Publicidade

Atos 16

તિમોથી પાઉલ અને સિલાસની સાથે જોડાય છે

1 પછી પાઉલ દર્બે થઇને પછી લુસ્ત્રા ગયો, જયાં તિમોથી નામે એક વિશ્વાસી રહેતો, કે જેની માતા યહૂદી અને એક વિશ્વાસી હતી પણ જેનો પિતા ગ્રીક હતો. 2 લુસ્ત્રા અને ઈકોનિયમના વિશ્વાસીઓમાં તિમોથીની શાખ સારી હતી. 3 પાઉલ તેને મુસાફરીમાં સાથે લેવાં માંગતો હતો. ત્યાં રહેતા યહૂદીઓને કારણે તેણે તેની સુન્નત કરાવી. કેમકે તેઓ બધાને જાણતા હતા કે તેનો પિતા ગ્રીક હતો. 4 જયારે તેઓ શહેરે શહેર ફર્યા, યરુશાલેમનાં પ્રેષિતો અને વડીલોએ કરેલાં નિર્ણયો વિશે સમજ આપીને લોકોને તે પાળવાં જણાવ્યું. 5 તેથી મંડળીઓ વિશ્વાસમાં અને સંખ્યામાં વૃદ્ધિ પામતી ગઈ.

મકદોનિયાના માણસો માટે પાઉલનું સંદશઁન

6 પવિત્ર આત્માએ તેઓને આસિયામાં જવાની મના કરી હતી. તેથી પાઉલ અને તેના સાથીઓ ફ્રુગિયા અને ગલાતિયાના પ્રદેશમાં ફયાઁ. 7 જયારે તેઓ મુસિયાની સરહદે આવ્યા, ત્યારે તેઓએ બિથુનિયામાં પ્રવેશ કરવા પ્રયત્ન કયોઁ, પણ ઈસુના આત્માએ તેઓને ત્યાં જતા અટકાવ્યા. 8 તેથી તેઓ મુસિયાના થઈને ત્રોઆસમાં ગયા. 9 રાત્રે પાઉલને સંદર્શન થયું કે મકદોનિયાનો એક માણસ ઉભો રહીને તેને વિનંતી કરવા લાગ્યો કે, "મકદોનિયા આવીને અમને સહાય કર!" 10 પાઉલે સંદશઁન જોયા પછી, ઈશ્વર અમને સુસમાચાર પ્રગટ કરવા માટે બોલાવે છે; એવું સમજીને અમે ત્યાં જવાની તૈયારી કરી.

ફિલિપીમાં લુદિયાનું બદલાણ

11 વહાણમાં બેસીને અમે ત્રોઆસ થઇને સામોથ્રાકિથી થઈને બીજે દિવસે નીઆપોલીસ ગયા. 12 ત્યાંથી મુસાફરી કરીને અમે ફિલિપ્પીમાં પહોંચ્યા, કે જે રોમનોની વસાહત, અને મકદોનિયા જિલ્લાનું મુખ્ય શહેર છે. અને અમે ત્યાં કેટલાક દિવસો સુધી રહ્યા.

13 શહેર બહાર નદી કિનારે પ્રાર્થનાસ્થાન હશે એવું માનીને વિશ્રામવારે અમે ત્યાં ગયા, ત્યાં અમે પ્રાથઁનાનું સ્થળ મેળવવાની આશા રાખતા હતા. અમે બેઠા અને ત્યાં ભેગી થયેલી સ્ત્રીઓને બોધ કયોઁ. 14 તેમાંની એક સ્ત્રીનું નામ લુદિયા હતું, તે થૂઆતૈરા શહેરની વતની હતી, તે જાંબલી રંગના વસ્ત્રો વેચતી હતી. તે ઈશ્વરભકત હતી. પ્રભુએ તેનું હૃદય ઉઘાડયું અને તેણે પાઉલની વાતો ધ્યાનમાં લીધી. 15 જયારે તેણે તથા તેના ઘરનાં માણસોએ બાપ્તિસ્મા લીધું ત્યારે તેણે અમને તેના ઘરે આવવાં આમંત્રણ આપતાં કહ્યું, "હું ઈશ્વર પ્રત્યે વિશ્વાસુ છું એવું તમે માનતા હો તો તમે આવો અને મારા ઘરે રહો." અને તેણે આગ્રહ ચાલુ રાખ્યો.

પાઉલ અને સિલાસ જેલમાં

16 એક વાર અમે પ્રાર્થનાસ્થાને જતા હતા ત્યારે અમે એક દાસીને મળ્યા કે જેને અશુધ્ધ આત્મા વળગેલો હતો, જેનાથી તે ભવિષ્યકથન કહી પોતાના માલિકોને ખૂબ કમાણી કરી આપતી હતી. 17 તે પાઉલની તથા અમારી પાછળ આવી બૂમ પાડવા લાગી, "આ માણસો પરાત્પર ઈશ્વરના ભકતો છે, કે જેઓ તમને તારણના માઁગ વિશે કહે છે." 18 ઘણાં દિવસ સુધી એવું ચાલ્યું. છેવટે પાઉલે કંટાળીને તેની તરફ ફરીને પેલા અશુધ્ધ આત્માને કહ્યું, "ઈસુ મસીહને નામે હું તને હુકમ કરું છું કે તેનામાંથી તું નીકળી જા!" તે જ ઘડીએ અશુધ્ધ આત્મા તેનામાંથી નીકળી ગયો.

