Publicidade

1 Coríntios 15

મસીહનું પુનરુત્થાન

1 હવે ભાઈઓ અને બહેનો, તમને અગાઉ પ્રગટ કરેલ સુસમાચાર શું છે તે હું અમને યાદ કરાવવા માંગુ છું, જે તમને મળ્યા અને તેના પર તમે ઉભાં છો. 2 આ સુસમાચારથી તમારો ઉધ્ધાર થયો છે, મેં તમને ઉપદેશ કયોઁ તે જ પ્રમાણે જો તમે તેને પકડી રાખ્યો હશે, અને આવઁથા વિશ્વાસ કયોઁ નહિ હોય તો.

3 મને જે પ્રાપ્ત થયું તે મેં તમને પહેલેથીજ જણાવી દીધું છે કે: શાસ્ત્ર પ્રમાણે મસીહ આપણા પાપોને માટે મરણ પામ્યા; 4 તેમને દફનાવવામાં આવ્યા; અને શાસ્ત્ર પ્રમાણે ત્રીજે દિવસે તેઓને સજીવન કરવામાં આવ્યા. 5 અને તેઓ કેફાને દેખાયા, અને પછી બારને. 6 ત્યાર પછી એક સાથે પાંચસો કરતાં વધારે ભાઈઓ અને બહેનોને તેમણે દર્શન દીધું. તેમાંનાં કેટલાક સુઈ ગયા છે, પણ ઘણાં હજી હયાત છે. 7 પછી યાકોબને દેખાયા, અને ત્યાર બાદ તમામ પ્રેષિતોને. 8 જાણે મોડો જન્મ્યો હોઉં તેમ, સૌથી છેલ્લા મને પણ તેમણે દર્શન આપ્યું.

9 બધા જ પ્રેષિતોમાં હું સૌથી નાનો છું અને ઈશ્વરની મંડળીની મેં સતાવણી કરી તેને લીધે હું પ્રેષિત કહેવડાવવાને પણ યોગ્ય નથી. 10 પરંતુ હું જે છું તે ઈશ્વરની કૃપાથી છું અને એ કૃપા નિરર્થક નીવડી નથી. કારણ કે મેં બીજા તમામ કરતાં વધારે શ્રમ કયોઁ છે, જો કે, મેં નહિ પણ ઈશ્વરની કૃપા જે મારી સાથે છે. 11 પછી, ગમે તો હું હોઉ કે તેઓ, અમે એ ઉપદેશ કરીએ છીએ, અને તમે તે વિશ્વાસ કર્યો છે.

મૂએલાંનું પુનરુત્થાન

12 પણ જો હવે મસીહ મૂએલાંમાંથી સજીવન થયા છે, તેમ છતાં તમારાંંમાંના કેટલાક એવું શા માટે કહે છે કે મૂએલાંઓ નું પુનરુત્થાન નથી? 13 જો મૂએલાંનું પુનરુત્થાન નથી તો મસીહ પણ હજી ઉઠયા નથી; 14 અને જો મસીહ ઉઠયા નથી તો પછી અમારો ઉપદેશ વ્યર્થ છે અને તમારો વિશ્વાસ પણ વ્યર્થ છે. 15 વળી અમે ઇશ્વરના જુઠા સાક્ષી છીએ, કેમકે અમે ઈશ્વર વિશે એવી સાક્ષી આપીએ છીએ કે તેમણે મસીહને મુએલામાંથી ઊઠાડયા, પણ જો ખરેખર મૂએલા ઊઠતા નથી તો તેમણે તેમને ઉઠાડયા નથી. 16 કેમકે જો મૂએલાં સજીવન થતાં નથી તો મસીહ પણ સજીવન થયા નથી; 17 અને જો મસીહ ઉઠયા નથી, તો તમારો વિશ્વવાસ વ્યથઁ છે; હજી સુધી તમે તમારા પાપમાં છો. 18 વળી મસીહમાં જેઓ ઊંઘી ગયા છે, તેઓ પણ નાશ પામ્યા છે. 19 જો આપણે માત્ર આ જીવનમાં મસીહ પર આશા રાખી હોય તો સવઁ લોકો કરતાં આપણે વધારે દયાપાત્ર છીએ.

