Publicidade

Atos 17

થેસ્સાલોનિકામાં

1 પછી મુસાફરી કરતા પાઉલ અને તેના સાથીદારો અમ્ફિપુલિસ અને અપલાનિયામાં થઈને તેઓ થેસ્સાલોનિકા આવ્યા, જયાં યહૂદીઓનું એક સભાસ્થાન હતું. 2 પાઉલે પોતાની રીત પ્રમાણે સભાસ્થાનમાં ગયો, અને ત્રણ વિશ્રામવાર સુધી તેણે તેઓની સાથે શાસ્ત્રમાંથી વાદવીવાદ કયોઁ. 3 "ખુલાસો આપીને સિધ્ધ કયુઁ કે મસીહે દુઃખ સહન કરવું અને મુત્યુમાંથી સજીવન થવું. તેણે કહ્યું કે આ ઈસુ જેને હું પ્રગટ કરું છું તે એ જ મસીહ છે." 4 એ વાતો સાંભળીને ઈશ્વરની બીક રાખનાર ગ્રીક અને ઘણી પ્રતિષ્ઠીત ગણાતી સ્ત્રીઓ અને કેટલાક યહુદીઓ પાઉલ તથા સિલાસની સંગતમાં જોડાયાં.

5 પણ બિજા યહૂદીઓને અદેખાઈ આવી; તેઓએ શેરીનાં ગુંડાઓને ઉશ્કેયાઁ, ટોળું ભેગું કરીને શહેરમાં હુલ્લડ મચાવ્યું. તેઓએ યાસોનના ઘર પર હુમલો કરીને તેઓને લોકોની પાસે બહાર કાઠી લાવવાનો પ્રયત્ન કયોઁ. 6 જયારે તેઓ તેમને મળ્યાં નહિ ત્યારે તેઓએ યાસોનને તથા કેટલાક વિશ્વાસીઓને બહાર ખેંચી કાઢીને બુમો પાડી: કે "આ માણસો કે જેમણે આખા જગતને ઉથલ પાથલ કર્યું છે તેઓ અહીંયા પણ આવ્યા છે. 7 અને યાસોને તેઓને પોતાના ઘરમાં રાખ્યાં છે. તેઓ બધા કૈસરની આજ્ઞાઓ ની વિરુદ્ધ જઈને કહે છે કે બીજો એક રાજા છે, કે જે ઈસુ કહેવાય છે." 8 જયારે તેઓએ આ સાંભળ્યું, ત્યારે ટોળાએ અને શહેરનાં ન્યાયાધીશોમાં ખળભળાટ મચી ગયો. 9 પછી તેઓએ યાસોનને તથા અન્યને જામીન આપીને છોડી મૂક્યાં.

બરૈયામાં

10 જેવી રાત થઇ કે વિશ્વાસીઓએ પાઉલ અને સિલાસને બરૈયા મોકલી દીધા, ત્યાં પોહચીને, તેઓ સભાસ્થાનમાં ગયા. 11 બરૈયાના યહુદી લોકો થેસ્સાલોનિકાના લોકો કરતાં વધુ ઉમદા સ્વભાવના હતા, કેમકે તેઓ ઉત્સાહથી સંદેશો સ્વીકારતા અને પાઉલ જે કહે છે તે સાચુ છે કે કેમ તે તપાસવા શાસ્ત્રનો દરરોજ અભ્યાસ કરતા હતા. 12 પરિણામે તેઓમાંના ઘણાંએ વિશ્વાસ કયોઁ. અને કેટલીક ગ્રીક ખાનદાન સ્ત્રીઓએ તથા ઘણાં ગ્રીક પુરુષોએ પણ વિશ્વાસ કયોઁ.

13 પણ જયારે થેસ્સાલોનિકાના યહૂદીઓને સાંભળ્યું કે પાઉલ બરૈયામાં ઇશ્વરનું વચન પ્રગટ કરે છે ત્યારે તેઓમાંના કેટલાક ત્યાં પણ પહોંચી ગયા. અને લોકોને ઉશ્કેરીને ખળભળાવ્યાં. 14 ત્યારે વિશ્વાસીઓએ તરત જ પાઉલને દરિયા કિનારે મોકલી દીધો, પણ સિલાસ અને તિમોથી બરૈયામાં જ રહ્યા. 15 પાઉલને લઇ જનારાઓ તેને આથેન્સ લઇ ગયા. પછી સિલાસ અને તિમોથી વહેલી તકે તેની પાસે આવવાની સુચના આપીને ગયા.