19 જયારે તેના માલીકોએ જાણ્યું કે ધન કમાવાની તેમની આશા જતી રહી છે, ત્યારે તેઓએ પાઉલ અને સિલાસને પકડયાં અને બજારમાં ન્યાયાધીશો પાસે ઘસડી ગયા. 20 તેઓને અમલદારોની આગળ લાવીને કહ્યું કે, "આ માણસો યહૂદી છે અને આપણા શહેરમાં ધમાલ મચાવે છે. 21 રોમનો જે રીતરિવાજો પાળી શકે નહિ, તેવાં નિયમો પાળવાનું તેઓ શિક્ષણ આપે છે."

22 પાઉલ અને સિલાસની વિરુધ્ધમાં લોકોનાં ટોળાં ભેગા થયાં અને ન્યાયાધીશોએ તેઓનાં વસ્ત્રો ઉતારીને તેઓને ફટકા મારવાનો અમલદારે હુકમ આપ્યો. 23 તેઓને ઘણાં ફટકા માયાઁ પછી તેઓને જેલમાં પૂરી દેવામાં આવ્યા, અને જેલરને તેઓને ચોકસાઇથી રાખવાની આજ્ઞા કરી. 24 આ હુકમ તેને મળ્યાથી, તેણે તેઓને અંદરની ઓરડીમાં પૂર્યાં અને તેઓના પગ હેડમાં બાંધી દીધા.

25 મધરાતનાં સુમારે પાઉલ અને સિલાસ પ્રાર્થના કરતા હતા, અને ઇશ્વરના સ્તોત્રો ગાતાં હતા, અને બીજા કેદીઓ તેમને સાંભળતા હતા. 26 ત્યારે એકાએક ભારે ધરતીકંપ થયો કે જેલનાં પાયા હાલી ગયા, તરત જ જેલનાં બધા દરવાજા ઊઘડી ગયા અને તમામની સાંકળો નીકળી પડી. 27 જેલર જાગી ઊઠયો. અને જયારે તેણે જેલનાં દરવાજા ઊઘડેલા જોયા, ત્યારે તેણે કેદીઓ નાસી ગયા હશે એવું માનીને આત્મહત્યા કરવા તેણે પોતા પર તરવાર ઉગામી; 28 પણ પાઉલે બૂમ પાડીને, "પોતાને કંઇ ઇજા કરીશ નહિ, અમે બધા અહીં જ છીએ!"

29 જેલરે દીવો મંગાવી અને અંદર દોડી જઈને તે ધ્રુજતો ધ્રુજતો પાઉલ તથા સિલાસને પગે પડયો. 30 પછી તે તેઓને બહાર કાઢયાં અને પૂછયું, "સાહેબો, તારણ પામવાં માટે મારે શું કરવું જોઈએ?"

31 તેઓએ જવાબ આપ્યો, "પ્રભુ ઈસુ પર વિશ્વાસ રાખ તો તારું તથા તારા ઘરનાં બધાનું તારણ થશે." 32 પછી તેઓએ તેને તથા તેના ઘરનાં સર્વેને ઇશ્વરના વચનો પ્રગટ કયાઁ. 33 રાત્રીના તે જ વખતે જેલરે તેઓને લઇ જઈને સોળ ધોયાં અને તરત જ તેણે તથા તેનાં ઘરનાંએ બાપ્તિસ્મા લીધું. 34 જેલર તેઓને પોતાના ઘરે લઈ ગયો અને તેઓની આગળ ભોજન પીરસ્યું. તેણે અને તેના ઘરનાંએ વિશ્વાસ કર્યા હોવાને લીધે તે અને તેનાં ઘરમાં આનંદ થઈ રહ્યો.

35 જયારે દિવસ ઉગ્યો, ત્યારે ન્યાયાધીશોએ અધિકારીઓને મોકલીને જેલરને એ માણસોને મુક્ત કરી દેવાનો હુકમ કયોઁ. 36 જેલરે પાઉલને કહ્યું, "ન્યાયધીશે તમને અને સિલાસને છોડી દેવાનો હુકમ કયોઁ છે, હવે તને જઈ શકો છો, શાંતિમાં જાવો."

37 પણ પાઉલે સૈનિકોને કહ્યું "અમે રોમન નાગરિકો છીએ તેમ છતાં તેઓએ અમને દોષિત ઠરાવ્યાં વગર તેઓએ અમને જાહેરમાં માર મારીને જેલમાં નાંખેલા છે. હવે છાની રીતે તેઓ અમને મુક્ત કરવા માગે છે? ન, તેઓ પોતે આવે અને અમને મુક્ત કરે."

38 અધિકારીઓએ આ વાત ન્યાયાધીશોને જણાવી, અને જયારે તેઓએ જાણ્યું કે પાઉલ અને સિલાસ રોમન નાગરિકો છે ત્યારે તેઓ ગભરાઈ ગયા. 39 તેઓ તેમને શાંત પાડવા આવ્યા, અને તેમને જેલમાંથી બહાર કાઢયાં અને શહેર છોડી ને ચાલ્યા જવાની વિનંતી કરી. 40 પાઉલ અને સિલાસ જેલમાંથી બહાર આવ્યા પછી તેઓ લુદિયાનાં ઘરે ગયા. જયાં તેઓ ભાઈઓને અને બહેનોને મળ્યા, અને તેમને ઉત્તેજન આપ્યું પછી તેઓ ત્યાંથી ચાલ્યાં ગયા.

Veja também

Publicidade
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-16_18-40-07-