Publicidade

Gálatas 5

મસીહમાં સ્વતંત્રતા

1 મસીહે આપણને સ્વતંત્રતાને સારું સ્વતંત્ર કર્યા છે. માટે દ્રઢ રહો, અને ફરીથી દાસત્વની ઝૂંસરી તળે ન જોડાઓ.

2 સાંભળો! હું પાઉલ, તમને કહું છું કે જો તમે સુન્નત કરાવો તો તમને મસીહથી કંઇ લાભ થવાનો નથી. 3 હું ફરીથી કહીશ કે સુન્નત કરાવનાર માણસને હું ફરીથી ખાતરીપૂવઁક કહું છું કે તે આખું નિયમશાસ્ત્ર પાળવાને બંધાયેલો છે. 4 જો તમે નિયમોનાં પાલન વડે ન્યાયી ઠરવાં ઇચ્છા રાખતાં હો તો તમે મસીહથી અલગ થયા છો; તમે કૃપાથી ઘણાં દૂર છો. 5 કેમકે અમે આત્માથી વિશ્વાસ દ્રારા ન્યાયીપણું પામવાની આશાની રાહ જોઈએ છીએ. 6 કેમકે મસીહ ઈસુમાં સુન્નત ઉપયોગી નથી, અને બેસુન્નત પણ નથી; પણ જે વિશ્વાસ પ્રેમ દ્રારા કાયઁકતાઁ છે તે જ ઉપયોગી છે.

7 તમે ઘણી સારી રીતે દોડી રહ્યા હતા, છતાં સત્યને અનુસરતા તમને કોણે રોક્યાં? 8 તમારાં બોલાવનારે તમને એ પ્રમાણે સમજાવ્યું છે. 9 "થોડું ખમીર આખા લોટમાં કાયઁ કરીને ફુલાવે છે." 10 હું ઈશ્વર પર ભરોસો રાખું છું કે તમે બીજા મતના નહિ થાઓ, પણ તમને ગૂંચવાડામાં પાડનાર જે કોઈ હશે તેને શિક્ષા પામશે. 11 ભાઈઓ અને બહેનો હું હજુ સુધી સુન્નતનો ઉપદેશ આપું છું તો પછી મને કેમ સતાવવામાં આવે છે? જો તેમ હોય તો ક્રૂસની ઠોકર લોપ થઇ છે. 12 જેઓ તમને ભરમાવે છે, તેઓ પોતપોતાને કાપી નાંખે તો કેવું સારું!

આત્મા દ્રારા જીવન

13 મારા ભાઈઓ અને બહેનો, તમને સ્વતંત્ર થવા માટે બોલાવવામાં આવ્યા હતાં પણ તમારી સ્વતંત્રતા શારીરિક વિષયવાસનાંને અથેઁ ન વાપરો; તેના કરતાં એકબીજાને નમ્રતાથી પ્રેમ કરો. 14 કેમકે આખા નિયમશાસ્ત્રનો સાર આ એક જ આ આજ્ઞાનું પાલન કરવામાં સમાયેલો છે: "તમે તમારા પાડોશીને પોતાના જેવો પ્રેમ કરો" 15 જો તમે એકબીજાને કરડો અને ફાડી ખાઓ, તો સાવધાન રહો, નહિ તો તમે એકબીજાથી નાશ પામશો.

16 હું તમને કહું છું કે, આત્માથી ચાલો, એટલે તમે દેહની વાસના પ્રમાણે વર્તશો નહિ. 17 કેમકે દેહ આત્માની વિરુદ્ધ ઇચ્છા કરે છે, અને આત્મા દેહની વિરુધ્ધ ઇચ્છા કરે છે, તેઓ પરસ્પર વિરુધ્ધ છે; અને તેથી જે તમે ચાહો છો તે તમે કરતા નથી. 18 પણ જો તમે આત્માથી દોરાઓ છો ત્યારે તમે નિયમોને આધીન નથી.

19 દેહના કામ તો ખુલ્લાં છે, એટલે વ્યભિચાર, અપવિત્રતા, લંપટપણું, 20 મૂર્તિપૂજા અને મેલી વિદ્યા, વેરભાવ, ઝગડા, અદેખાઈ, ગુસ્સો, પોતાનું જ હિત સાધવાં માટેનાં પ્રયત્નો, કુસંપ, પક્ષાપક્ષી; 21 જેમ મેં પહેલાં ચેતવ્યા તેમ જેઓ ઈર્ષાળું, દારૂડિયાપણું, ભોગવિલાસ અને બીજી એવી બાબતોમાં જીવે છે તેઓ ઈશ્વરના રાજ્યનો સહભાગી બનશે નહિ.

22 પણ આત્માનું ફળ: પ્રેમ, આનંદ, શાંતિ, ધીરજ, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, 23 નમ્રતા અને સંયમ; એવાની વિરુધ્ધ કોઈ નિયમ નથી. 24 જેઓ મસીહ ઈસુના છે, તેઓએ દેહને તેના વિષયો તથા ઈચ્છાઓ સુધ્ધાં ક્રૂસ પર જડી દીધા છે. 25 જો આપણે આત્માથી જીવીએ છીએ, તો આત્માથી ચાલવું પણ જોઈએ. 26 વળી આપણે એકબીજાને ખીજવીને તથા એકબીજા પર અદેખાઈ રાખીને મિથ્યા અભિમાન ન કરીએ.

Veja também

Publicidade
Gálatas
Ver todos os capítulos de Gálatas
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-15_21-32-39-