1 પ્રેષિત પાઉલ, માણસો તરફથી કે કોઈ માણસ દ્રારા નહિ, પણ ઈસુ મસીહને ઈશ્વર પિતા જેમણે તેમને મૃત્યું માંથી ઊઠાડ્યા, તેમનાં દ્રારા મોકલવામાં આવ્યો છું. 2 અને મારી સાથેના બધાં ભાઈઓ અને બહેનો,
ગલાતિયાની મંળીઓને:
3 ઈશ્વર પિતા અને પ્રભુ ઈસુ મસીહ તરફથી તમને કૃપા અને શાંતિ થાઓ. 4 આપણા ઈશ્વર અને પિતાની યોજના પ્રમાણે, તેમણે આપણા પાપોને માટે પોતાનું સ્વાપઁણ કયુઁ, આપણને દુષ્ટ જગતમાંથી છોડાવે, 5 તેમને સદાસર્વકાળ મહિમા હો. આમીન.
6 મને નવાઈ લાગે છે કે જેણે તમને મસીહની કૃપાથી બોલાવ્યાં, તેને મૂકીને તેટલાં બધા વહેલા તમે કોઈ જુદા જ સુસમાચાર તરફ વળી ગયા છો. 7 તે બીજા સુસમાચાર નથી; માત્ર કેટલાંએક તમને હેરાન કરે છે, અને મસીહનાં સુસમાચારને ઉલટાવી નાંખવા ચાહે છે. 8 જે સુસમાચાર અમે તમને પ્રગટ કયાઁ છે, એ સિવાયના બીજા કોઈ પણ સુસમાચાર પ્રગટ હું કે આકાશનો કોઈ દૂત પણ તમને પ્રગટ કરે, તો તે શાપિત થાઓ. 9 હું ફરીથી કહું છું: તમે અમારી પાસેથી સાંભળ્યા છે તે વિના અન્ય સુસમાચાર જે કોઈ પ્રગટ કરે તેના પર ઈશ્વરનો શાપ ઊતરો!
10 શું હું હવે માણસોને ખુશ કરવા પ્રયત્ન કરું છું, કે ઈશ્વરને? કે પછી હું લોકોને ખુશ કરવાનો પ્રયત્ન કરું છું? જો હું હજી સુધી લોકોને ખુશ કરવાનો પ્રયત્ન કરતો હોત, તો હું મસીહનો સેવક ન હોત.
11 ભાઈઓ અને બહેનો, હું જણાવું છું કે જે સુસમાચાર મેં પ્રગટ કયાઁ છે તે માનવી જ્ઞાન પર આધારીત નથી. 12 આ સુવાર્તા મને કોઈ માણસ તરફથી પ્રાપ્ત થઈ નથી કે, માણસોથી શીખેલો નહિ, પણ ઈસુ મસીહનાં પ્રગટ કર્યાથી પામ્યો છું.
13 કેમકે પ્રથમ હું યહૂદી ધમઁ પાળતો હતો, ત્યારથી મારી વતઁણૂક વિશે તો તમે સાંભળ્યું છે કે, હું ઈશ્વરની મંડળીને સતાવતો હતો, અને તેની પાયમાલી કરતો હતો. 14 અને મારા પૂવઁજોનાં સંપ્રદાય માટે હું અતિશય ખંતીલો હોવાથી મારી ઉંમર નાં મારા ઘણા દેશી ભાઈઓ કરતા યહૂદી ધમઁમાં વધારે પ્રવીણ થયો. 15 પણ ઈશ્વરે મારા જન્મનાં દિવસથી જ જુદો કર્યો હતો, તથા પોતાની કૃપાથી મને બોલાવ્યો હતો તેને જ્યારે તે પસંદ પડયું. 16 કે મારાંમાં તે તેમના દીકરાને પ્રગટ કરે, જેથી હું તેમના સુસમાચાર વિદેશીઓમાં પ્રગટ કરું; ત્યારે તરત જ કોઈ પણ માણસની સલાહ પૂછ્યા વગર, 17 મારી અગાઉના પ્રેષિતોને મળવા માટે હું યરુશાલેમ પણ ન ગયો. હું તો અરબસ્તાનમાં ચાલ્યો ગયો અને પછી દમાસ્કસ શહેરમાં પાછો આવ્યો.
18 ત્રણ વર્ષ પછી, કેફાને મળવા માટે હું યરુશાલેમ ગયો અને પંદર દિવસ સુધી તેની સાથે રહ્યો. 19 અન્ય પ્રેષિતોમાંથી માત્ર આપણા પ્રભુનાં ભાઈ યાકોબને જ હું મળ્યો હતો. 20 હું તમને જે લખું છું, તેમાં ઈશ્વરને સાક્ષી રાખીને કહું છું કે હું તમને જૂઠું કહેતો નથી.
21 પછી હું સિરીયા અને કિલીકિયાના પ્રદેશમાં ગયો. 22 ત્યાં સુધી યહૂદિયામાંની મસીહી મંડળીઓને મારી ઓળખાણ થઈ ન હતી. 23 તેઓએ તો એટલી જ વાત સાંભળી હતી કે: "જે માણસ પહેલાં અમને સતાવતો હતો, અને જે વિશ્વાસનો પોતે અગાઉ નાશ કરતો હતો, તે વિશ્વાસ પ્રગટ કરે છે." 24 અને મારે લીધે તેઓએ ઈશ્વરની સ્તુતિ કરી.