Publicidade

Atos 11

પિતરનો હેવાલ

1 પ્રેષિતો અને યહૂદિયાના વિશ્વાસીઓએ સાંભળ્યું કે બિનયહૂદીઓએ પણ ઈશ્વરના વચનોનો સ્વીકાર કયોઁ છે. 2 જયારે પિતર પાછો યરુશાલેમ આવ્યો ત્યારે સુન્નતી વિશ્વાસીઓએ તેની ટીકા કરી, 3 અને કહ્યું, "તું બેસુન્નતીઓના ઘરમાં ગયો અને તેઓની સાથે ખાધું!"

4 શરૂઆતથી શરૂ કરીને પિતરે તેઓને બધીજ વાત કરી 5 તેણે કહ્યું, "હું જોપ્પા શહેરમાં પ્રાર્થના કરતો હતો અને મેં મૂછાઁવસ્થામાં એક દર્શન જોયું. મેં એક મોટી ચાદર તેના ચાર ખૂણેથી લટકાવેલી આકાશમાંથી નીચે ઊતરતી જોઈ અને હું જયાં હતો ત્યાં તે નીચે આવી. 6 તેમાં મે પૃથ્વી પરના ચાર પગ વાળા પ્રાણીઓ, જંગલી જનાવરો, અને પેટે ચાલનારાં પ્રાણીઓ અને પક્ષીઓ જોયા. 7 પછી એક વાણી મને એમ કહેતી સાંભળી, ‘ઊઠ, પિતર મારીને ખા.’

8 "મેં જવાબ આપ્યો, ‘ના, પ્રભુ! કેમકે મારા મોંમાં કોઇ પણ નાપાક અને અશુધ્ધ વસ્તુ કદી ગઇ નથી.’

9 "આકાશમાંથી બીજી વાર વાણી થઇ કે, ‘ઈશ્વર જેને શુધ્ધ કયુઁ છે તેને તું અશુધ્ધ ન ગણ.’ 10 એમ ત્રણ વખત થયું, અને પછી તે બધાને આકાશમાં પાછા ખેંચી લેવામાં આવ્યા.

11 "એ જ વખતે કાઈસારિયામાંથી મારી પાસે મોકલેલા ત્રણ માણસો હું જે ઘરમાં રહેતો હતો ત્યાં આવીને ઊભા રહ્યા. 12 કશો ભેદભાવ રાખ્યાં સિવાય તેમની સાથે જવા આત્માએ મને જણાવ્યું. આ છ ભાઈઓ પણ મારી સાથે ગયા, અને અમે તે માણસનાં ઘરે આવી પહોંચ્યા. 13 તેણે અમને જણાવ્યું કે એક દૂતને તેના ઘરમાં આવતો જોયો, અને કહ્યું કે જોપ્પામાં માણસો મોકલીને સિમોન જેનું નામ પિતર છે તેને બોલાવ. 14 તે અમને સંદેશો આપશે જેનાથી તું તથા તારા ઘરનાં સવઁ માણસો તારણ પામશો.

15 "જયારે મેં બોલવાનું શરૂ કર્યુ, ત્યારે પવિત્ર આત્મા તેઓ પર ઊતરી આવ્યો જેમ પહેલાં આપણી ઉપર આવ્યો હતો. 16 ત્યારે મને પ્રભુનાં વચનો યાદ આવ્યા: ‘યોહાને પાણીથી તમારું બાપ્તિસ્મા કર્યું પણ તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો.’ 17 આપણે પ્રભુ ઈસુ મસીહ પર વિશ્વાસ કયોઁ ત્યારે આપણને પવિત્ર આત્માનું જે દાન ઈશ્વરે આપ્યું હતું તે જ દાન તેમને પણ આપ્યું, તો પછી હું કોણ કે હું ઈશ્વરના માગઁમાં ઉભો રહું?"

18 જયારે તેઓએ આ સાંભળ્યું, ત્યારે તેઓને બીજો કોઇ વાંધો ન હતો અને ઈશ્વરની સ્તુતિ કરતા કહ્યું, "તો પછી વિદેશીઓને પણ પસ્તાવો કરવાનું મન આપ્યું છે કે તેઓ જીવન પામે."

અંત્યોખમાં મંડળી

19 એ દરમિયાન સ્તેફનના મરણ પછી થયેલી સતાવણીને લીધે જેઓ વિખેરાઈ ગયા હતાં, તેઓ યરુશાલેમથી હિજરત કરીને ફિનીકિયા, સાયપ્રસ અને અંત્યોખ સુધી ગયા અને શુભસંદેશ ફકત યહૂદીઓને જ પ્રગટ કર્યા હતો. 20 પરંતુ તેઓમાંના કેટલાંક, તો સાયપ્રસ તથા કૂરેનીના માણસો અંત્યોખ ગયા અને ગ્રીકોને પણ પ્રભુ ઈસુની વાત જણાવી. 21 પ્રભુનો હાથ તેઓની સાથે હતો, અને એ મોટી સંખ્યામાં લોકોએ વિશ્વાસ કરીને પ્રભુ તરફ વળ્યાં.

22 આ સમાચાર યરુશાલેમની મંડળી સુધી પહોંચ્યા, ત્યારે તેઓએ બાર્નાબાસને અંત્યોખ મોકલ્યો. 23 જયારે તે આવ્યો અને ઈશ્વરનાં અદભુત કાર્ય જોઇને તે આનંદ પામ્યો અને તેણે બધાંને ખરાં હ્રદયથી પ્રભુમાં દ્રઢ રહેવાને ઉત્તેજન આપ્યું. 24 બાર્નાબાસ સારો માણસ હતો, પવિત્ર આત્માથી અને વિશ્વાસથી ભરપૂર હતો. અને ઘણાં લોકોને પ્રભુ પાસે લાવ્યો.

25 પછી બાર્નાબાસ શાઉલને શોધવાં માટે તાર્સસ ગયો. 26 અને જયારે તે મળ્યો તે તેને અંત્યોખ લઇ આવ્યો. બાનાઁબાસ અને શાઉલ બંનેએ ત્યાં આખા વરસ મંડળી સાથે રહીને ઘણાં લોકોને નવુ શિક્ષણ આપ્યું. શિષ્યો સૌ પ્રથમ અંત્યોખમાં મસીહી કહેવાયા.

27 આ સમયે કેટલાક પ્રબોધકો યરુશાલેમથી અંત્યોખ આવ્યા. 28 તેઓમાંના આગાબાસ નામે એક જણે ઊભા થઈને આત્માની પ્રેરણાથી કહ્યું કે આખા રોમન વિશ્વમાં ભારે દુકાળ પડવાનો છે. એ ભવિષ્યકથન કલોડિયસના રાજ્યઅમલ દરમિયાન પૂર્ણ થયું. 29 શિષ્યોએ, દરેક પોતાની શક્તિ મુજબ, યહૂદિયામાં રહેતાં ભાઈઓ અને બહેનોને મદદ કરવાનું નક્કી કયુઁ. 30 તેઓએ તેમ કયુઁ, વડીલોને બાર્નાબાસ અને શાઉલ દ્રારા પોતાનું દાન મોકલ્યું.

Veja também

Publicidade
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-15_21-32-39-