1 હવે આપણે મસીહના સિધ્ધાંતના પ્રાથમિક શિક્ષણથી સંપૂણઁતા સુધી આગળ વધીએ; મરણ તરફ લઇ જતાં પસ્તાવાનો તથા ઈશ્વર પરના વિશ્વાસનો; 2 તથા બાપ્તિસ્મા, આત્મિક કૃપાદાનો, મૂએલાંનું પુનરુત્થાન તથા અનંતકાલિક ન્યાયચુકાદા વિશે પણ હવે તમારે વધુ શિક્ષણની જરૂર નથી. 3 અને જો ઈશ્વર પરવાનગી આપશે તો આપણે એમ કરીશું.
4 જેઓ એક વાર પ્રકાશિત થયા, જેઓએ સ્વગીઁય દાનોનો અનુભવ કયોઁ. જેઓ પવિત્ર આત્માના ભાગીદાર થયા, તેઓને માટે અશક્ય છે, 5 જેઓએ ઈશ્વરનાં વચનની ઉત્તમતા જાણી હોય, આવનાર યુગનાં પરાક્રમનો અનુભવ કયોઁ હોય 6 અને જેઓ પડી ગયા છે, તેઓને ફરીથી પસ્તાવો કરાવવા પાછા લાવવાં એ અશક્ય છે. કેમકે તેઓ પોતાના નુકશાનને માટે ફરીથી ઇશ્વરના પુત્રને ક્રૂસે જડે છે, અને જાહેરમાં તેમનું અપમાન કરે છે. 7 જમીન કે જે વારંવારના વરસાદનું શોષણ કરે છે અને જેઓ તેને ખેડે છે તેમને માટે ઉપયોગી પાક ઉત્પન્ન કરે છે, અને તે ઇશ્વરનો આશીઁવાદ મેળવે છે. 8 પણ જે જમીનમાં કાંટા ઝાંખરા ઊગે છે તે બિનઉપયોગી અને શાપિત થયેલી છે અને તેને બાળી નાંખવામાં આવે છે.
9 પ્રિય મિત્રો, જો કે અમે આ પ્રમાણે કહીએ છીએ, તોપણ અમને ખાતરી છે કે તમારામાં વધુ સારી બાબતો છે, અને તે બાબતો તારણની છે. 10 કેમકે ઈશ્વર અન્યાયી નથી; કે તેઓ તમારા કામને અને તેમના લોકો પર જે પ્રેમ બતાવ્યો છે, અને હજુ કરો છો એ બધું વીસરી જાય. 11 વળી અમારી અંતઃકરણની ઇચ્છા છે કે તમારાંમાંનો દરેક તમારી આશા પૂર્ણ થાય માટે, એવો જ ઉત્સાહ અંત સુધી રાખે. 12 અમે નથી ઇચ્છતા કે તમે આળસુ બનો, પરંતુ જેઓ વિશ્વાસ અને ધીરજથી વચનોનાં વારસ છે તેઓનું અનુકરણ કરો.
13 જયારે ઈશ્વરે અબ્રાહમને વચન આપ્યું, ત્યારે પોતાનાં કરતાં કોઈ મોટો ન હતો કે જેના સમ તે ખાય, માટે તેમણે પોતાના જ સમ ખાઈને, 14 કહ્યું "હું તને ચોક્કસ આશીર્વાદ આપીશ, અને તને ઘણાં વંશજો આપીશ." 15 અને અબ્રાહમે ધીરજથી રાહ જોયા પછી તેને આપેલા વચનનું ફળ મળ્યું.
16 માણસ પોતાના કરતાં મોટી વ્યકિતના નામે સમ ખાય છે, અને સમથી સર્વ વાદવિવાદનો અંત આવે છે. 17 કારણ કે ઈશ્વર ઈચ્છતા હતા કે તેમનો અપરીવતઁનશીલ સ્વભાવ વચનનાં વારસદારોને સ્પષ્ટ થાય, તેમણે સમ દ્રારા તેની ખાતરી આપી. 18 ઈશ્વરે આમ એટલા માટે કયુઁ કે બે નિશ્ચિત બાબતો, જેમાં ઈશ્વર જૂઠું બોલી શકતા નથી, આપણી આગળ મૂકેલી આશા પકડવા સારું આશ્રય માટે દોડનારને ઘણું ઉત્તેજન મળે. 19 આ આશા આપણા આત્માને માટે લંગર સમાન છે. જે મજબૂત અને સુરક્ષિત છે. તે પડદા પાછળના આંતરિક સ્થાનમાં પ્રવેશ કરે છે. 20 ત્યાં ઈસુએ, અગ્રેસર થઈને આપણે માટે પ્રવેશ કર્યો છે, અને મેલ્ખીસેદેકની પરંપરા પ્રમાણે તે હંમેશને માટે પ્રમુખયાજક થયા છે.