આથેન્સમાં

16 જયારે પાઉલ આથેન્સમાં તેઓની રાહ જોતો હતો, તે દરમિયાન તે શહેર મૂર્તિઓથી ભરેલું જોઈ ખુબજ દુઃખી થયો. 17 તેથી સભાસ્થાનમાં યહૂદીઓ તથા ઇશ્વરનો ડર રાખનાર ગ્રીકો સાથે, અને બજારમાં દરરોજ જે લોકો તેને મળતાં તેમની સાથે ચર્ચા કરતો. 18 કેટલાક એપીકયુરી અને સ્ટોઈક મતનાં ફિલસૂફોની સાથે પણ વાદવિવાદ કરવા લાગ્યો, કેટલાકે પૂછયું, આ બકબક કરનારા શું કહેવા માગે છે. બિજાઓએ કહ્યું કે તે કોઇ વિદેશી દેવતાઓને પ્રગટ કરતો હોય તેવું લાગે છે, તેઓએ કહ્યું, કારણ કે પાઉલ ઈસુ અને તેમના પુનરુત્થાન વિશેની વાત પ્રગટ કરતો હતો. 19 પછી તેઓએ તેને એરિયોપગસની સભામાં લઇ જઈને કહ્યું, "તું જે નવો ઉપદેશ આપી રહયો છે તે શું છે? તે અમને સમજાવ. 20 તું અમારા કાનોમાં વિચિત્ર વિચારો લાવી રહયો છે અને અમે તેનો અથઁ જાણવા માંગીએ છીએ." 21 હવે આથેન્સના વતનીઓ અને ત્યાં રહેનારાં વિદેશીઓ પોતાનો બધો સમય નવા વિચારો વિશે વાતો કરવામાં અને સાંભળવામાં ગાળતા હતા.

22 પાઉલે એરિયોપગસની સભામાં ઊભા થઈને કહ્યું: "આથેન્સના લોકો! મેં જોયું છે કે તમે બધી બાબતો ઘણાં ધાર્મિક છો. 23 કેમકે ચાલતાં ચાલતાં જેને તમે ભજો છો તેઓને મેં જોયા, ત્યાં મે એક વેદી પણ જોઈ, જેના પર આ લેખ લખેલો હતો કે:

અજાણ્યા ઈશ્વરને માટે.

તેથી જેને તમે જાણ્યાં સિવાય ભજો છો, તેને હું તમારી આગળ પ્રગટ કરવા માગું છું.

24 "જે ઈશ્વરે પૃથ્વી અને તેમાંનાં સર્વસ્વનું સર્જન કર્યું છે, વળી તે સ્વર્ગ અને પૃથ્વીનાં પ્રભુ હોવાથી માણસોએ બાંધેલા મંદિરમાં રહેતાં નથી. 25 વળી માનવી હાથોની સેવાની જરૂરિયાત નથી કેમકે તેમને કશાંની જરૂર નથી. તે પોતે જ સર્વને જીવન, અને શ્વાસ તથા બધી વસ્તુઓ આપે છે. 26 તેમણે એક માણસમાંથી તેમણે બધી પ્રજાઓ બનાવી જેથી તેઓ આખી પૃથ્વી પર વસાવે; અને તેમણે ઈતિહાસમાં તેમના નિમાઁણ કરેલાં સમયો અને તેમના રહેઠાણોની હદ ઠરાવી આપી. 27 ઈશ્વરે આમ કર્યું કે જેથી તેઓ તેને શોધે અને કદાચ તેમને પ્રાપ્ત કરે, પરંતુ તે આપણામાંના કોઈથી દૂર નથી. 28 કારણ કે આપણે તેનામાંજ જીવીએ છીએ અને હાલીએ છીએ અને અસ્તિત્વ ધરાવીએ છીએ. જેમ તમારાં જ કોઈ કવિએ કહ્યું છે તેમ: ‘આપણે પણ તેનાં સંતાનો છીએ.’

29 "હવે જો આપણે ઈશ્વરનાં સંતાનો છીએ તો આપણે એવી કલ્પના ન કરવી જોઈએ કે ઈશ્વર સોના, ચાંદી કે પથ્થર જેવા છે જે માણસોની કલ્પના અને કુશળતાથી બનાવેલી કોરેલી મૂર્તિઓ જેવા છે. 30 ભૂતકાળમાં ઈશ્વરે આવી અજ્ઞાનતા અવગણી ખરી. પણ હવે તે સવઁત્ર બધા લોકોને પસ્તાવો કરવાની આજ્ઞા કરે છે. 31 કેમકે તેમણે એક દિવસ નિયુકત કયોઁ છે જયારે તેઓ પોતાના નિમેલા માણસ દ્વારા જગતનો અદલ ઈન્સાફ કરશે. એ વિશે તેમણે તેમને મૂએલાંમાંથી સજીવન કરીને બધાને એ વાતની સાબિતી આપી છે."

32 જયારે તેઓએ મૂએલાંના પુનરુત્થાન વિશે સાંભળ્યું ત્યારે કેટલાકે એ વાત હસી કાઢી, પણ બીજાઓએ કહ્યું, "અમે આ વિશે ફરી કોઈ વાર વધારે સાંભળવા માંગીએ છીએ." 33 આમ પાઉલ ન્યાયસભા છોડી ને ચાલ્યો ગયો. 34 કેટલાક લોકો તેની પાછળ ચાલીને વિશ્વાસ કર્યો. તેઓમાં દિયાનુસ્થસ, કે જે અરિઓપગસની સભ્ય, તથા દામરિસ નામની એક સ્ત્રી અને તેઓ સિવાય બીજા પણ હતાં.

Veja também

Publicidade
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-15_21-32-39-