Publicidade

Hebreus 7

મેલ્ખીસેદેક યાજક

1 આ મેલ્ખીસેદેક શાલેમનો રાજા તથા પરાત્પરના ઈશ્વરનો યાજક હતો. ઘણા રાજાઓને હરાવીને અબ્રાહમ પાછો આવી રહ્યો હતો ત્યારે તેને મળ્યો અને તેને આશીર્વાદ આપ્યો. 2 અને અબ્રાહમે તેને બધી વસ્તુઓનો દસમો ભાગ આપ્યો. તેના નામનો પહેલો અથઁ "ન્યાયીપણાનો રાજા છે" અને "તે શાલેમનો રાજા છે." એટલે "શાંતિનો રાજા" છે. 3 તે માતાપિતા વિનાનો, વંશાવળી વગરનો, દિવસની શરૂઆત કે જીવનના અંત વગરનો, પણ તે ઈશ્વરપુત્ર જેવો છે અને સદા યાજક રહે છે.

4 તે કેવો મહાન હશે તેનો વિચાર કરોઃ પૂર્વજ અબ્રાહમે પણ તેને લુંટનો દસમો ભાગ આપ્યો. 5 હવે નિયમશાસ્ત્ર પ્રમાણે લેવીના વંશજો યાજક બને છે, તેઓને લોકોની પાસેથી, એટલે પોતાના ભાઈ ઇઝરાયેલીઓ પાસેથી દશાંશ લેવાનો હુકમ છે, ભલે તેઓ અબ્રાહમના વંશજ હોય. 6 જો કે આ માણસ લેવીના વંશજોમાંનો ન હતો, છતાં તેણે અબ્રાહમ પાસેથી દશાંશ લીધો, અને જેને વચનો આપવામાં આવ્યા હતાં તેને આશીર્વાદ આપ્યો. 7 નાનાંથી મોટાને આશીઁવાદ મળે છે, એમાં કંઈ પણ શંકા નથી. 8 એક કિસ્સામાં, મર્ત્ય હોવા છતાં દશાંશ સ્વીકારે છે, પણ બિજા કિસ્સામાં, એના દ્રારા જે સદા જીવંત છે. 9 વળી એમ પણ કહી શકાય કે જે લેવી દશમો ભાગ લે છે, તેણે પણ અબ્રાહમ મારફતે દશાંશ આપ્યો. 10 કેમકે જયારે મેલ્ખીસેદેક જયારે અબ્રાહમને મળ્યો, ત્યારે તે હજી તેના શરીરમાં હતો.

ઈસુ મેલ્ખીસેદેક જેવા

11 હવે જો લેવીયના યાજકપદથી પરિપૂણઁતા થઇ હોત, અને ખરેખર તે દ્રારા લોકોને નિયમશાસ્ત્ર મળ્યું હતું, તો આરોનના ધારા પ્રમાણે ગણાયેલો નહિ, એવો બીજો યાજક મેલ્ખીસેદેકના નિયમ પ્રમાણે ઉત્પન્ન થવાની શી અગત્ય હતી? 12 જયારે યાજકપદ બદલાય છે, ત્યારે નિયમો પણ બદલાવવા જોઈએ. 13 જેના સંબંધમાં એ વાતો કહેવામાં આવી છે તે બીજા કુળનો છે, અને તે કુળમાંથી કોઈએ કયારેય વેદીની સેવા કરી નથી. 14 કેમકે એ સ્પષ્ટ છે કે આપણા પ્રભુ યહૂદા કુળમાંથી આવ્યા, તે કુળમાંના યાજકપદ વિશે મોશેએ કંઈ કહ્યું નથી. 15 અને અમે જે કહ્યું છે તે વધારે સ્પષ્ટ છે, જો મેલ્ખીસેદેક જેવો બીજો એક યાજક ઊભો થયો છે. 16 જે પોતાના પૂવઁજોના પણ આધારે યાજક નથી બન્યાં, પણ અવિનાશી જીવનનાં સામર્થ્યના આધારે યાજક બન્યા. 17 કેમકે તે જાહેર કરવામાં આવ્યું છે કે:

"મેલ્ખીસેદેકના નિયમ પ્રમાણે

તું સનાતન યાજક છે."

18 પહેલાના નિયમોને રદ કરવામાં આવે છે કારણ કે તે નિર્બળ અને બિનઉપયોગી હતો. 19 (કેમકે નિયમશાસ્ત્રથી કશું પરિપૂણઁ થયું નથી), અને એક સારી આશા રજૂ થઇ છે, જે વડે આપણે ઈશ્વર પાસે નજીક જઈએ છીએ.

20 અને તે સમ વિનાનું ન હતું! કેમકે બીજા તો સમ વિના યાજક થયા છે, 21 પણ જયારે ઈશ્વરે તેને કહ્યું, ત્યારે તે સમ ખાઈને યાજક બન્યા:

"ઈશ્વરે પ્રતિજ્ઞાપૂર્વક કહ્યું છે કે,

અને તે કદી પોતાનો વિચાર બદલશે નહિ:

‘તું સદાને માટે યાજક છે.’ "

22 આ સમને કારણે, ઈસુ વધુ સારાં કરારના જામીન થયા.

23 હવે એ યાજકોમાંના ઘણાં હતાં ખરા, પણ મરણને લીધે તેઓ કાયમ રહી શક્યા નહિ; 24 પણ ઈસુ સદાકાળ જીવંત છે, અને તેમનું યાજકપદ સનાતન છે. 25 આથી જે કોઈ તેમના મારફતે ઈશ્વર પાસે આવે છે, તેઓનો તે સંપૂર્ણ ઉધ્ધાર કરવા તે સમર્થ છે, તેમને માટે મધ્યસ્થી કરવા તેઓ સદા જીવંત છે.

26 આથી આપણને એવા પ્રમુખયાજકની જરૂર હતી, કે જે પવિત્ર, દોષરહિત, નિષ્કલંક, પાપીઓથી અલગ છે, અને સ્વર્ગમાં સૌથી ઊંચે ચઢાવેલા છે. 27 બીજા પ્રમુખ યાજકોની માફક, તેમણે પોતાનાં અને લોકોનાં પાપો માટે દરરોજ બલિદાન કરવાની જરૂર નથી. કારણ કે તેમણે પોતે એક જ વાર બધાનાં પાપો માટે બલિદાન આપ્યું. 28 કેમકે નિયમશાસ્ત્ર માણસોની તેમની બધી નબળાઇઓ સાથે યાજકો તરીકે ઠરાવે છે; પણ નિયમશાસ્ત્ર પછીના સમનું વચન તો સદાકાળ સંપૂણઁ કરેલાં પુત્રને પ્રમુખયાજક ઠરાવે છે.

Veja também

Publicidade
Hebreus
Ver todos os capítulos de Hebreus
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-15_21-32-39-