Publicidade

Gálatas 2

પ્રેષિતો દ્રારા પાઉલનો સ્વીકાર

1 ચૌદ વરસ પછી હું ફરીથી બાર્નાબાસ સાથે યરુશાલેમ ગયો. એ વખતે તિતસને પણ સાથે લઈ ગયો હતો. 2 પ્રકટીકરણ સાંભળ્યાં પછી હું ગયો, અને જેઓને હું આગેવાન તરીકે ઓળખતો હતો તેઓને એકાંતમાં મળ્યો, અને જે સુસમાચાર હું વિદેશીઓમાં પ્રગટ કરું છું, તે મેં તેમને કહી સંભળાવ્યા. હું ખાતરી કરવા માંગતો હતો કે હું અમથો દોડું અને મારી દોડ વ્યથઁ તો નથી ને. 3 છતાં, તિતસ જે મારી સાથે હતો, તે ગ્રીક હોવા છતાં, સુન્નત કરાવવાની ફરજ તેને પાડવામાં આવી. 4 મસીહ ઈસુમાં આપણને મળેલી સ્વતંત્રતાની જાસૂસી કરવા અને આપણને ગુલામ બનાવવા માટે, કેટલાક ખોટા વિશ્વાસીઓ આપણામાં ભળ્યાં હતા. તેથી આ બાબતો ઊભી થઈ. 5 પણ અમે તો તેમનું જરાય સાંભળ્યું નહી એ માટે કે તમે સુસમાચારનું સત્ય તમારા માટે સચવાય રહે.

6 વળી જેઓને બહુ માન આપવામાં આવતું હતું, તેઓ ગમે તે હોય મને તેથી કશો તફાવત પડતો નથી; કેમકે ઈશ્વર પક્ષપાત કરતા નથી, તેમણે મારા સંદેશામાં કંઈ ઉમેરો કયોઁ નથી. 7 ઊલટું, તેઓએ જાણ્યું કે જેમ પિતરને સુસમાચારની સેવા સુન્નતીઓને સારું સોંપવામાં આવી છે, તેમ મને બેસુન્નતીઓને સારું સેવા સોંપવામાં આવી છે. 8 કેમકે જે ઈશ્વરે સુન્નતિઓનાં પ્રેષિત થવા સારું પિતર દ્રારા કાયઁઁ કયુઁ, તે જ ઈશ્વરે મારા દ્રારા વિદેશીઓમાં પ્રેષિત થવા કાયઁ કયુઁં 9 ત્યારે મંડળીના સ્તંભ જેવા ગણાતાં કેફા, યાકોબ અને યોહાને મને આપેલી કૃપા જાણીને મને અને બાર્નાબાસને સંગતનો જમણો હાથ આપ્યો. તેઓ સહમત થયા કે અમે વિદેશીઓ પાસે જઈએ અને તેઓ સુન્નતીઓ પાસે જાય. 10 તેઓએ ફકત એટલું જ કહ્યું કે આપણે હંમેશા ગરીબોને યાદ રાખીએ. અને હું પણ એ જ કામ કરવા આતુર હતો.

પાઉલ કેફાનો વિરોધ કરે છે

11 જયારે કેફા અંત્યોખ આવ્યો, ત્યારે મેં તેનો મોઢે વિરોધ કયોઁ, કેમકે તેને દોષિત ઠરાવવામાં આવ્યો હતો તે. 12 યાકોબ પાસેથી કેટલાંક માણસો આવ્યા તે પહેલાં, તે વિદેશીઓ સાથે ખાતો હતો પણ જયારે તેઓ આવ્યા ત્યારે, સુન્નતીઓથી બીને તે પાછો હઠ્યો અને તેઓથી દૂર રહેવા લાગ્યો. 13 પછી બીજા યહૂદીઓ પણ તેના દંભમા જોડાયા, અને તે એટલે સુધી કે બાર્નાબાસ પણ તેઓના દંભથી ખેંચાઈ ગયો.

14 જયારે મેં જોયું કે તેઓ સુસમાચારના સત્ય પ્રમાણે અનુસરતા ન હતા, ત્યારે બીજા બધાની આગળ કેફાને કહ્યું, "તું યહૂદી છે, તોપણ તું વિદેશીઓની જેમ જીવે છે, તો પછી તું વિદેશીઓને યહૂદી રિતરીવાજો પાળવા માટે કેમ દબાણ કરે છે?

15 "જો કે આપણે જન્મથી યહૂદી છીએ, અને પાપી વિદેશીઓ નથી 16 અને આપણે જાણીએ છીએ કે માણસ નિયમની કરણીઓથી નહિ, પણ પ્રભુ ઈસુ મસીહ પરના વિશ્વાસથી ન્યાયી ઠરે છે. એ પ્રમાણે આપણે પણ મસીહ પર વિશ્વાસ કયોઁ છે જેથી આપણે મસીહ પરના વિશ્વાસથી ન્યાય ઠરીએ, કેમકે નિયમ પરની કરણીઓથી કોઈ ન્યાય ઠરતું નથી.

17 "પણ જો આપણે મસીહમાં ન્યાય ઠરવા માંગીએ છીએ તો આપણે યહૂદીઓ પોતે પાપીઓમાં માલૂમ પડીએ, તો શું એનો અર્થ એમ કે મસીહ પાપને પ્રોત્સાહન આપે છે? ના, કદી નહિ! 18 કેમકે જે મેં પાડી નાખ્યા તેને જો હું ફરીથી બાંધીશ, તો હું ખરેખર નિયમનો ભંગ કરનાર છું.

19 "કેમકે હું ઈશ્વરને માટે જીવવાને સારું હું નિયમ દ્રારા નિયમ પ્રત્યે મૃત્યું પામ્યો છું. 20 હું મસીહની સાથે વધસ્તંભે જડાયો છું. અને હું જીવતો નથી, પણ મારામાં મસીહ જીવે છે. હવે હું શરીરમાં જે જીવન છે તે તો ઈશ્વરપુત્ર પરના મારા વિશ્વાસથી છે, જેણે મારા પર પ્રેમ કર્યો અને પોતાનું સ્વાપણઁ કર્યુ. 21 હું ઈશ્વરની કૃપાને નકારતો નથી, કેમકે જો નિયમથી ન્યાયપણું હોય, તો મસીહ કારણ વિના મૃત્યું પામ્યા!"

Veja também

Publicidade
Gálatas
Ver todos os capítulos de Gálatas
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-15_21-32-39-