Publicidade

Atos 13

1 અંત્યોખના મંડળીમાં જે પ્રબોધકો અને ઉપદેશકો હતા: તેમાં બાર્નાબાસ, શિમયોન જે નિગેર કહેવાતો હતો તે, કૂરેનીનો લુકિયસ, રાજા હેરોદનો દૂધભાઈ મનાએન અને શાઉલ હતા. 2 જયારે તેઓ ભજન તથા ઉપવાસ કરતા હતા ત્યારે પવિત્ર આત્માએ કહ્યું, "જે સેવા માટે મેં બાર્નાબાસ તથા શાઉલને પસંદ કર્યા છે તે માટે તેઓને અલગ કરો." 3 તેથી તેઓએ ઉપવાસ અને પ્રાર્થના કરીને તેઓના પર હાથ મૂક્યાં અને તેઓને વિદાય કર્યા.

4 પવિત્ર આત્મા દ્રારા તેઓના બે ને સલૂકિયાથી વહાણમાં બેસીને ત્યાંથી તેઓને સાયપ્રસ મોલકવામાં આવ્યા. 5 જયારે તેઓ સાલામિસ આવ્યા, ત્યારે તેઓએ યહૂદી સભાસ્થાનમાં જઈને ઇશ્વરના વચનનો ઉપદેશ કયોઁ. યોહાન તેઓના સહાયક તરીકે તેઓની સાથે હતો.

6 જયાં સુધી પાફોસ ન આવ્યા, ત્યાં સુધી તેઓએ આખા ટાપુમાં ફયાઁ. ત્યાં તેઓને એક યહૂદી જાદુગર મળ્યો અને તે જુઠો પ્રબોધક હતો જેનું નામ બાર-ઈસુ હતું. 7 કે જે રાજ્યપાલ સર્જીયસ પાઉલ કે જે બુધ્ધિશાળી અને સમજુ હતો તેનો તે મદદગાર હતો. ઈશ્વરનો સંદેશો સાંભળવાની ઇચ્છા હોવાથી તેણે શાઉલ તથા બાર્નાબાસને મોકલ્યા. 8 પણ એલિમાસ જાદુગર (જેના નામનો અથઁ એ છે) તેણે વિરોધ કરીને તેણે રાજ્યપાલને વિશ્વાસ કરતા અટકાવવાનો પ્રયત્ન કર્યા, 9 પછી શાઉલે, કે જે પાઉલ પણ કહેવાતો હતો, તેણે પવિત્ર આત્માથી ભરપૂર થઈને જાદુગર સામે એકીનજરે જોઈને કહ્યું. 10 "ઓ શેતાનનાં પુત્ર, અને દરેક સારાપણાનાં દુશ્મન! તું દરેક પ્રકારની દુષ્ટતા અને પ્રપંચથી ભરેલો છું, શું તું પ્રભુનાં સીધા માગઁનો વિરોધ કરવાનું બંધ નહિ કરશે? 11 હવે, ઈશ્વરનો હાથ તારી વિરુઘ્ઘમાં છે. તું અમુક મુદત સુધી અંધ રહીશ. સૂયઁનો પ્રકાશ પણ તું નઇ જોઈ શકે."

તરત જ તેના પર એકાએક ધુમ્મસ અને અંધકાર આવી પડયાં, અને હાથ પકડીને કોઈ તેને દોરી જાય એવા માણસની તે શોધ કરવા લાગ્યો. 12 જે કાંઈ બન્યું હતું તે જોઇને રાજ્યપાલે વિશ્વાસ કર્યા, કેમકે પ્રભુ વિશેનાં શિક્ષણથી તે આશ્ચર્યચકિત થઈ ગયો.

પીસીદીયાનાં અંત્યોખમાં

13 પછી પાઉલ તથા તેના સાથીદારો વહાણમાં બેસીને પાફોસથી પામ્ફૂલિયાના પગેઁ ગયા, જયાં યોહાન તેઓને છોડી ને યરુશાલેમ પાછો ચાલ્યો ગયો. 14 પગેઁથી તેઓ પીસીદીયાના અંત્યોખમાં ગયા. વિશ્રામવારે તેઓ સભાસ્થાનમાં જઈને બેઠા. 15 નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોનું વાંચ્યા પછી સભાસ્થાનના આગેવાનોએ તેઓને કહાવી મોકલ્યું, "ભાઈઓ, જો તમારી પાસે લોકો માટે કંઇ ઉતેજન દાયક વચનો હોય તો તે કહી સંભળાવો."

