો તે સારું નથી. થોડું ખમીર આખા લોટને ફૂલાવે છે, તે શું તમે નથી જાણતાં? 7 જૂના ખમીરને કાઢી નાંખો, જેથી તમે બેખમીર નવા લોટરૂપ થઈ જાઓ, કેમકે આપણા પાસ્ખાપવઁનું હલવાન, મસીહનું બલિદાન આપવામાં આવ્યું છે. 8 તેથી આપણે એ પવઁ જૂના ખમીરથી નહિ, એટલે કે પાપ અને દુષ્ટતાના ખમીરથી નહિ, પણ નિખાલસપણાની તથા સત્યની બેખમીર રોટલીથી ઉજવીએ.

9 મેં તમને મારા પત્ર દ્વારા જણાવ્યું હતું કે તમારે વ્યભિચારીઓની સોબત ન કરો. 10 આ દુનિયાનાં વ્યભિચારીઓ, લોભીઓ, છેતરપીંડી કરનારાઓ, કે મૂર્તિપૂજકો મારો એ અથઁ નથી. એમ હોય તો તમારે જગતમાંથી નીકળી જવું પડે. 11 પણ હવે હું તમને એ લખી રહ્યો છું કે, જેઓ ભાઈઓ અને બહેનો કહેવાય છે, પણ જો કોઇ વ્યભિચારી, લોભી, મૂતિઁપૂજક, નિંદાખોર, દારૂડિયા, કે છેતરપિંડી કરનારા હોય, તેઓની સાથે તમારે સંબંધ ન રાખવો એવાની સાથે ખાવું પણ નહિ.

12 મંડળીના બહારનાં લોકોનો ન્યાય કરવાનું મારે શું કામ છે? મંડળીની અંદર છે તેઓનો ન્યાય તમે નથી કરતા શું? 13 જેઓ બહાર છે તેઓનો ન્યાય ઈશ્વર કરે છે. "તમારામાંથી દુષ્ટ વ્યક્તિને દૂર."

Veja também

Publicidade
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-16_06-50-08-