1 ભાઈઓ અને બહેનો, મારી સાથે પણ એવું જ બન્યું, જયારે હું તમારી પાસે આવ્યો ત્યારે મેં તમને ઈશ્વર વિશેની સાક્ષી પ્રગટ કરતી વખતે મે વાકછટા કે માનવીય જ્ઞાન બતાવ્યું નહિ. 2 કેમકે મેં તમારી સાથે રહીને ઈસુ મસીહ અને તેમને ક્રૂસ પર જડાયેલા સિવાય બીજું કંઇજ ન જાણવાનો નિણઁય કયોઁ હતો. 3 હું તમારી પાસે નિર્બળતામાં બીક અને ધ્રુજારી સાથે આવ્યો હતો. 4 મારો સંદેશો અને મારો ઉપદેશ જ્ઞાન અને સમજાવ ભયાઁ શબ્દોથી ન હતો, પણ આત્માના સામથ્યઁનાં પ્રમાણ પર હતો. 5 જેથી તમારો વિશ્વાસ માણસોનાં જ્ઞાન પર નહિ પણ ઈશ્વરના સામથ્યઁ પર હોય.
6 પણ, અમે પરીપકવ લોકોમાં જ્ઞાનનો સંદેશો બોંલીએ છીએ, પણ આ જમાનાનું જ્ઞાન નહિ કે આ જમાનાનાં નાશ પામનાર અધિકારીઓનું જ્ઞાન નથી. 7 ના, અમે ઈશ્વરનું જ્ઞાન, ગુપ્ત રહસ્ય, અને આપણા મહિમા માટે ઈશ્વરે જે સમય શરૂ થાય તે પહેલાં નક્કી કર્યુ હતુ તે જાહેર કરીએ છીએ. 8 આ જમાનાનાં સત્તાધીશો તે સમજી શક્યાં નથી, કેમકે જો તેઓ સમજી શક્યાં હોત, તો તેઓએ ગૌરવવાન પ્રભુને ક્રૂસે જડયાંં ન હોત. 9 પણ જેમ લખેલું છે:
"જે વાનાં આંખે જોયા નથી,
અને સાંભળ્યાં નથી,
અને માણસનાં મનમાં પેઠાં નથી"
જે બાબતો ઈશ્વરે પોતાના પર પ્રેમ રાખનારાઓ માટે તૈયાર કરેલી છે.
10 આ વાતો ઈશ્વરે પોતાના આત્મા દ્વારા આપણને પ્રગટ કરી છે.
આત્મા બધી બાબતોને, ઇશ્વરનાં ઊંડા વિચારોને પણ શોધે છે. 11 કેમકે કોઈ પણ માણસની વાતો તેનામાં જે આત્મા સિવાય કોણ જાણે છે? તેવીજ રીતે ઈશ્વરના આત્મા સિવાય ઈશ્વરની વાતો બીજું કોઈ જાણતું નથી. 12 આપણે જગતનો આત્મા નહિ, પણ જે આત્મા ઈશ્વર તરફથી છે તે પામ્યા છે. જેથી આપણે સમજી શકીએ કે ઈશ્વરે આપણને વિના મૂલ્યે શું આપ્યું છે. 13 માનવી જ્ઞાન દ્ઘારા શીખવેલી ભાષામાં નહિ, પણ આત્મા દ્ઘારા શીખવેલા શબ્દોથી આત્મિક વાસ્તવિકતાઓ સમજાવીએ છીએ. 14 જે વ્યકિતમાં આત્મા નથી તે ઈશ્વરના આત્મા તરફથી આવતી વાતો સ્વીકારતો નથી, પણ તેને તે મૂર્ખતા ભરેલી લાગે છે. અને તેને સમજી શકતો નથી કેમકે તેઓ ફકત આત્માથી જ પારખી શકાય છે. 15 માણસ આત્માથી બધી બાબતોનો ન્યાય કરે છે, પણ એવી વ્યક્તિ ફકત માનવીય ન્યાયને આધીન નથી. 16 માટે,
"પ્રભુનું મન કોણે જાણ્યું છે?
કે તે તેને શીખવી શકે,"
પણ અમને તો મસીહનું મન છે.