1 પરંતુ, જે સાચું શિક્ષણ છે તે જતું શીખવજે. 2 વૃધ્ધ પુરુષને શાંત, ઠરેલ, માનપાત્ર, સંયમી, વિશ્વાસ, પ્રેમ અને ધીરજમાં દ્રઢ રહેવાનું શીખવ.
3 એ જ રીતે, વૃધ્ધ સ્ત્રીઓને શીખવ કે તેઓ જે રીતે જીવે છે તેમાં આદરણીય રહે, નિંદા ન કરે, ઘણો દ્રાક્ષારસ ન પીવે, પણ જે સારું છે તેનું શિક્ષણ આપે. 4 પછી તેઓ જુવાન સ્ત્રીઓને તેમના પતિઓ તથા બાળકો પર પ્રેમ રાખવાનું સમજાવે. 5 તેઓ સંયમી અને શુધ્ધ મનવાળી બને, ઘરમાં કામકાજ કરનારી, તથા માયાળુ અને પતિઓને આધીન રહે. જેથી કોઈ ઇશ્વરના વચનની નિંદા ન કરે.
6 એ જ રીતે, જુવાનોને સંયમી રહેવા પ્રોત્સાહિત કરો. 7 દરેક બાબતમાં સારી કરણીઓ કરીને તેમને નમૂનારૂપ થા. તારા શિક્ષણમાં પ્રામાણિકતા, ગંભીરતા 8 અને શુધ્ધ વાણી કે જેને કોઈ દોષિત ન ઠરાવે, જેથી જેઓ તમારો વિરોધ કરે છે તેઓને આપણા વિષે કંઈ ભૂંડુ બોલવાનું કારણ ન મળવાથી તેઓ શરમાઈ જાય.
9 ગુલામોને શીખવ કે તેઓ દરેક બાબતોમાં પોતાના માલિકોને આધીન રહે, અને તેઓને સંતોષ આપે. તેઓ સામું ન બોલે. 10 અને તેઓની પાસેથી ચોરી ન કરે, પરંતુ સંપૂર્ણ વિશ્વાસુપાત્ર હોય તેવું બતાવે, જેથી તેઓ દરેક રીતે આપણા તારનાર ઈશ્વરના સુબોધને દીપાવે.
11 કારણ કે ઈશ્વરની કૃપા સર્વ લોકોનું તારણ કરે છે તે પ્રગટ થઇ છે. 12 તેથી આપણને એવું શિક્ષણ મળે છે કે અધમઁ તથા વિષય વાસનાથી દૂર જઈને હાલનાં જમાનામાં સંયમી, ન્યાયી અને ભકિતભાવ રાખીને વતઁવું; 13 જયારે આપણે ધન્ય આશાની, એટલે કે આપણા મહાન ઈશ્વર અને આપણા તારનાર, ઈસુ મસીહના મહિમાનાં પ્રગટ થવાની રાહ જોઈએ. 14 આપણા પાપ માટે તેમણે પોતાનું સ્વાપઁણ કયુઁ, જેથી સવઁ અન્યાયથી તે આપણો ઉધ્ધાર કરે, અને આપણને પવિત્ર કરીને પોતાને સારું ખાસ પ્રજા તથા સર્વ સારાં કામ કરવાને આતુર એવા પોતાના લોક બનાવે.
15 આ બધી બાબતો તું શીખવ, ઉત્તેજન આપ અને પૂરાં અધિકારપૂર્વક ઠપકો આપ. કોઈ તારો અનાદર ન કરે.