1 છેવટે, ભાઈઓ અને બહેનો, પ્રભુમાં આનંદ કરો. આ વિશે તમને વારંવાર લખતાં હું કંટાળતો નથી, અને એ તમારાં હિતને માટે છે. 2 કૂતરાંઓથી સાવચેત રહો, દુષ્ટ કૃત્યો કરનારાંઓથી સાવચેત રહો, વ્યથઁ સુન્નતથી સાવચેત રહો; 3 કેમકે આપણે ઇશ્વરના આત્માથી સેવા કરનારા તથા મસીહ ઈસુમાં અભિમાન કરનારા તથા દેહ પર ભરોસો ન રાખનારાં, ખરા સુન્નતી છીએ. 4 તોપણ ભરોસો રાખવાનું મારે પણ કારણ છે.
જો બીજો કોઇ ધારે કે તેને ભરોસો રાખવાનું કારણ છે, તો મને તેનાં કરતાં વિશેષ છે: 5 આઠમે દિવસે સુન્નત પામેલો, ઇઝરાયેલનાં લોકનો, બિન્યામીનના કુળનો, યહૂદીઓનો યહૂદી, નિયમ સંબંધી ફરોશી; 6 ધર્મના આવેશ સંબંધી મંડળીને સતાવનાર; નિયમશાસ્રના ન્યાયીપણા સંબંધી નિદોઁષ.
7 પણ જે વાનાં મને લાભકારક હતાં તે મેં મસીહને લીધે હાનિકારક ગણ્યાં. 8 વળી મસીહ ઈસુને ઓળખવાના અતિ મૂલ્યને કારણે હું બધુ જ નુકશાન માનું છું જેમને માટે મેં બધુ જ ગુમાવ્યું છે, અને તેઓને કચરો જ ગણું છું, જેથી હું મસીહને પ્રાપ્ત કરું, 9 અને તેમનાંમાં એકરૂપ થાઉ, અને નિયમશાસ્ત્રના પાલનથી મારું જે ન્યાયીપણું છે તે નહિ, પણ મસીહ પરનાં વિશ્વાસથી ઇશ્વરથી જે ન્યાયીપણાને વિશ્વાસથી મળે છે, તે મારું થાય; 10 હું મસીહને ઓળખવાં માગું છું, હા, તેમનાં પુનરુત્થાનનાં સામથ્યઁને તથા તેમનાં દુઃખોના ભાગિયાપણાંને જાણું, એટલે તેમના મરણને અનુરૂપ થાઉ; 11 અને તેથી, ગમે તે ભોગે, મૂએલાંઓના પુનરુત્થાનને પહોંચુ.
12 એવું નથી કે આ બધું હું પહેલેથીજ સંપાદન કરી ચૂકયો છું, અથવા હું મારા ધ્યેય સુધી પહોંચી ગયો છું, પણ મસીહ ઈસુએ મને જે માટે પકડી લીધો છે તે મેળવવા માટે હું આગળ વધુ છું. 13 ભાઈઓ અને બહેનો મેં પકડી લીધું છે, એમ હું ગણતો નથી. પણ એક કામ હું કરું છું, જે પાછળ છે તેને ભૂલીને અને જે આગળ છે તેની તરફ ધગશ રાખું છું. 14 હું ધ્યેય તરફ આગળ વધું છું, જેના માટે ઈશ્વરે મને મસીહ ઈસુમાં સ્વગીઁય ઈનામને માટે બોલાવ્યો છે.
15 તેથી, આપણામાં જેઓ પરીપકવ છે તેઓએ આજ દ્ગષ્ટિ રાખવી. અને જો કોઈ બાબતમાં અલગ રીતે વિચારો છો, તો ઈશ્વર તમને તે પણ સ્પષ્ટ કરે. 16 ફકત આપણે જે પ્રાપ્ત કયુઁ છે તેના પર જીવીએ.
17 ભાઈઓ અને બહેનો, તમે મારા નમૂના પ્રમાણે ચાલો, અને અમે જે નમૂનો તમારી આગળ મૂકીએ છીએ તે પ્રમાણે જેઓ જીવે છે તેમ, તેમના પર લક્ષ રાખો. 18 કેમકે આ પહેલાં મેં તમને વારંવાર કહ્યું છે અને ફરીથી આંસુ સાથે કહું છું કે એવા ચાલનારાં ઘણા છે કે જેઓ મસીહના ક્રૂસના શત્રુઓ છે. 19 તેઓ સાર્વકાલિક વિનાશ પામવાનાં છે, પેટ એ જ તેઓનો ઈશ્વર છે, શરમમાં તેઓનું અભિમાન છે, તેઓનું મન પૃથ્વીની બાબતોમાં રચ્યાં પચ્યાં રહે છે. 20 પણ આપણી નાગરિકતા આકાશમાં છે, ત્યાંથી આપણા તારનાર પ્રભુ ઈસુ મસીહની રાહ જોઈ રહ્યા છીએ. 21 જે, જે સામથ્યઁથી સવઁને પોતાને આધીન કરી શકે છે, તે પ્રમાણે આપણા વિનાશી શરીરોનું તે મહિમાવંત શરીરોમાં રૂપાંતર કરશે.જેથી તેઓ તેમના મહિમાવાન શરીર જેવા થાય.