20 પણ હકીકત એ છે કે મસીહ તો મરણમાંથી સાચે જ ઊઠયાં છે, અને તેઓ ઊંધી ગયેલાઓનું પ્રથમફળ થયાં છે. 21 કેમકે એક માણસ દ્રારા મરણ આવ્યું, માટે માણસ દ્રારા મૂએલાંનું પુનરુત્થાન પણ આવ્યું. 22 કેમકે આદમ દ્રારા સવઁ મરણ પામ્યાં, તેથી મસીહ દ્રારા સવઁ સજીવન થશે. 23 પણ દરેક પોતપોતાના ક્રમ પ્રમાણે: મસીહ, પ્રથમફળ; જ્યારે તે આવશે, જેઓ તેમના છે. 24 જયારે તે ઈશ્વર પિતાને રાજ્ય હાથમાં સોંપી દેશે, પછી તે રાજય સત્તા તથા અધિકાર અને પરાક્રમનો નાશ કરશે, ત્યારે જ અંત આવશે. 25 કેમકે જયાં સુધી પોતાના બધા શત્રુઓને પગ નીચે નહિ દાબે ત્યાં સુધી તેમણે રાજ કરવું જોઈએ. 26 છેલ્લો જે શત્રુ પરાજય પામશે તે મરણ છે. 27 કેમકે "તેમણે સઘળું તેમનાં પગ નીચે આધીન કયુઁ છે." પણ જયારે તેઓ કહે છે કે "સઘળું" તેમને સોંપવામાં આવ્યું છે, તો એ સ્પષ્ટ થાય છે કે આમાં ઇશ્વરનો સમાવેશ થતો નથી, જેમણે બધું મસીહને આધીન કયુઁ. 28 જયારે તે આ કરશે, ત્યારે પુત્ર પોતે પણ આધીન થશે જેણે સવઁને તેમને આધીન કયાઁ છે, જેથી ઈશ્વર સર્વોપરી થાય.

29 જો હવે પુનરુત્થાન ન હોય તો જેઓ મૂએલાને માટે બાપ્તિસ્મા લે છે તેનું શું? જો મૂએલાં સજીવન ન થતા હોય તો તેઓને માટે લોકો કેમ બાપ્તિસ્મા લે છ? 30 અને આપણે પણ શા માટે હર પળે જોખમમાં પડીએ છીએ? 31 હું દરરોજ મરણનો સામનો કરું છું, હા, જેમ હું આપણા પ્રભુ મસીહ ઈસુમાં તમારા વિશે ગવઁ અનુભવુ છું. 32 જો હું જંગલી પશુઓ જેવા એફેસસના માણસો સાથે લડયો તો મને તેનો શો લાભ? જો મૂએલાં ઊઠતા ન હોય,

"તો ચાલો આપણે ખાઈએ, પીએ,

કારણ કે કાલે આપણે મરવાનું છે."

33 ભરમાઈ જશો નહિ: "ખરાબ સંગત સારા ચરિત્રને બગાડે છે." 34 જાગૃત થાઓ અને પાપ કરવાનું બંધ કરો, કેમકે કેટલાક જેમને ઇશ્વરનું જ્ઞાન નથી, તમને શરમાવવા માટે હું એ કહું છું.

પુનરુત્થાન પામેલ શરીર

35 પણ કોઈ પૂછશે કે, "મૂએલાં કેવી રીતે સજીવન થાય છે? અને તેઓ કેવાં પ્રકારનાં શરીર ધારણ કરશે?" 36 કેવી મૂર્ખાંઈ! તું પોતે જે વાવે છે તે જો ન મરે તો તે સજીવન થશે નહિ. 37 જ્યારે તમે વાવો છો, તે જે શરીર થવાનું છે તે વાવતા નથી, પણ ફક્ત બી હોય છે, કદાચ ઘઉંનાં કે બીજા કશાનાં હોય. 38 પણ ઈશ્વર પોતાની ઇચ્છા પ્રમાણે તમને શરીર આપે છે, અને દરેક પ્રકારનાં બીને પોતાનું ખાસ શરીર હોય છે. 39 બધા શરીર એક સરખા નથી: માણસોને એક પ્રકારનું શરીર, પશુઓને બીજું, પક્ષીઓને બીજા અને માછલાંને બીજા. 40 સ્વગીઁય શરીરો છે અને પૃથ્વી પરનાં શરીરો છે; પણ સ્વગીઁય શરીરોનું સૌદર્ય અલગ અને પૃથ્વી પરનાં શરીરોનું સૌદર્ય અલગ હોય છે. 41 સૂર્યનું તેજ એક પ્રકારનું, અને ચંદ્રનું તેજ બીજું અને તારાઓનું તેજ જુદુ; કેમકે તારા તારાનાં તેજમાં પણ ફેર હોય છે.

