1 જો કે હું માણસોની કે દૂતોની ભાષાઓ બોલું, પણ મારામાં પ્રેમ ન હોય, તો હું માત્ર રણકાર કરનાર પિતળ કે ઝમકાર કરનાર ઝાંઝનાં જેવો છું. 2 જો મને પ્રબોધ કરવાનું દાન હોય અને ભવિષ્યમાં જે બનવાનું છે તે બધું હું જાણતો હોઉં, અને જો હું પવઁતોને પણ ખસેડી શકું એવો મને વિશ્વાસ હોય પણ મારામાં પ્રેમ ન હોય તો હું કંઈ નથી. 3 મારી પાસેની તમામ સંપતી હું ગરીબોને આપી દઉં અને જો હું મારું શરીર અગ્નિને સોઁપુ, પણ મારામાં પ્રેમ ન હોય તો મને કંઇ લાભ નથી.
4 પ્રેમ ધીરજવાન છે, પ્રેમ કરુણાળુ છે, તે અદેખાઈ રાખતો નથી, બડાશ મારતો નથી કે અભિમાન કરતો નથી. 5 તે બીજાઓનું અપમાન કરતો નથી, પોતાનું જ હિત જોતો નથી, તે સહેલાયથી ખીજવાતો નથી, અપકારને લેખવતો નથી, ખોટા કાયોઁનો કોઇ હિસાબ રાખતો નથી. 6 પ્રેમ દુષ્ટતામાં આનંદ માનતો નથી, પરંતુ સત્યમાં હર્ષ પામે છે. 7 તે હંમેશા સાચવે છે, હંમેશા વિશ્વાસ રાખે છે, હંમેશા આશા રાખે છે, હંમેશા સહન કરે છે.
8 પ્રેમ કદી ખૂટતો નથી. પરંતુ પ્રબોધ કરવાનું દાન હશે તો તે લોપ થશે; જો ભાષાઓ હશે તો તેનો અંત આવશે; જો જ્ઞાન હશે તો જતું રહેશે. 9 પરંતુ આપણે અપૂણઁ જાણીએ છીએ, અને અપૂર્ણ પ્રબોધ કરીએ છીએ; 10 પણ જયારે સંપૂર્ણતા આવશે ત્યારે અપૂણઁતા જતી રહેશે. 11 જયારે હું બાળક હતો, ત્યારે હું બાળકના જેવું બોલતો હતો, બાળકના જેવું વિચારતો હતો અને બાળકના જેવું સમજતો હતો. પણ હવે જયારે હું પુખ્ત વયનો થયો, ત્યારે મેં બાળકની જેમ વર્તવાનું છોડી દીધું. 12 કેમકે હમણાં આપણે અરીસામાં પ્રતિબિંબ જોઈએ છીએ, પણ પછી આપણે મોંઢામોઢ જોઈશું. હમણાં હું અપૂણઁ જાણું છું પછી હું સંપૂર્ણપણે જાણીશ, જેમ હું પણ સંપૂણઁપણે ઓળખાયો છું તેમ.
13 હવે વિશ્વાસ, આશા અને પ્રેમ એ ત્રણે સદાકાળ ટકી રહે છે: પરંતુ એ સર્વમાં પ્રેમ શ્રેષ્ઠ છે.