16 પાઉલે ઊભા થઈને હાથનો ઈશારો કરીને કહ્યું, "ઓ ઇઝરાયેલી લોકો અને તમે વિદેશીઓ કે જેઓ ઈશ્વરનું ભજન કરો છો, મને સાંભળો! 17 હે, ઇઝરાયેલના લોકો ઈશ્વરે આપણા પૂર્વજોને પસંદ કર્યા; અને ઈજિપ્તમાં રહેતા તેઓની ઉન્નતિ કરી; તેમના સામથ્યઁથી તેમણે તેઓને તે દેશમાંથી બહાર કાઢયા; 18 અરણ્યની મુસાફરીમાં ચાળીસ વરસ સુધી તેમણે તેઓને નિભાવ્યાં. 19 અને તેમણે કનાન દેશની સાત પ્રજાઓનો નાશ કયોઁ, તેઓની ભૂમિ તેમણે તેમના લોકોને વારસા તરીકે આપી. 20 આ બધા માટે ચારસો પચાસ વરસ લાગ્યા.

"તે પછી શમુએલ પ્રબોધકનાં સમય સુધી ન્યાયાધીશો આપવામાં આવ્યા. 21 પછી લોકોએ રાજાની માંગણી કરી અને તેથી તેમણે તેઓને બિન્યામીનના કુળનાં કીશના દીકરા શાઉલને તેઓનો રાજા બનાવ્યો. તેણે ચાળીસ વરસ રાજય કર્યું. 22 પછી શાઉલને દૂર કરીને દાવિદને રાજા બનાવ્યો. તેના સંબંધી ઈશ્વરે સાક્ષી આપી કે, મને યિશાઈનો દીકરો, દાવિદ મને મળ્યો છે, મારો મનપસંદ માણસ છે, હું જે ચાહું તે બધુ મારા માટે કરશે.

23 "આ માણસનાં કુળમાંથી ઈશ્વરે પોતાના વચન પ્રમાણે ઇઝરાયેલના તારનાર ઈસુને મોકલ્યા. 24 ઈસુના આવ્યા પહેલાં, યોહાને પસ્તાવાનો અને ઇઝરાયેલી સઘળા લોકોનું બાપ્તિસ્તનો ઉપદેશ આપ્યો. 25 યોહાને પોતાનું કાર્ય પૂરું કરતાં તેણે કહ્યું, ‘તમે મારા વિશે શું માનો છો? હું એ નથી જેને તમે શોઘી રહયાં છો. પણ એક છે કે જે મારી પાછળ આવે છે તેમના ચંપલને છોડવા હું યોગ્ય નથી.’

26 "ભાઈઓ, અબ્રાહમના સંતાનો અને ઈશ્વરનો ડર રાખનાર વિદેશીઓ, તારણનો આ સંદેશ આપણ સર્વને મોકલવામાં આવ્યો છે. 27 યરુશાલેમનાં લોકો અને તેઓના આગેવાનોએ ઈસુને ઓળખ્યા નહિ, છતાં, તેમને દોષિત ઠરાવીને પ્રબોધકોની ભવિષ્યવાણી પ્રત્યેક વિશ્રામવારે વાચવાંમાં આવે છે. 28 જો કે દેહાતદંડને પાત્ર ઠરાવવાનું કોઈ કારણ તેઓને મળ્યું નહિ, તોપણ તેઓએ તેમને મારી નાંખવા પિલાતને વિનંતી કરી. 29 તેમના વિશે જે લખેલું હતું તે સઘળું પુરુ કયાઁ પછી તેઓએ તેમને ક્રૂસ પરથી ઉતારીને કબરમાં મૂકયો. 30 પણ ઈશ્વરે તેમને મૃત્યુમાંથી સજીવન કર્યા. 31 અને તેમની સાથે ગાલીલથી યરુશાલેમ સુધી જે લોકોએ મુસાફરી કરી હતી, તેઓ ઘણાં દિવસો સુધી તેમને જોતાં રહ્યા. અને હવે તેઓ આપણા લોકો માટે તેમના સાક્ષી છે.

32 "ઈશ્વરે આપણા પુવઁજોને જે વચન આપ્યું હતું તે શુભસંદેશ અમે તમને કહીએ છીએ. 33 તેમણે ઈસુને સજીવન કરીને આપણા માટે, તેમના બાળકો માટે પૂર્ણ કર્યું છે. જેમ ગીતશાસ્ત્રના બીજા ગીતમાં લખેલું છે તેમ:

" ‘તું મારો પુત્ર છે,

આજે હું તારો પિતા બન્યો છું.

34 ઈશ્વરે તેમને મુત્યુમાંથી સજીવન કયાઁ, જેથી તેમને કદી સડો ન લાગે, જેમ ઈશ્વરે કહ્યું છે,

" ‘દાવિદને આપેલા વચન પ્રમાણે હું તમને પવિત્ર અને અચળ આશીઁવાદો આપીશ.’

