Publicidade

1 Coríntios 10

ઇઝરાયેલના ઈતિહાસમાંથી ચેતવણીઓ

1 કેમકે ભાઈઓને બહેનો હું નથી ચાહતો કે તમે આ બાબત વિશે અજાણ્યા રહો, આપણા પૂર્વજોને મેઘસ્તંભની છાયા નીચે તેઓને સમુદ્રમાં થઈને પાર ઉતાર્યા. 2 અને તેઓ મોશેને અનુસરતા વાદળમાં તથા સમુદ્રમાં બાપ્તિસ્મા પામ્યા. 3 તેઓ સર્વએ એક જ આત્મિક ખોરાક ખાધો. 4 વળી તે સર્વએ આત્મિક પાણી પીધું, કેમકે તેઓએ સાથે આવનાર આત્મિક ખડકમાંથી પીધું, અને તે ખડક તો મસીહ હતા. 5 આમ છતાં તેઓમાંના ઘણાં પર ઈશ્વર પ્રસન્ન ન હતા, તેથી તેઓના શરીર અરણ્યમાં જ નાશ પામ્યા.

6 આ પરથી આપણને દાખલો મળે છે કે, તેઓની જેમ આપણે ભૂંડી બાબતોની ઇચ્છા રાખીએ નહિ. 7 કે મૂર્તિપૂજક ન થઈએ, જેમ તેમાનાં ઘણાં હતા તેમ, જેમ શાસ્ત્રમાં લખેલું છે: તેઓ ખાવાંપીવાં બેઠા અને ઊઠીને નાચગાન કરવા લાગ્યા. 8 જેમ તેઓમાંના કેટલાકે વ્યભિચાર કર્યો, અને એક જ દિવસમાં ત્રેવીસ હજાર માણસો માર્યા ગયા. તેમ આપણે ન કરીએ. 9 આપણે મસીહની કસોટી ન કરીએ, જેમ તેઓમાનાં કેટલાએકે કયુઁ, અને તેઓ સર્પદંશથી માર્યા ગયા. 10 અને તેઓમાંના કેટલાકે કચકચ કરી, અને સંહારક દૂત દ્રારા તેઓનો નાશ કરવામાં આવ્યો, તેમ તમે કચકચ ન કરો.

11 આપણે દાખલો લઈએ માટે તેઓને આ થયું, અને જેઓના પર યુગોનો અંત આવી લાગ્યો છે તેવી ચેતવણી આપણને મળે માટે તે શાસ્ત્રમાં લખવામાં આવ્યું. 12 માટે જે કોઇ પોતાને સ્થિર ઊભેલો ધારે છે, તે પોતે ન પડે માટે સાવચેત રહે. 13 માણસ સહન ન કરી શકે એવું કંઇ પરીક્ષણ તમાંરા પર આવવાં દેશે નહિ; અને ઈશ્વર વિશ્વાસુ છે; તમે તે સહન કરી શકો, માટે પરીક્ષણ સાથે છૂટકાનો માગઁ પણ રાખશે.

મૂર્તિઓનું નૈવેદ અને પ્રભુ ભોજન

14 તેથી મારા વહાલાં મિત્રો, મૂર્તિપૂજાથી દૂર રહો. 15 હું તમને ડાહ્યા સમજીને વાત કરું છું; હું શું કહું છું તેનો તમે પોતે જ ન્યાય કરો કે 16 જે પ્યાલા માટે આપણે આભારસ્તુતિ કરીએ છે, તે શું મસીહના રકતના સહભાગી નથી? અને આપણે જે રોટલી ભાંગીએ છીએ, તેથી શું આપણે મસીહના શરીરનાં સહભાગી થતા નથી? 17 કેમકે એક જ રોટલી છે, આપણે ઘણાં હોવા છતાં, એક શરીર છીએ, કેમકે આપણે સર્વ એક જ રોટલીનાં ભાગીદાર છીએ.

18 ઇઝરાયેલી લોકોનો વિચાર કરો: જે લોકો બલિદાન ખાય છે તેઓ શું વેદીના સહભાગી નથી. 19 તો હું શું કહું છું? મૂર્તિનું નૈવેદ કંઈ છે, અથવા મૂર્તિ કંઇ છે? 20 ના, પણ મૂતિઁપૂજકના બલિદાન ઇશ્વરને નહિ, પણ ભૂતપિશાચોને આપે છે, અને હું નથી ઇચ્છતો કે તમે ભૂતપિશાચોના ભાગીદાર બનો. 21 તમે પ્રભુનો પ્યાલો અને ભૂતપિશાચોનો પ્યાલો પી શક્તા નથી; તેમજ તમે પ્રભુની મેજની સાથે અને ભૂતપિશાચોની મેજનાં ભાગીદાર થઇ શક્તા નથી. 22 શું આપણે પ્રભુને ચીડવીએ છીએ? શું આપણે તેમના કરતાં બળવાન છીએ?

વિશ્વાસીઓની સ્વતંત્રતા

23 તમે કહો છો કે, "મને કંઈ પણ કરવાનો અધિકાર છે," પણ બધું ફાયદાકારક નથી. "મને કંઈ પણ કરવાનો અધિકાર છે," પણ બધું રચનાત્મક નથી. 24 કોઈએ માત્ર પોતાનું જ હિત નહિ, પણ બીજાઓનું હિત જોવું જોઈએ.

25 બજારમાં જે માંસ વેચાય છે, તે પ્રેરકબુધ્ધિની ખાતર કાંઈ પણ પ્રશ્ન પૂંછયા વિના ખાઓ. 26 કારણ કે પૃથ્વી તથા તેમાંનું સર્વસ્વ પ્રભુનું છે.

27 જો કોઈ અવિશ્વાસી વ્યકિત તમને ભોજન માટે નિમંત્રણ આપે અને તમે જવા ઇચ્છા હોય તો, જાઓ અને તમારી આગળ જે કાંઈ પીરસવાંમાં આવે તે પ્રેરકબુધ્ધિને ખાતર કંઇ પણ પ્રશ્ર પૂંછયા વગર ખાઓ 28 પણ જો કોઈ તમને કહે કે, "એ તો મૂર્તિઓનું નૈવેદ છે." તો તમને જણાવનાર વ્યકિતની ખાતર તથા પ્રેરકબુધ્ધિની ખાતર તે ન ખાઓ. 29 હું જે પ્રેરકબુધ્ધિ કહું છું, તે તમારી નહિ, પણ બીજાની. કેમકે બીજાની પ્રેરકબુધ્ધિથી મારી સ્વતંત્રતાનો ન્યાય કેમ થાય છે? 30 જો હું કોઈ ખોરાક માટે ઈશ્વરનો આભાર માનીને તે ખાઉં તો જે ખોરાક માટે મેં આભાર માન્યો તે અંગે મારી ટીકા શા માટે કરવામાં આવે?

31 તેથી, તમે ખાઓ કે પીઓ કે, જે કાંઈ કરો, તે બધું ઈશ્વરના મહિમાને માટે કરો. 32 તમે યહૂદીઓને ગ્રીકોને, કે ઈશ્વરની મંડળીને ઠોકર ખાવાનાં કારણરૂપ બનશો નહિ. 33 જેમ હું દરેક રીતે બધાને ખુશ રાખવા પ્રયત્ન કરું છું, કારણ કે હું મારું પોતાનું હિત નહિ, પણ ઘણાં લોકોનું હિત જોઉં છું જેથી તેઓ તારણ પામે.

Veja também

Publicidade
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-15_21-32-39-