Publicidade

1 Coríntios 12

આત્મિક કૃપાદાનો વિશે

1 હવે ભાઈઓ અને બહેનો, પવિત્ર આત્માના કૃપાદાનો વિશે, તે વિશે તમે અજાણ રહો એવી મારી ઇચ્છા નથી. 2 તમે જાણો છો કે જયારે તમે મૂર્તિપૂજક હતા, ત્યારે કોઇક પ્રકારે તેમનાંથી પ્રભાવિત થઇને મૂંગી મૂતિઁઓની પાછળ ફર્યા કરતા હતા. 3 તેથી હું તમને જણાવું છું કે ઈશ્વરના આત્માથી બોલનાર "ઈસુને શાપ પાત્ર કહેતો નથી" અને પવિત્ર આત્માની પ્રેરણા વિના, "ઈસુ પ્રભુ છે" એમ કોઈ માણસ કહી શક્તું નથી.

4 ઘણાં પ્રકારનાં કૃપાદાનો છે, પણ સર્વને વહેચી આપનાર તે પવિત્ર આત્મા છે. 5 વિવિધ પ્રકારની સેવા છે પણ પ્રભુ તો એક જ છે. 6 કાર્ય અનેક પ્રકારનાં છે, પણ એ સવઁમાં કાયઁ કરવાનાર તો એક જ ઈશ્વર છે.

7 પવિત્ર આત્માનું પ્રકટીકરણ દરેકને સામાન્ય હિત માટે આપવામાં આવ્યું છે. 8 આત્માથી એક જણને ડહાપણની વાતો આપેલી છે, એ જ આત્માથી બીજાને જ્ઞાનની વાતો, 9 બિજાને એ જ આત્માથી વિશ્વાસનું દાન, કોઈને એ જ આત્માથી માંદાઓને સાજાં કરવાનું દાન; 10 કેટલાકને ચમત્કારો કરવાનું પરાક્રમ, કેટલાકને પ્રબોધનું, અને કેટલાકને આત્માઓની પારખ કરવાનું દાન, વળી તે કેટલાકને વિવિધ ભાષાઓ બોલવાનું, અને કેટલાકને ભાષાંતર કરવાનું દાન બક્ષે છે. 11 આ બધું એક જ અને તે જ આત્માનું કાયઁ છે, અને તે પોતાની ઇચ્છા પ્રમાણે પ્રત્યેકને કૃપાદાન વહેચી આપે છે.

એક શરીરમાં એકતા અને વિવિધતા

12 જેમ શરીર એક છે, અને તેનાં ઘણાં બધાં અવયવો છે, પણ બધા ભાગો મળીને એક શરીર બને છે, તે જ પ્રમાણે મસીહ વિશે છે. 13 કેમકે યહૂદી, કે વિદેશી, ગુલામ કે સ્વતંત્ર, આપણ સવઁ એક આત્માનું બાપ્તિસ્મા પામીને એક શરીરરૂપ બન્યા, અને આપણ સવઁને એક જ આત્માનું પાન કરાવવામાં આવ્યું છે. 14 શરીરને એક નહિ પણ અનેક અવયવોથી બનાવવામાં આવ્યું છે.

15 હવે જો પગ કહે કે, "કેમકે હું હાથ નથી એટલે હું શરીરનો નથી." તો તેથી તે શરીરથી મટી જતો નથી? 16 વળી કાન કહે કે, "કેમકે હું આંખ નથી એટલે હું શરીરનો નથી." તો તેથી શું તે શરીરનો ભાગ નથી? 17 જો આખું શરીર આંખ હોય તો સંભળાય કેવી રીતે? અથવા જો આખું શરીર કાન હોય તો ગંધ પરખાય કેવી રીતે? 18 પરંતુ ખરેખર ઈશ્વરે આપણા શરીરનાં ભાગોને ગોઠવ્યાં છે કે તેમની ઇચ્છા પ્રમાણે બધા અવયવોને ગોઠવેલાં છે. 19 જો બધા એક જ અવયવ હોત તો શરીર કયાં હોત? 20 આમ ધણાં અવયવો હોવા છતાં શરીર એક જ છે.

21 આંખ હાથને કહી શકે નહિ કે, "મારે તારી જરૂર નથી," વળી માથું પગને કહી શકે નહિ, "કે મારે તારી જરૂર નથી." 22 એનાંથી ઉલટું, જે અવયવો નબળાં દેખાય છે, તેઓ શરીર માટે અતિ આવશ્યક છે. 23 જે અવયવોને આપણે ઓછાં મહત્વનાં માનીએ છીએ તેઓને આપણે વધુ માન આપીએ છીએ, જે અવયવોને ગુપ્ત રાખવાનાં હોય છે તેઓની આપણે વિશેષ કાળજી રાખીએ છીએ, 24 તેથી દેખીતા અવયવોને ખાસ કાળજીની જરૂર નથી, પણ ઈશ્વરે શરીરને એવી રીતે ગોઠવ્યું છે કે, જે ભાગોને ઓછા મહત્વનાં છે તેમને વધારે માન આપ્યું છે. 25 જેથી શરીરમાં ફાટફૂટ ન પડે, પણ આને લીધે બધા અવયવો હળીમળીને રહે. 26 જો એક અવયવ દુઃખી થાય તો તેની સાથે તમામ અવયવને દુઃખ થાય છે. અને એક અવયવને માન મળે તો તમામને માન મળે છે.

27 હવે તમે મસીહનું શરીર છો અને તમે બધાં તેનાં અવયવ છો. 28 અને ઈશ્વરે મંડળીમાં સૌથી પહેલાં પ્રેષિતો, બિજા પ્રબોધકો, ત્રીજા ઉપદેશકો, પછી ચમત્કાર કરનારાઓ, અને પછી સાજાપણું આપનારાઓ, મદદગારો, અધિકારીઓ અને અન્યભાષા બોલનારાઓ. 29 શું બધા પ્રેષિત છે? શું બધા પ્રબોધક છે? શું બધા ઉપદેશકો છે? શું બધા ચમત્કાર કરનાર છે? 30 શું બધાને સાજા કરવાનું દાન છે? શું બધા અન્યભાષા બોલે છે? શું બધા ભાષાંતર કરનાર છે? 31 હવે ઉત્તમ દાનો માટે ઝંખના રાખો.

પ્રેમ જરૂરી છે

અને હવે હું તમને શ્રેષ્ઠ માર્ગ જણાવું છું.

Veja também

Publicidade
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-16_18-40-07-