1 સૌ પ્રથમ, હું તમને વિનંતી કરું છું કે, સર્વ માણસોને માટે પ્રાર્થના, આજીજી અને આભારસ્તુતિ કરવામાં આવે, 2 રાજાઓને માટે અને બીજા સર્વ અધિકારીઓને માટે, જેથી આપણે પૂરાં ભકિતભાવથી અને પવિત્રતામાં શાંત અને સ્વસ્થ જીવન ગુજારીએ. 3 કેમકે ઈશ્વર આપણા તારનારની નજરમાં તે સારું છે. 4 કેમકે સર્વ લોકો તારણ પામે અને આ સત્યનું જ્ઞાન પ્રાપ્ત થાય એવી તેમની ઇચ્છા છે. 5 કેમકે એક જ ઈશ્વર છે અને ઈશ્વર અને માણસોની વચ્ચે એક જ મધ્યસ્થ છે, એટલે મસીહ ઈસુ પોતે માણસ, 6 જેણે સઘળાં માણસોના ઉધ્ધારને માટે પોતાનું સ્વાપઁણ કયુઁ. યોગ્ય સમયે આ સાક્ષી આપવામાં આવી હતી. 7 એ માટે મને ઉપદેશક અને પ્રેષિત તરીકે પસંદ કર્યો છે, હું સાચું બોલું છું, હું જૂઠું બોલતો નથી, અને વિદેશીઓને વિશ્વાસમાં અને સત્યમાં શીખવનાર તરીકે પસંદ કર્યો છે.
8 એ માટે પાપ, ક્રોધ અને દ્વેષથી મુક્ત થઈને સર્વ સ્થળે પુરુષો પવિત્ર હાથો ઊંચા કરીને પ્રાર્થના કરે એવું હું ઇચ્છું છું. 9 એ જ પ્રમાણે સ્ત્રીઓ પણ ગંભીર અને મર્યાદાશીલ બની શોભતાં વસ્ત્રો ધારણ કરે, વળી વાળની આકર્ષક ગૂંથણી, સોના કે મોતીના કિંમતી ઘરેણાં, કે ભપકાદાર વસ્ત્ર નહિ, 10 પણ ઈશ્વરની ભક્તિમાં નિમગ્ન રહેનારી ધાર્મિક સ્ત્રીઓને છાજે તેવી રીતે એટલે સારાં કાર્યથી પોતાને શણગારે.
11 સ્ત્રીઓએ સંપૂણઁ આધીનતામાં શાંત રહીને શીખવું જોઈએ. 12 ઉપદેશ કરવાની કે પુરુષો પર અધિકાર ચલાવે એવી હું છૂટ આપતો નથી. પણ તેઓ શાંત રહે. 13 કારણ, પ્રથમ આદમ ઉત્પન્ન થયો, પછી હવા. 14 આદમ શેતાનથી છેતરાયો નહિ; પણ સ્ત્રી છેતરાઈ અને પાપી બની. 15 તોપણ જે સ્ત્રી મયાઁદાસહિત વિશ્વાસ, પ્રેમ, તથા પવિત્રતામાં રહે, તો તે પુત્રપ્રસવ દ્રારા તારણ પામશે.