42 મૂએલાનાં પુનરુત્થાનમાં પણ એવુ જ થશે. જે શરીર વાવવામાં આવે છે તે નાશવંત છે, એ તો અવિનાશમાં ઊઠાડાય છે. 43 તે અપમાનમા વવાય છે, અને ગૌરવમાં ઊઠાડાય છે; નિબઁળતામાં વવાય છે, અને પરાક્રમમાં ઉઠાડાય છે; 44 કુદરતી શરીર વવાય છે, આત્મિક શરીર ઊઠાડાય છે.

જો કુદરતી શરીર છે તો આત્મિક શરીર પણ છે. 45 એમ લખેલું છે કે: "પ્રથમ મનુષ્ય આદમ સજીવ પ્રાણી થયો, પણ છેલ્લો આદમ, જીવન આપનાર આત્મા થયો." 46 આત્મિક પહેલાં આવ્યું ન હતું, પણ કુદરતી, અને પછી આત્મિક. 47 પહેલો માણસ પૃથ્વીની ધૂળમાંથી આવ્યો હતો; બીજો માણસ સ્વર્ગમાંથી આવ્યો. 48 જેઓ પૃથ્વીનાં છે, તેવાં જ જેઓ પૃથ્વીનાં છે તેઓ પણ છે; અને જેઓ સ્વગીઁય માણસ છે, તેવાં જ જેઓ સ્વગીઁય છે તેઓ પણ છે. 49 જેમ આપણે પૃથ્વી પરનાં માણસની પ્રતિમાં પ્રમાણે જન્મ્યાં છે, તેમ સ્વગીઁય પ્રતિમાં પણ ધારણ કરીશું.

50 ભાઈઓ અને બહેનો, હું તમને જણાવું છું કે, માંસ અને લોહી ઈશ્વરના રાજ્યનો વારસો પામી શકશે નહિ, તેમજ વિનાશીપણું અવિનાશીપણાનો વારસો પામી શક્તા નથી. 51 સાંભળો, હું તમને એક રહસ્ય ક્હું છું! આપણે બધા ઊંઘીશું નહિ, પણ આપણે રૂપાંતર પામીશું, 52 એક ક્ષણમાં, આંખના પલકારામાં, છેલ્લું રણશિંગડું વાગતાં, કેમકે રણશિંગડું વાગશે, અને મૂએલા અવિનાશી થઈને ઊઠશે, અને આપણું રૂપાંતર થશે. 53 કેમકે આ વિનાશીને અવિનાશીપણું ધારણ કરવું પડશે, અને મત્યઁને અમરપણું ધારણ કરવું પડશે. 54 જ્યારે વિનાશી અવિનાશીપણું ધારણ કરશે, અને મત્યઁ અમરપણું ધારણ કરશે: ત્યારે "મરણ જયમાં ગરક થઈ ગયું છે એ લખેલી વાત પૂર્ણ થશે"

55 "ઓ મરણ, તારો વિજય કયાં?

ઓ મૃત્યુ, તારો ડંખ કયાં?"

56 મરણનો ડંખ તો પાપ છે, અને પાપનું સામથ્યઁ નિયમશાસ્ત્ર છે. 57 પણ ઈશ્વર જે આપણા પ્રભુ ઈસુ મસીહ દ્વારા આપણને વિજય આપે છે તેમને ધન્યવાદ.

58 એ માટે મારા પ્રિય ભાઈઓ અને બહેનો, સ્થિર અને સમર્થ બનો. પ્રભુનું કામમાં સદા લાગુ રહો, કારણ કે તમારી મહેનત પ્રભુમાં નિરર્થક નથી એ તમે જાણો છો.

Veja também

Publicidade
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-15_21-32-39-