35 એ માટે બીજે કયાંક એવું પણ કહેલું છે:

" ‘તમે પોતાના પવિત્રને સડો જોવા દેશો નહિ.’

36 "દાવિદ પોતાના જમાનામાં; ઈશ્વરની ઈચ્છા પ્રમાણે સેવા કર્યા પછી ઉંઘી ગયો. તેને પોતાના પૂર્વજોની બાજુએ દાટવામાં આવ્યો અને તેના શરીરને સડો લાગ્યો. 37 પણ જેમને ઈશ્વરે સજીવન કર્યા છે તેમને સડો લાગ્યો નહિ.

38 "તેથી મારા મિત્રો, હું તમને જણાવવાં માંગુ છું કે ઈસુ મારફતે તમારાંં પાપોની માફી તમને પ્રગટ કરવામાં આવે છે. 39 તેમના પર જેઓ વિશ્વાસ કરે છે તેઓને તેમના દ્રારા દરેક પાપથી મુક્ત કરવામાં આવે છે, મોસેના નિયમ હેઠળ તમે ન્યાયી ઠરી શકયા નહિ. 40 સાવચેત રહો કે, પ્રબોધકોએ જે કહ્યું છે તે તમારા પર આવી ન પડે:

41 " ‘જુઓ, ઓ તિરસ્કાર કરનારાઓ!

આશ્વયઁ પામો અને નાશ પામો!

કેમકે તમાંરા સમયમાં હું કંઇક કરવાનો છું

તે વિશે તમને કહેવામાં આવશે તોપણ

તમે તે માનવાના નથી.’ "

42 જયારે પાઉલ અને બાનાઁબાસ સભાસ્થાનમાંથી નિકળતા હતા ત્યારે લોકોએ તેમને વિનંતી કરી કે આવતાં વિશ્રામવારે તેઓ ફરીથી આ બાબતો વિશે વધારે ઉપદેશ આપે. 43 જયારે સભા વિખેરાય ગઇ, ત્યારે ઘણાં યહૂદીઓ અને યહૂદી ધર્મ સ્વીકારનારા બિનયહૂદીઓ પાઉલ અને બાર્નાબાસની પાછળ ગયા. તેઓએ તેમની સાથે વાત કરીને કહ્યું ઈશ્વરની કૃપામાં ટકી રહેવાનું જણાવ્યું.

44 બીજા વિશ્રામવારે લગભગ આખું શહેર પ્રભુનાં વચનો સાંભળવા એકઠું થયું. 45 જયારે યહૂદીઓએ ટોળાને જોયું, ત્યારે તેઓને અદેખાઈ ઊપજી. તેઓએ પાઉલના ઉપદેશની વિરુદ્ધ દલીલો કરી અને તેની નિંદા કરી.

46 ત્યારે પાઉલ અને બાર્નાબાસે હિમતપૂર્વક તેઓને જવાબ આપ્યો: "સૌ પ્રથમ તમોને ઈશ્વરના વચનો આપવાના હતા; પણ તમે તેનો નકાર કયોઁ અને તમે પોતાને અનંતજીવનને માટે અયોગ્ય ઠરાવો છો. તેથી હવે અમે વિદેશીઓ તરફ ફરીએ છીએ. 47 કેમકે અમને આ આજ્ઞા ઈશ્વરે આપી છે:

" ‘મેં તને વિદેશીઓને માટે પ્રકાશ તરીકે નીમ્યો છે કે,

તું પૃથ્વીનાં છેડા સુધી તારણ પહોંચાડે.’ "

48 જયારે વિદેશીઓ આ સાંભળ્યું, ત્યારે તેઓ ઇશ્વરના વચનોથી આનંદ અને મહિમા પામ્યા, અને જેઓ અનંતજીવનને માટે પસંદ કરાયેલા હતા તેઓએ વિશ્વાસ કર્યો.

49 આમ આખા પ્રદેશમાં પ્રભુનો સંદેશો ફેલાતો ગયો. 50 પણ યહૂદી આગેવાનોએ મોભાદાર ધાર્મિક ઇશ્વરનો ડર રાખનાર સ્ત્રીઓ અને શહેરનાં આગેવાન પુરુષોએ તેઓને પાઉલ તથા બાર્નાબાસની વિરુદ્ધ ઉશ્કેર્યા અને તેઓની સતાવણી કરાવીને પ્રદેશમાંથી બહાર નસાડી મૂક્યાં. 51 તેથી તેઓની વિરુધ્ધ પોતાના પગની ધૂળ ખંખેરી નાંખીને ત્યાંથી તેઓ ઈકોનિયમ ગયા. 52 અને શિષ્યો આનંદથી અને પવિત્ર આત્માથી ભરપૂર હતા.

Veja também

Publicidade
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-15_21-32-39-