Publicidade

Gálatas 4

1 હવે, હું કહું છું કે, વારસ જયાં સુધી બાળક છે, ત્યાં સુધી સઘળાનો માલીક છતાં પણ તેનામાં અને નોકરમાં કંઇ પણ ફેર નથી. 2 તેના પિતાએ નક્કી કરેલાં સમય સુધી વારસને તેના વાલી અને વ્યવસ્થાપકોનાં નિર્ણયને આધીન રહેવું પડે છે. 3 તે જ પ્રમાણે, પણ જયારે બાળક હતા, ત્યારે જગતનાં આત્મિક તત્વોને તાબે રહીને દાસત્વમાં હતાં. 4 પણ જયારે ઠરાવેલ યોગ્ય પૂણઁ સમય આવ્યો, ત્યારે ઈશ્વરે પોતાનો દીકરો, નિયમને આધીનતામાં સ્ત્રીથી જન્મેલ મોકલ્યો, 5 એ હેતુથી કે જેઓ નિયમને આધીન હતા તેઓને તે છોડાવી લે કે, જેથી આપણને દત્તકપુત્ર થવાનો હક્ક મળે. 6 કેમકે આપણે તેનાં સંતાન છીએ, ઈશ્વરે પોતાના પુત્રનો આત્મા આપણા હૃદયોમાં મોકલ્યો છે, આત્મા કે જે અને હવે અબ્બા એટલે પિતા કહીને હાંક મારે છે. 7 તેથી હવેથી આપણે ગુલામ નથી પણ ઈશ્વરનાં સંતાન છીએ, આપણે તેમનાં બાળકો છીએ તેથી ઈશ્વર દ્રારા વારસ પણ છે.

ગલાતીઓ માટે પાઉલની ચિંતા

8 ઈશ્વરને ઓળખ્યા પહેલાં કહેવાતાં સ્વાભાવિક રીતે જેઓ દેવો નથી તેના તમે ગુલામ હતા. 9 પણ હવે તમે ઈશ્વરને ઓળખ્યા છે, અથવા ઈશ્વરે તમને ઓળખ્યા છે, તો આ નબળાં તથા નિમાઁલ્ય જેવા તત્વોના દાસત્વની ફરીથી ઈચ્છા રાખીને, તેઓની તરફ બીજી વાર શા માટે ફરો છો? 10 ખાસ દિવસો, અને મહિના, અને ઋતુઓ કે વરસોનાં પવોઁ પાળો છો. 11 મને તમારી ચિંતા થાય છે, કદાચ તમારાં માટેનો મારો પરિશ્રમ વ્યર્થ નીવડે.

12 વહાલાં ભાઈઓ અને બહેનો હું તમને વિનંતી કરું છું કે, મારા જેવા થાઓ, કેમકે હું તમારા જેવો થયો છું, તમે મને કંઈ ખોટું કયુઁ નથી. 13 પણ તમે જાણો છો કે, માંદગીમાં મે તમને સુસમાચાર પ્રગટ કયાઁ, 14 અને મારી માંદગીમાં જે તમને પરીક્ષણરૂપ હતું, તેનો તિરસ્કાર કે ફિટકાર તમે કયાઁ નહિ; પણ જાણે હું ઇશ્વરનો દૂત હોય, બલકે મસીહ ઈસુ હોઉ, તેમ તમે મારો અંગીકાર કયોઁ. 15 ત્યારે હવે, તે તમારા આશીઁવાદો કયાં છે? હું તમને સાક્ષી આપું છું કે, જો બની શકત, તો તમે તમારી આંખો કાઢીને મને આપત. 16 ત્યારે હવે સત્ય કહેવાને લીધે શું હું તમારો દુશ્મન થયો છું?

17 તેઓ તમને જીતવા માગે છે, પણ સારા માટે નહિ; તમે તેઓનાં પ્રત્યે ઉત્સાહી થાવ એ માટે તેઓ તમને મારાંથી જુદાં પાડવા માગે છે. 18 તમારો ઉત્સાહ સારા કામને માટે હોય તે સારું છે, અને હંમેશા હોવો જોઈએ, હું તમારી સાથે હોઉં ત્યારે જ નહિ. 19 હે મારાંં પ્રિય બાળકો, જયાં સુધી તમે મસીહમય ન થાવ, ત્યાં સુધી ફરી એક વાર હું તમારે માટે પ્રસૂતિની પીડા અનુભવુ છું. 20 પણ હમણાં તમારી પાસે હાજર થવાની અને મારી બોલવાની ઢબ બદલવાની મને ઇચ્છા થાય છે; કેમકે તમારા વિષે મને ચિંતા થાય છે.

હાગાર અને સારા

21 નિયમશાસ્ત્રને આધીન રહેવાની ઇચ્છા રાખનારાઓ, તમે મને કહો કે, શું તમે નિયમશાસ્ત્ર સાંભળતાં નથી? 22 કેમકે લખેલું છે કે અબ્રાહમને બે પુત્રો હતા. એક દાસીથી જન્મેલો અને બીજો પરેણેતરનો. 23 દાસીથી જન્મેલ પુત્ર કુદરતી નિયમ પ્રમાણે જન્મેલો હતો, પણ પરણેતરથી જન્મેલ પુત્ર આપેલ વચન પ્રમાણે જન્મ્યો હતો.

24 તેઓ તો ઉપમારૂપે છે: કેમકે એ સ્ત્રીઓ બે કરાર છે. પ્રથમ કરાર સિનાઈ પર્વત પરનો, તેને દાસત્વને અથેઁ સંતાન થાય છ, અને તે તો હાગાર છે. 25 હવે હાગારતો જાણે અરબસ્તાનમાનો સિનાઈ પર્વત છે, અને તે હાલનાં યરુશાલેમને લાગુ પડે છે; કેમકે તે પોતાના છોકરાં સુધ્ધા દાસત્વમાં છે. 26 પણ આપણું ઉપરનું યરુશાલેમ સ્વતંત્ર છે. અને તે આપણી માતા છે. 27 લખ્યું છે કે:

"હે સંતાન વિહોણી સ્ત્રી, તું આનંદ કર

જેણે કદી પુત્ર જણયો નથી;

તે તું આનંદ કરીને પોકાર કર;

જેને પ્રસૂતિ વેદના થતી નથી;

કેમકે જેને વર છે,

તેનાં કરતાં એકલી મુકાયેલી સ્ત્રીને સંતાન વધારે હોય છે."

28 હવે ભાઈઓ અને બહેનો, ઇસહાકની માફક તમે પણ વચનનાં સંતાન છો. 29 તેને લીધે જેમ દેહ પ્રમાણે જન્મેલ દાસીનાં પુત્રે વચનનાં પુત્ર ઇસહાકની સતાવણી કરી તેમ પવિત્ર આત્માથી જન્મેલાંઓની સતાવણી કરે છે. 30 પણ શાસ્ત્ર શું જણાવે છે? "દાસીને તથા તેના પુત્રને કાઢી મૂકવાનું કહ્યું, કેમકે દાસીનાં પુત્રને પરણેતરના પુત્રની સાથે વારસો મળી શકે નહિ." 31 તેથી ભાઈઓ અને બહેનો, આપણે દાસીનાં સંતાન નથી, પણ પરણેતરના સંતાનો છીએ.

Veja também

Publicidade
Gálatas
Ver todos os capítulos de Gálatas
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-15_21-32-39-