1 હે મૂર્ખ ગલાતીઓ! ક્રૂસ પર ઈસુ મસીહના મરણનું ચિત્ર તમારી સમક્ષ સ્પષ્ટ રીતે રજૂ કર્યું હોવા છતાં, તમને કોણે ભરમાવ્યાં છે? 2 હું તમારી પાસેથી એ જાણવાં માંગું છું કે, શું નિયમપાલન દ્વારા તમે પવિત્ર આત્મા પામ્યા? કે સુસમાચાર સાંભળીને વિશ્વાસ કરીને? 3 તો પછી શું તમે એટલા બધા મુખઁ છો? કે આત્માથી આરંભ કરીને શું હવે તમે દેહથી સંપૂણઁ થવા ચાહો છો? 4 શું તમે ઘણું બધું વ્યથઁ વેઠયું છે, જો તે ખરેખર વ્યર્થ હતું? 5 હું તમને ફરીથી પૂછું છું કે, શું ઈશ્વર તમને પવિત્ર આત્મા આપે છે, અને તમારાંમાં ચમત્કારો કરે છે, તે શું નિયમની કરણીઓને લીધે કે સુસમાચાર સાંભળીને વિશ્વાસ કરવાને લીધે કરે છે? 6 એ જ રીતે અબ્રાહમે પણ "ઈશ્વર પર વિશ્વાસ રાખ્યો અને તેને લીધે જ ઈશ્વરે તેને લેખે ન્યાયીપણાં તરીકે ગણાયો."
7 તો સમજો કે જેઓને વિશ્વાસ છે તેઓ અબ્રાહમના સંતાન છે. 8 શાસ્ત્ર વચનોએ અગાઉથી જાણ્યું હતું કે ઈશ્વર દ્રારા વિશ્વવાસથી વિદેશીઓને ન્યાયી ઠરાવશે, અને અબ્રાહમને એ અગાઉથી સુસમાચાર જાહેર કયાઁ: "તારા દ્રારા સવઁ પ્રજાઓ આશિષ પામશે." 9 એ માટે જેઓ વિશ્વાસ કરે છે, તેઓ વિશ્વાસુ માણસ અબ્રાહમ સાથે આશીર્વાદિત થાય છે.
10 કેમકે જેટલાં નિયમશાસ્ત્રની કરણીઓ પર આધાર રાખનાર સર્વ શાપ હેઠળ છે, જેમ લખેલું છે કે: "નિયમશાસ્ત્રના પુસ્તકમાં લખેલી દરેક બાબતોનું પાલન ન કરનાર શાપને પાત્ર છે." 11 તો નિયમશાસ્ત્ર પર આધાર રાખનાર કોઇ પણ વ્યકિત ઈશ્વર સમક્ષ ન્યાયી ઠરતું નથી એ સ્પષ્ટ છે. કારણ કે "ન્યાયી વિશ્વાસથી જીવશે." 12 નિયમ વિશ્વાસને આધારીત નથી; પણ કહે છે કે "જે વ્યકિત આ બાબતો કરે છે તે તેઓ વડે જીવશે" 13 મસીહ આપણા માટે શાપિત થઇને નિયમનાં શાપથી આપણને મુકત કયાઁ, કેમકે લખેલું છે કે: "જે કોઇ ઝાડ પર ટંકાયેલો છે તે શાપિત છે." 14 તેમણે આપણને છોડાવ્યા જેથી હવે અબ્રાહમને મળેલો આશીર્વાદ મસીહ ઈસુ દ્રારા વિદેશીઓને મળે, જેથી આપણે પવિત્ર આત્માનું વચન વિશ્વાસથી પામી શકીએ.
15 ભાઈઓ અને બહેનો, હું રોજિંદા જીવનમાંથી એક ઉદાહરણ લઈશ: જેમ એક માણસનો સ્થાપિત કરેલો કરાર રદ કરી શકતું નથી કે તેમાં વધારો કરી શકતું નથી, તેવું આ કિસ્સામાં પણ છે. 16 હવે અબ્રાહમ તથા તેના સંતાનને કેટલાક વચનો આપ્યા હતા. શાસ્ત્ર વચનોમાં એવું કહેવામાં આવ્યું નથી "અને સંતાનોને" એટલે ઘણાં લોકો તેનો અથઁ એવો કરે છે, પણ "અને તારા સંતાન" કે જેનો અથઁ એક વ્યકિત. જે મસીહ છે. 17 મારો કહેવાનો અથઁ એ છે કે જે કરાર ઈશ્વરે અગાઉથી સ્થાપિત કરેલો હતો તેને ચારસો ત્રીસ વરસ પછી થયેલો નિયમ રદ કરીને તેમનું વચન રદ કરતાં નથી. 18 કેમકે જો વારસ નિયમ પર આધારીત હોય, તો પછી તે વચન પર આધારીત નથી; પણ ઈશ્વરે પોતાની કૃપાથી વચન દ્રારા અબ્રાહમને આપ્યો.
19 તો પછી નિયમો શા માટે આપવામાં આવ્યા? જે વચન સંતાનને આપવામાં આવ્યું હતું કે તે આવે ત્યાં સુધી ઉલ્લંઘનોને કારણે તે આપવામાં આવ્યું, નિયમ દૂતો દ્રારા આપવામાં આવ્યો અને મધ્યસ્થને સોંપવામાં આપવામાં આવ્યો. 20 હવે મધ્યસ્થ, તો માત્ર એકનો નથી પણ; પણ ઇશ્વરતો એક છે.
21 તો શું નિયમશાસ્ત્ર ઈશ્વરનાં વચનો પરસ્પર વિરોધી છે? ના, કદી નહિ! કેમકે જો જીવન આપી શકે એવો કોઇ નિયમ આપવામાં આવ્યો હોત તો નિયમ વડે ન્યાયીપણું ચોકકસ મળત. 22 પરંતુ શાસ્ત્ર લેખે બધાંને પાપનાં નિયંત્રણમાં બંધ કયાઁ, જેથી ઈસુ મસીહ પરના વિશ્વાસથી વિશ્વાસ કરનારાઓને વચન આપવામાં આવે.
23 આ વિશ્વાસ આવ્યા પહેલાં, આપણે નિયમશાસ્ત્ર હેઠળ કેદમાં હતા, અને આવનાર વિશ્વાસ પ્રગટ ન થાય ત્યાં સુધી આપણને બંધ કરવામાં આવ્યા હતા. 24 તેથી મસીહ આવ્યા સુધી નિયમ આપણો રક્ષક હતો, જેથી આપણે વિશ્વાસ દ્રારા ન્યાયી ઠરીએ. 25 હવે આ વિશ્વાસ આવ્યો છે તેથી આપણે હવે રક્ષક હેઠળ નથી.
26 તો મસીહ ઈસુનાં વિશ્વાસને લીધે તમે બધા ઈશ્વરનાં સંતાનો છીએ. 27 કેમકે તમે બધા જેમણે મસીહમાં બાપ્તિસ્મા પામ્યાં છે, તેમણે મસીહને પહેરી લીધા છે. 28 ત્યાં કોઈ યહૂદી, કે વિદેશી નથી, કોઇ ગુલામ, કે મુક્ત નથી, કોઇ પુરુષ કે સ્ત્રી નથી, કેમકે તમે બધા મસીહ ઈસુમાં એક છો. 29 જો તમે મસીહના છો, તો તમે અબ્રાહમના સંતાન છો, અને વચન પ્રમાણે વારસ પણ છો.